SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શાસનપ્રભાવક પ્રખર ચારિત્રપાલક : મહાન શાસનતંભ : વીસમી સદીના જૈનશાસનના રાજા પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક અને સાહસવીર સાધુવર્યને આબાલવૃદ્ધ સૌ ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જેનશાસનના રાજા તરીકે ઓળખાવતા તે પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા. પૂ. મૂળચંદજી મહારાજને જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ વંશમાં બરડ ગેત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ સુખ શાહ અને માતાનું નામ બકેરાબાઈ (મહતાબદેવી) હતું. બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને થેકડાને મુખપાઠ કરે. આગળ જતાં, સાધુઓને પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ઈચ્છાઓ જાગી. અને એક સમય એ આવ્યું કે તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુદન આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. શ્રી બટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ – બંને ગુરુશિષ્ય – ઘણું ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને લીધે શાસનમાં પેસી ગયેલી મર્યાદાઓ અને કુરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં, તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિને દેરે તેડી નાખે. એથી સંઘમાં ઘણે ઊહાપોહ થયે. પરંતુ પિતાની શંકાના સમાધાન માટે બુટેરાયજી મહારાજ પિતાના બે શિષ્ય – શ્રી મૂળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી - સાથે એક હજાર માઈલ કરતાં પણ વધુ અંતરને કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુજ્ય મહાતીર્થની યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ સંવેગી દીક્ષા લીધી. શ્રી બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી મૂળચંદજીનું નામ મુક્તિવિજ્યજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજ્યજી રાખવામાં આવ્યું. ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી-સંવેગી સાધુઓની સંખ્યા ઘણું જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગેને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ જેટલા જ સંવેગી સાધુઓ છૂટા છવાયા વિચારતા હતા. યતિ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મેટાં નગરમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સાધુમહારાજેએ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy