SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ૩૬૯ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બુટેરાયજી મહારાજ સંવેગી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણે ખળભળાટ મચી ગયે. પરંતુ, તેઓશ્રીના પ્રભાવથી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આતમારામજી મહારાજ અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, પંજાબી સાધુઓને ગુજરાત પર માટે ઉપકાર થયે. શ્રી બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદજી મહારાજને લીધે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજાર કરતાં વધુ થઈ ગઈ છે. એટલે કે એક સૈકામાં સો ગણું વધી ગઈ છે ! અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશા ત્રણ રહેશે. - શ્રી મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા. ઉપરાંત, શાસનની સતત ખેવના રાખનારા હતા. તેઓશ્રીએ જોયું કે, સાધુ વગર શાસનને ઉદ્ધાર નથી. એ માટે જેમ બને તેમ વધુ દીક્ષાઓ થવી જોઈએ. પરંતુ સ્વજનેની સંમતિ નહીં મળવાથી દીક્ષા લેવાને માર્ગ અત્યંત દુષ્કર બની રહે. એ માટે પૂ. મૂળચંદજી મહારાજે નગરશેઠ પ્રેમાભાઈ સાથે મળીને યેજના કરી કે, એવા દીક્ષાર્થીઓને ગુજરાતમાંથી પંજાબમાં પૂ. આત્મારામજી પાસે મોકલવા અને પંજાબના આવા દીક્ષાર્થીઓ ગુજરાતમાં પૂ. મૂળચંદજી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરે. આ યેજનાથી થોડા જ વર્ષોમાં સાધુઓની સંખ્યામાં ખૂબ વધારે થયે. આ કાર્યમાં ખૂબ રસ હોવા છતાં પૂ. મૂળચંદજી મહારાજ નવદીક્ષિતને પિતાના શિષ્ય તરીકે સ્થાપવામાં સાવ નિર્મોહી હતા. નવદીક્ષિતને શ્રી બુટેરાયજી અથવા શ્રી વૃદ્ધિચંદજીના જ શિષ્ય સ્થાપતા. તેમ છતાં, શ્રી વૃદ્ધિચંદજી મહારાજના આગ્રહને વશ થઈને તેમણે કેટલાક શિષ્ય બનાવ્યા, જેમાં શ્રી હંસવિજયજી, શ્રી ગુલાબવિજ્યજી, શ્રી કમલવિજ્યજી, શ્રી ભણવિજયજ, શ્રી દાનવિજયજી આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ન જ રહી શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી. દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક ધ્યાન કરતા. શિસ્તના આગ્રહી હોવાને લીધે શિષ્યમાં પણ નિયમપાલન, કાર્યશક્તિ અને સંઘવ્યવસ્થાના ગુણોનો વિકાસ થતે. શિષ્ય પ્રત્યે અપાર વાત્સલ્યભાવ હોવા છતાં, એમના દોષ કે મર્યાદાના સમયે એમને દંડ આપવામાં અચકાતા નહીં. એમના શિષ્ય-ઉત્તમવિજયજી, ભક્તિવિજયજી, મેતવિજયજી મહારાજને પૂજ્યશ્રીની કડક આચારસંહિતાને પરિચય થયું હતું. તેઓશ્રી સ્પષ્ટ વક્તા અને નીડર વ્યવસ્થાપક હતા. એથી તેઓશ્રી સાથે વાદ-વિવાદ અને ઊહાપોહ થયાનાં અનેક દષ્ટાંતે બન્યાં હતાં. તેમની કુટુંબની સંમતિ વગર દીક્ષા આપવાની પદ્ધતિ સામે અમદાવાદમાં વિરોધ થયું હતું ત્યારે તેમણે અનેક દછત દ્વારા સિદ્ધ કરી આપ્યું હતું કે માબાપમાં સંસ્કાર, સમજણ અને શાસનપ્રીતિનો અભાવ હોય ત્યારે આવાં પગલાં જરૂરી બની રહે છે. તે સમયની તેમની દલીલથી સકળ સંઘ વિચારમાં પડી ગયો હતો અને સમગ્ર વિવાદ શમી ગયે હતે. શ્ર ૪૭ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy