SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ૩૬૭ અત્રીસ આગમેાનું ઝીણવટપૂર્વક વાર વાર અધ્યયન કર્યુ.. આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યેા. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી મૂર્તિ પૂજાનો વિરોધ નીકળી ગયા. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાતુ વધુ તે વધુ ચિંતવન કરતા ગયા, તેમ તેમ મૂર્તિ પૂજામાં તેમની શ્રદ્ધા દૃઢ થતી ચાલી. અને એક દિવસ પોતાના એ શિષ્યા – શ્રી ભૂલચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ – સાથે અમદાવાદ આવીને શ્રી મણિવિજયજી દાદા પાસે સંવેગી ીક્ષા ધારણ કરી. પછી તેએશ્રીનું નામ શ્રી બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. તેમ છતાં, તેઓશ્રી ખુટેરાયજી મહારાજ તરીકે વિશેષ આળખાતા રહ્યા. – જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દૃઢ હતું. પેાતાને ચાગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી અચકાતા નહીં. પરિણામે અનેક વારના શાસ્રાધ્યયનને આધારે મૂર્તિ પૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યાં અને તે પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. ગુજરાનવાલાના ચાતુર્માસ વખતે તેમણે પોતાના આ મતને સઘ સમક્ષ વહેતા મૂક્યો; શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યા. પરિણામે, શિયાલકોટ, પતિયાલા, પપનામા, અમૃતસર, પસરૂર, રામનગર, અ'બાલા આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સઘા થયા. એમાં એ પ્રખર શિષ્યાના ઉમેરા થયા. સં. ૧૯૦૨માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮માં રામનગરમાં વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્માંની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચારપ્રસાર માટે વિહાર આદર્યું. સ. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર ચાતુર્માંસ કર્યું . અહી પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ચામાસુ` વિતાવીને સ. ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, હેમાભાઈ, દલપતભાઇ આદિ તેમના શ્રાવકે થયા. આ ત્રિપુટીએ ગુજરાતમાં રહીને ત્તિએ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્માંની વિજયપતાકા ફરકાવી. સાધુઓને સન્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલાં લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદિવવાદ અને મતભેદ શમાવ્યા. સ. ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યાં ત્યારે તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુએએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી. શ્રી ખુટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતુ કે તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે યતિઓમાં પણ કોઈ ન હતા. તે પ્રતાપી હતા અને સત્ય તથા સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને ગુજરાત, વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મહારાજને પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત તરફના પ્રદેશ ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિના વિશાળ સમુદાય ઊભા કરી શકયા હતા. એ સત્યવીર મહાયાગી સ. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધમ પામ્યા. એ શીખસતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સઘનાયક અન્યા ! ( સંકલન : પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મહારાજ ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy