SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક શ્રી બુદ્ધિવિજયજી, (બુટેરાયજી), પં. ગુલાબવિજયજી, પં. શુભવિજ્યજી, શ્રી હીરવિજયજી અને આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી. વર્તમાનમાં લગભગ એક હજાર સાધુએ પૂ. મણિવિજયજી દાદાના પરિવારમાં વિચરે છે, જે વર્તમાન સાધુસમુદાયના મોટા ભાગ રૂપે છે. પૂજ્યશ્રીના પ્રતાપી અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવારથી શાસનપ્રભાવનાનાં કાર્યો અવિરત ચાલતાં જ રહે છે. (સંકલન : વિ. સં. ૧૯૮૦માં અમદાવાદમાં જૈન વિદ્યાશાળાથી પ્રગટ થયેલું દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને મુનિરાજશ્રી જિનેન્દ્રવિજયજી (હાલ આચાર્ય)ના એક લેખને આધારે સાભાર.), સત્યધર્મની મશાલ પ્રવલિત કરનાર સંગી શિરતાજમહા ગીરાજ પૂ. શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજ પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનને ડકે વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથના ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્યા હતા. શ્રી બુટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. તેમને જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધીયાણુ નજીક દુલવા ગામમાં થયે હતો. તેમનું જન્મનામ બુટ્ટાસિંહ હતું. માતાનું નામ કર્માદે અને પિતાનું નામ ટેકસિંહ હતું. માતા કર્માદેને સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર જન્મે, એટલે માતાને મને મન એવી પ્રતીતિ તે હતી જ કે પુત્ર અસાધારણ થશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને ક્રિયાકાંડમાં વિશેષ રુચિ હતી. તે જોઈને માતાને પિતાની શ્રદ્ધા દઢ થતી દેખાતી હતી. એટલે માતાએ પુત્રમાં ધર્મના સંસ્કાર સિંચવામાં ખૂબ જ કાળજી લીધી હતી. એક વખત બુટ્ટાસિંહે માતા સમક્ષ પિતાની ઈચ્છા વ્યક્ત કરી કે, “મારે સાધુ થવું છે.' પ્રથમ દષ્ટિએ માતાને એ ગમ્યું નહિ. પરંતુ સ્વપ્ન યાદ આવતાં સહર્ષ સંમતિ આપી અને આશિષ આપતાં કહ્યું કે, “જા પુત્ર, સાધુ થજે. પણ સાધુ થયા પછી સંસારની મમતામાં પડીશ નહીં. તું સાચે સાધુ થજે.' બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં જૈન યતિઓ અને સ્થાનક વાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું હતું. માતાના આશીર્વાદ લઈઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહ અનેક સાધુઓને સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં દિલ્હીમાં એક સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી બુટેરાયજી મહારાજ નામે જાહેર થયા. - શ્રી બટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનના સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર જૈનશાસનમાં એક મહાન કાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવા Jain Education International, 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy