SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૩૬૫ એમના જીવનમાં એવી તે અક્ષય સુવાસ મૂકી કે જે તેમના જીવનપર્યત અખૂટ રહી. આ વિનીત મુનિવરે પિતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી નાનામોટાં સર્વની ગેર–પાણી વગેરે વૈયાવચ્છમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદી પ્લાન કર્યું નહીં. સાનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં, વિહારમાં, તપસ્યામાં, કદી પણ વચન કે વદન વિકારી થયાં નહીં. એમના વ્યક્તિત્વમાં મળતાવડાપણને મહાન ગુણ હતું. તેથી ગમે તે સમુદાયના મુનિવર્યો સાથે તેમને હૃદયને સંબંધ બંધાતે. તે પછી ડહેલાના હોય કે વરના, લુહારની પિળના હોય કે સાગરસમુદાયના કે વિમલ સમુદાયના. તેઓશ્રી કેઈપણ મુનિ સાથે વિચરતા કે ચોમાસું કરતા. ખરતરગચ્છીય મુનિ સાથે પણ સમેતશિખર પર્યતન વિહાર કર્યો હતો, અને તેઓની પ્રીતિ સંપાદન કરી હતી. અન્યનું કાર્ય કરવાની, સેવા કરવાની સદા તત્પરતા રાખતા. ૮૬ વર્ષની વૃદ્ધાવસ્થાએ પિતાનું શરીર સાવ અશક્ત હોવા છતાં, પિતાની જરૂરિયાતની ઉપેક્ષા કરી, રાંદેરમાં રત્નસાગરજીની તબીયત માટે મુનિ શ્રી સિદ્ધિવિજ્યજીને દીક્ષા આપી કે તરત જ મોકલી આપ્યા. સાથે શ્રી શુભવિજયજીને પણ મોકલ્યા. ગુરુવર્યની આવી અવસ્થામાં તેમને છેડી જવા, એ શિષ્યોને ગમ્યું નહિ; પણ ગુર્વાસાને અનાદર પણ કરી શક્યા નહિ, અને અંતે પરિણામ એ આવ્યું કે ગુરુ-શિષ્યને ફરી મેળાપ થઈ શક્યો નહિ. કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા હોવાથી કષાય પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે. પરંતુ આ પ્રશાંત મહાત્માએ તે તેને પ્રથમથી જ દેશવટ દીધું હતું. રાજનગરમાં ઉપાશ્રયને કંઈક પક્ષપાત લેવાથી ગૃહસ્થોનું અન્ય ઉપાશ્રયે જવામાં કંઈક શિથિલતા થતી. પરંતુ આ મહાત્માની પ્રસન્ન મુખાકૃતિ, ગંભીરતા, શાંતિ અને અસાધારણ નિઃસ્પૃહતા જેવા ગુણેને લીધે આકર્ષાઈને પ્રાયઃ સર્વ કેઈ એમનાં દર્શન અને વંદનને લાભ લેવા આવતા. અનુભવીઓ કહે છે કે, આહાર પણું કે ક્રિયાકાંડ સિવાયના અન્ય કઈ પણ અવસરે તેમના હાથમાં પુસ્તક કે નવકારવાળી હોય જ. તેમને નવકારવાળી ગણવાને વિશેષ અભ્યાસ હતે. જ્ઞાનદશામાં જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સામાચારીનું શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિલેપ એવા આ બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૦ વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્ર પાળી ભવ્ય જેને ધર્મપરાયણ કર્યા. જિંદગીભર આરાધના પૂર્વક ખરેખરું કાર્ય કર્યું. અણહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, અણાહારીપદ માટે સતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો. અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આ સુદ ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. ૧૮૭૭માં દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને દિવસે પંન્યાસપદ આપવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે શ્રી મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. સપ્તર્ષિની જેમ પૂજ્યશ્રીને સાત શિષ્ય હતા : શ્રી અમૃતવિજયજી, શ્રી પદ્મવિજ્યજી, Jain Education International 2010_04 For Private & Personal Use Only For Private & Personal Use Only - www.jainelibrary.org wwwjainelibrary.com
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy