SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક १४ સેંકડો શિષ્ય-પ્રશિષ્યના પિતામહ સમા વિશાળ મુનિગણના શિરતાજ સમા સામ્પતકાલીન શ્રમણ સંઘના મહાન સૂત્રધાર; પ્રથમ પીયૂષપાનિધિ, પરમ તપસ્વી પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ પચ્ચીસ વર્ષ પૂર્વે ચતુવિધ શ્રીસંઘની સ્થાપના કરી. પ્રભુજી ૭૨ વર્ષનું આયુષ્ય પાળી, અઘાતિ કર્મને નાશ કરી નિર્વાણ પામ્યા. પ્રભુજીની પાટે શ્રી સુધર્માસ્વામીજી આવ્યા. ત્યાર બાદ ચરમ કેવલી શ્રી જંબુસ્વામીજી આવ્યા. આ પાટપરંપરામાં જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી ૫૮મી પાટે થયા. ૬૯મી પાટે પં. શ્રી કીતિવિજ્યજી ગણિ થયા. તેમને જન્મ ખંભાતમાં સં. ૧૮૧૬માં થયો હતો. તેમણે સં. ૧૮૬૧માં દીક્ષાગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. કસ્તુરવિજ્યજી ગણિ થયા. તેમને જન્મ સં. ૧૮૩૭માં પાલનપુરમાં થયું હતું. તેમણે સં. ૧૮૭૦માં પૂ. પં. કીતિવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી સુધર્મા સ્વામીની ૭૧મી પાટે થયા. ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં ભયણજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભેયીજીની બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વિશા શ્રીમાળી જ્ઞાતિના જીવણદાસ શેઠ વસતા હતા. તેમના ધર્મપત્નીનું નામ ગુલાબદેવી હતું. સં. ૧૮પરના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા. અને ધંધાર્થે ખેડા જિલ્લાના પિટલી ગામમાં આવી વસ્યા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિ વિજયજી મહારાજને માતર તીથે સમાગમ થશે અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બનતાં વિ. સં. ૧૮૭૭માં પાલી મુકામે પૂ. પં. શ્રી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા. - શ્રી મણિવિજયજી ગુરુસેવા સાથે અભ્યાસમાં પણ પ્રગતિ કરવા લાગ્યા. તપસ્યા તે તેમને શ્વાસેવાસ બની રહી. મહિને બે મહિના ઉપવાસ કરે. એકાસણું તો ચાલુ જ હોય. એકાસણથી ઓછું તે પ્રાયઃ પચ્ચકખાણ ન મળે અને તે પણ કામવિહાર. આમ, પૂજ્યશ્રીએ બાહ્ય અને આત્યંતર જીવન પવિત્ર અને નિર્મળ બનાવી દીધું. તેઓશ્રી મહાતપસ્વી અને ઉગ્ર વિહારી હતા. એનાથી પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી આત્માઓ તેમના શિષ્ય બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બુટેરાયજી, શ્રી મૂલચંદજી અને શ્રી વૃદ્ધિચંદજીને દીક્ષા આપી. શ્રી મણિવિજ્યજી દાદાના અપ્રતીમ ગુણ : બાલ્યાવસ્થાથી જ સગુણ અને ધાર્મિક વૃત્તિવાળા માબાપના ઉસંગમાં ઉછરેલા આ મહાત્માના ગુણનું શું વર્ણન કરવું ! માતાપિતાએ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy