SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૬૧ શ્રી પૂજા ઋષિની જન્મભૂમિ હતી સુપ્રસિદ્ધ ભાયણીતીની પાસે આવેલું રાંતેજ. આ રાંતેજ એક વેળા સમૃદ્ધ નગર હતું. આજે પણ ત્યાં વિદ્યમાન પ્રાચીન બાવન જિનાલય એની સાક્ષી પૂરે છે. આ નગરના નિવાસી કડવા પાટીદાર જ્ઞાતિના ગારા પટેલ અને ધનબાઇના પુત્ર પૂંજરાજે પૂર્વ જન્માની કાઈ પ્રેરણા પામીને આચાર્ય શ્રી વિમલચંદ્રસૂરિજી પાસે વિ. સ. ૧૯૭૦માં દીક્ષા લીધી. શ્રી વિમલચંદ્રસૂરિજી પાર્શ્વ ચદ્રગચ્છીય સડમાં પધર આચાર્ય હતા. દીક્ષા પછી શ્રી પૂજા ઋષિએ તપસ્યાની કઠિન કેડી અપનાવી. શુદ્ધ સંયમના પાલન સાથે ઉપવાસ અને આયંબિલની દીર્ઘ તપસ્યાએથી જાણે સંતુષ્ટ ન હોય તેમ તે અનેક પ્રકારના કઠિન અને અસામાન્ય અભિગ્રહે! પણ ધારતા હતા. તેમનાં તપ અને અભિગ્રહાની યાદી જોઈએ : વખત ), વખત ), ૪૦ ઉપવાસ, ૩૦ ઉપવાસ ( ૪૫ થી ૫૦ વખત ), ૨૦ ઉપવાસ ( ૨ ૧૬ ઉપવાસ ૧૬ વખત), ૧૪ ઉપવાસ ૧૪ વખત ), ૧૩ ઉપવાસ ( ૧૩ ૧૨ ઉપવાસ ( ૧૨ વખત ), ૧૦ ઉપવાસ ( ૨૪ વખત), ૮ ઉપવાસ ( ૨૫૦ ૩ ઉપવાસ (૧૫૦૦ વખત) અને ૨ ઉપવાસ-સિત્તેર દિવસ સુધી, જેમાં પારણે ફક્ત છાશ. વખત ), આ મુખ્ય તપાની નોંધ છે. આ ઉપરાંત પણ વિવિધ તપસ્યા તેમણે કરેલી. હવે તેમના અભિગ્રહોની યાદી જોઈ એ ઃ ખાર વર્ષ સુધી છ વિગઈ ( દૂધ, દહીં, ઘી, તેલ, ગાળ, કડા )નેા સંપૂર્ણ ત્યાગ. પાંચ વર્ષ સુધી ગમે તેવી ઠંડીમાં પણ કામળી ઓઢી નહીં. સાડા પાંચ વર્ષોં સુધી આડું પડખું કરીને સૂવાના ત્યાગ. ઉપરાંત, તપને કારણે પણ વિવિધ અભિગ્રહેા લેતા, જે પૂરા થવામાં વિલંબ પણ થાય ને તપસ્યા લંબાય. આવા એક અભિગ્રહનું વણુન રાસમાં નોંધાયું છે. શ્રી પૂજા ઋષિએ અભિગ્રહ-સંકલ્પ લીધે કે ચાર સગી બહેનેા જિનમંદિરમાંથી પૂજા કરીને પાછી વળી હોય ને ઘી વહારાવે તે વહેારવુ, અન્યથા ઘીનો ત્યાગ. અસંભવિત લાગતા આ અભિગ્રહ લગભગ ત્રણ વર્ષ પૂરા થયેા. શ્રી પૂજ્ર ઋષિ નાડા (અમદાવાદ )માં હતા ત્યારે અમદાવાદના સંઘ સાથે ત્યાં આવેલી ૪ બહેનેા – ફૂલાંદે, ગમનાદે, જીવીબહેન અને રાજલદે – પૂજા કરીને પાછી જતી હતી તે સમયે પૂજા ઋષિ ગાચર્ીએ નીકળેલા. સ ંજોગવશાત્ આ બહેને પાસે ઘી હતું અને તેઓને પૂજા ઋષિ જેવા તપસ્વીને આહારદાન દેવાની ભાવના જાગી. ચાર બહેનેાએ ઘી વહેારવા વિનતી કરી, ને આ અકલ્પ્ય અભિગ્રહ સુસ'પન્ન થયા ! આ ધન્ય અવસરના જે સાક્ષી બન્યા હશે તેના આનંદનું શુ કહેવુ... ! ! ! શ્રી પૂજા ૩૮-૩૮ વર્ષ સુધી તપ અને તિતિક્ષાની સઘન સાધના પછી નરાડા મધ્યે તેઓશ્રી કાળધર્મ પામ્યા. અમદાવાદ શામળાની પોળમાં શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં ઋષિનાં પગલાં છે, જે પરના લેખ ખેલે છે : “ સંવત ૧૭૦૮ વષે કાર્તિક સુદ ૧ શનો નિર્વાણ પામ્યા. શ્રી પાર્શ્વČચંદ્રસૂરિગચ્છે શ્રી વિમલચંદ્રસૂરિશિષ્ય શ્રી પૂજાના પાદુકા કષિત શ્ર. ૪૬ Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy