SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ શાસનપ્રભાવક ઉત્તમ ધ્યેય ખાતર ઉઠાવેલાં કષ્ટમાં ચે એક મજા હોય છે. અનુકંપથી પ્રેરાઈને ઉપાડેલા આ જંગમાં શ્રીપૂજ્યજીને ખૂબ પરેશાની અને હાલાકી વેઠવી પડી. પરંતુ, એક સુભાષિત કહે છે કે - “મહાપુનાં હદય પુષ્પથી યે કોમળ હોય છે, ને વજથી યે કાઠેર....” આ પંક્તિ શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિનાં આચરણમાં ચરિતાર્થ થતી જણાય છે. દયાથી દ્રવી ઊઠેલા સૂરિજી કષ્ટ સહેવામાં વજા શા કઠેર બની રહ્યા. અનેક પ્રતિભાવંત સૂરિઓ | મુનિઓએ તેમના ઉપદેશ વડે શાસકો દ્વારા અમારિ– અભયદાનની ધર્મપ્રવૃત્તિ વિશાળ પાયા પર કરાવ્યાંના દષ્ટાંતે શ્રમણપરંપરામાં ઠેર ઠેર વેરાયેલાં છે, પણ જીવદયા કાજે જાતે જગમાં ઊતરી, વિધમી—વિદેશી સત્તાની સામે જેહાદ જગવીને શ્રી હેમચંદ્રસૂરિજીએ એમાં એક એર સુવર્ણપૃષ્ઠને ઉમેરે કર્યો છે (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ.) પરમ તપસ્વી શ્રી પૂજા ઋષિ જેન શ્રમણ આત્મશુદ્ધિને કાજે જે દૈનિક આરાધના–આચરણ કરે છે તે પણ સંસારીજનને આશ્ચર્યચક્તિ કરવા માટે પૂરતાં છે. એમાં યે તીવ્ર મુમુક્ષાથી પ્રેરાયેલા કેઈ મુનિવર જ્યારે ઉત્કૃષ્ટ કક્ષાનું ધર્માચરણ કરે છે ત્યારે વિશાળ જનસમુદાય તેનાથી અત્યંત પ્રભાવિત થાય છે. અસામાન્ય પરિશ્રમ, પરાક્રમ કે પરમાર્થની પ્રવૃત્તિ જોઈને જનતા ધર્મ વિશે ગંભીરતાથી વિચારતી થઈ જાય છે અને ધર્માભિમુખ બની રહે છે. વિશિષ્ટ કક્ષાનાં તપ, જ્ઞાન, વિદ્યા કે વર્તુત્વ જેવા ગુણો દ્વારા જિનશાસનની “ પ્રભાવના કરનારા આ મહાપુરુષને “પ્રભાવક” કહેવામાં આવે છે. તપસ્યા” એ પ્રભાવનાનું એક અસરકારક માધ્યમ છે. શ્રી દંઢણ ઋષિ, શ્રી ધન્ના અણગાર જેવા પુરાણકાલીન તપસ્વીઓના પવિત્ર નામે આજે પણ જેને પ્રાત:કાળે ભક્તિભાવે સ્મરે છે. શ્રી મુનિચંદ્રસૂરિ, શ્રી પદ્મપ્રભસૂરિ, શ્રી જગચંદ્રસૂરિ, શ્રી ખીમસુષિ વગેરે તપસ્વી મુનિઓ ઇતિહાસ પ્રસિદ્ધ છે. ચંપાબાઈ જેવી શ્રાવિકાઓ તપસ્યાને લીધે ઇતિહાસ સજી ગઈ છે. આવા જ એક અદ્ભુત તપસ્વી હતા શ્રી પૂજા ત્રષિ. વિક્રમની સત્તરમી સદીમાં વિદ્યમાન આ મહાતપસ્વીના ઉગ્ર તપ અને અદ્ભુત અભિગ્રહો જતાં તેમને પંચમકાળના ધન્ના અણગાર જ કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન જ રચાયેલા બે પાસ દ્વારા તેમનાં તમય જીવનને પ્રમાણભૂત ઇતિહાસ મળી શક્યો છે. એક રાસ ખરતરગચ્છીય પ્રસિદ્ધ કવિવર શ્રી સમયસુંદર ગણિએ વિ. સં. ૧૯૯૮માં રચ્યો છે. આ રાસ દ્વારા શ્રી પૂંજા બષિના તપની અભાવભરી અનુદના કરીને શ્રી સમયસુંદર ગણિએ ઉચ્ચ કોટિના ગુણાનુરાગ તથા ધર્મસ્નેહનું મનોરમ દર્શન કરાવ્યું છે. બીજે રાસ પાર્ધચંદ્રગચ્છીય શ્રી દલભટ્ટમુનિએ સં. ૧૬૯માં રચ્યો છે. આ બે રાસમાં શ્રી પૂજા ઋષિના તપની તેજસ્વી તવારીખ પ્રાપ્ત થાય છે. એ તવારીખ ટૂંકમાં જોઈએ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy