SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૩પ૦ આ પ્રકરણથી જેનસમાજમાં ભારે હલચલ મચી ગઈ. માંડલ, વિરમગામ અને અમદાવાદના જેનેએ આ કેસ લડવા કમર કસી. મુંબઈના તે વખતના શ્રેષ્ઠ વકીલ મિ. બ્રાન્સનને કેસ લડવા માટે રોકવામાં આવ્યા. ઇવિઝાર્ડ અને એન્ડરસન, જેમણે આ આખું કમઠાણ રચ્યું હતું, તેમની ઊલટીસૂલટી જુબાનીમાં કેસ પહેલેથી જ પાંગળ થઈ ગયે. મિ. બ્રાન્સનની ઊલટ તપાસમાં દેખાઈ આવ્યું કે કેસની બધી વિગતે કલ્પિત છે. ખૂનના પ્રયાસને આપ ઊડી ગયે, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ, જેમણે આ કેસની તપાસ કરી હતી તેમણે માર માર્યાને ન આરોપ મૂકવા સેશનકેટને સૂચના કરી, પણ ન્યાયાધીશ ફિલપર્સે તે નકારી કાઢી; અને બ્રાન્સન બચાવપક્ષની દલીલે શરૂ કરે તે પહેલાં જ ચૂકાદો આપી દીધું કે ગુને સાબિત થતો નથી; સાક્ષીઓની જુબાનીઓમાં તથ્ય નથી, તેથી આ કેસ આગળ ચલાવવાનું કેઈ કારણ નથી; તહોમતદારને નિર્દોષ છોડી મૂકવામાં આવે. આમ, એક ધર્મયુદ્ધને અંતે શ્રીપૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી વિજેતા બનીને બહાર આવ્યા ત્યારે અમદાવાદના જેનેના આનંદનો પાર ન રહ્યો. સૂરિજીને મ્યાનમાં બેસાડીને વાજતેગાજતે કોર્ટમાંથી ઉપાશ્રયે લઈ જવામાં આવ્યા. આ કેસ તરફ આખા ભારતવર્ષનું ધ્યાન ખેંચાયું હતું. બોમ્બે ગેઝેટ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈ સમાચાર, અમૃત બજાર પત્રિકા વગેરે મુખ્ય સમાચારપત્રોએ આ કેસની વિસ્તૃત છણાવટ કરી હતી. ૧પમી ઓગસ્ટ, ૧૮૮૨ના “મુંબઈ સમાચાર માં લખ્યું છે કે, “વિરમગામના ગોરજી મહારાજવાળે મુક ઊડી ગયેલે જેવાથી હમેને કશી અજાયબી લાગતી નથી. તે પરથમથી જ શક ભલે લાગતું હતું. અને વાદીની કાયદા વિરુદ્ધની વરતણુંક શુરૂઆતથી જ ખુલી રીતે દેખાતી હતી. સરાવક લેક પ્રાણહત્યા કરવાથી એટલા તે દૂર રહેનારા છે કે દાંત પરના મેલમાં થતાં અણદીઠ જીવડાં મરણ ન પામે માટે તેઓમાંના કેટલાક તે વરસમાં ચિક્કસ વખત દાતણવટીકા કરતા નથી. માંકડ, ચાંચડ અને મચ્છર સરખાં પીડાકારી જંતુઓ તેમને ગમે એટલે કંટાલ આપે અને જોઈએ તેટલાં તેમને કરડી ખાય તે પણ તેમને વટીક મારવાને તેઓ હાથ ઊંચકતા નથી....' અમૃતબજાર પત્રિકામાં જણાવાયું કે, તપાસ કરનાર મેજિસ્ટ્રેટ અંગરેજ, ફરિયાદી અંગરેજ, સાહેદ અંગરેજ છે. તેથી સંપૂરણ ત્રણે દેવ એક થયા. ગોરજી પર તહોમત મૂક્યું. અને કેસ સેશન્સ કમિટ કર્યો. સેશન્સ જડજે મહારાજને છોડી મૂક્યા. પણ એમ ન ઠરાવ્યું કે આ કેસ બિલકુલ જૂઠે છે. એમ ઠરાવ્યું હતું તે ઇવિઝાર્ડને શિક્ષા થાત....મહારાજ ઉપર આ ગેરીયત ગુજરી તેને બદલે વળનાર નથી.... મહારાજ ઊંચી પંક્તિના છે. ઈંગ્લાંડના એક અમીર પર તેના માણસે ભાવ રાખે તેના કરતાં તેમના પર તેમના માણસે વિશેષ ભાવ રાખે છે. આવા માણસ પર હંગામે કરવામાં આવ્યું છે અને તેમને ભારે નુકસાન કરવામાં આવ્યું છે. એન્ડરસન તેની જુબાનીમાં કહે છે કે “મહારાજ કેદમાં રહેવાથી ઘણા લેવાઈ ગયા છે.” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy