SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શાસનપ્રભાવક ભટ્ટારક શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મહારાજ મારવાડના સેત્રાવનગરમાં જન્મ. શ્રી શત્રુંજય મહાતીર્થની છાયામાં પાલીતાણામાં દીક્ષા. સં. ૧૮૭૭માં શ્રી વિજય જિનેન્દ્રસૂરિએ શિહીમાં સૂરિપદે સ્થાપ્યા. વિ. સં. ૧૮૮૪ના માઘ સુદિ ૧ના ભટ્ટારકપદે સ્થાપન થતાં ઉદયપુરના મહારાણુ ભીમસિંઘજી યુવાનસિંઘજીએ અંગીર, ચામર, છડી, દુશાલા અને પાલખી મોકલી. મહારાજા શિવસિંઘજીએ પણ દુશાલા આદિ મોકલ્યા. પ્રતિષ્ઠાલે સં. ૧૯૨૪ સુધીના મળે છે, તેમના પટ્ટધર શ્રી વિજયધરણેન્દ્રસૂરિ થયા. (પૂ. ભટ્ટારની ટૂંક નોંધના સંકલનર્તા: કરમશી ખેતશી ખાના) ભટ્ટારક શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજ યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્ધચંદ્રસૂરિના ક્રિયદ્વાર પછી તેમની પરંપરામાં શિથિલાચારે ધીમે ધીમે ફરી પ્રવેશ કર્યો. ફરી યતિઓનું સામ્રાજ્ય વ્યાપી વળ્યું. આ કમ બીજા દરેક ગચ્છની પરંપરામાં સમાન રૂપે જોવા મળે છે. એક વર્ષ પહેલાં એક સંક્રાન્તિકાળ આવ્યું અને “સંવેગી” શ્રમણ પરંપરાએ ફરી વેગ પકડ્યો. શ્રી પાર્શ્વ ચંદ્રગચ્છની પટ્ટાવલીમાં એકેતેરમી પાટે આવેલા શ્રી હર્ષચંદ્રસૂરિ “યતિ” અને “સવેગી” -- બંને પરંપરાઓને જોડતી કડી જેવા હતા. તેઓ “શ્રીપૂજ્ય એટલે કે ગચ્છાધિપતિ “ ભટ્ટારક” યતિ આચાર્ય હતા પરંતુ તેમનું અંતઃકરણ સંવેગમાર્ગ તરફ ઢળેલું હતું. યતિવર્ગ તેની શિથિલતામાંથી મુક્ત થઈ, શુદ્ધ સંયમજીવનમાં સ્થિર થાય એવી તેમની હાદિક ભાવના હતી. યતિઓ ઘણી છૂટછાટો ભેગવતા હતા. શ્રીપૂજ્ય આડંબર તે તેથી યે વધુ રહેતું. શ્રી હર્ષચંદ્રસૂરિજીએ એમાં સુધારો કર્યો. શ્રી કુશલચંદ્રજી તથા શ્રી અગરચંદ્રજી નામના પિતાના બે શિષ્યને સંવેગમાર્ગે વિહરવાની આજ્ઞા આપીને પાચંદ્રગ૭માં “દ્ધિાર ”ને માર્ગ મોકળો કરી આપે. - તેઓશ્રી વિશાળ યતિસમુદાયના નેતા હતા. સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હોવા ઉપરાંત, ઉદાર હૃદયી અને જૈનશાસનમાં એક અગ્રણી આચાર્ય તરીકે સમસ્ત જૈનસંઘમાં અતિ આદરભર્યું સ્થાન ધરાવતા હતા. તપાગચ્છીય શ્રી મૂળચંદજી મહારાજ વગેરે અગ્રણે “સંગી” મુનિઓ તેમની પાસે અધ્યયન કરતા. શ્રી અક્ષયચંદ્રજી નામે તેમના એક શિષ્ય અત્યંત વિદ્વાન હતા. શ્રી મૂળચંદજી મહારાજની વિનંતીથી એક ચોમાસામાં અક્ષયચંદ્રજીને અમદાવાદ રાખ્યા હતા, જેથી શ્રી મૂળચંદજી મહારાજનું અધ્યયન વિના વિક્ષેપે ચાલુ રહ્યું. અધ્યાત્મજગતના એક મહાપુરુષ શ્રી કપૂરવિજયજી ‘ચિદાનંદજી” મહારાજ શ્રી હર્ષચંદ્રસૂરિના અંતરંગ મિત્ર હતા. બંગાળના વિખ્યાત જગતશેઠને પરિવાર તેમને પિતાના “ગુરુ” લેખ. બંગાળના એવા જ એક જાજરમાન શ્રેષ્ઠી બાબુ પ્રતાપસિંહ અને નવલખા જસરૂપ મહેરચંદ સૂરિજીના પરમ ભક્ત હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy