SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૫ ભટ્ટારક શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તેઓશ્રીને જન્મ મેવાડના રૂપનગરમાં ઓશવાલ પ્રેમચંદ સુરાણાની પત્ની પાટમની કુક્ષીએ થયો હતો. વિ. સં. ૧૮૦૩ના માગશર સુદ પાંચમે ઉદયપુરમાં વિજ્યદયસૂરિએ તેમને આચાર્ય પદ પ્રદાન કરી વિજયધર્મસૂરિ નામથી જાહેર કર્યા હતા. સં. ૧૮૦૯હ્માં મારવાડના કછોલી ગામમાં તપાગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૮૨૬માં સુરતવાસી કચરાભાઈ તારાચંદે શ્રી શત્રુંજયગિરિ પર એમના હસ્તક ઘણું જિનબિઓની પ્રતિષ્ઠા કરાવી. તેમણે ભુજના અધિપતિના અન્યાય મટાડીને, તેને મઘમાંસને ત્યાગ કરાવી, જિનમાર્ગ અનુયાયી બનાવ્યો હતો. શ્રી વિજયધર્મસૂરિની નિશ્રામાં મંદી પ્રેમચંદ લવજીએ વિ. સં. ૧૮૩૭ના પિષ સુદિ બીજને દિવસે સુરતથી શ્રી શત્રુંજય તીર્થને જલ–સ્થલ માર્ગને નાન સંઘ કાવ્યો હતે. અને તેઓશ્રીના ઉપદેશથી શત્રુંજય તીથે એક મોટું જિનાલય બંધાવવાને નિર્ણય કર્યો હતે. પૂજ્યશ્રી સં. ૧૮૪૧ના માગશર વદ ૧૦ના દિવસે મારવાડના બસુંદી નગરે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. મેડતા મધ્યે સં. ૧૮૪૧માં ભંડારી ભવાનદાસે બે હજારના ખર્ચે નિર્વાણમહત્સવ કર્યો હતો. ભટ્ટારક શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મહારાજ મારવાડમાં શુદ્ધદંતિ (સેજલ)માં મહેતા હરખચંદની ધર્મપત્ની ગમનાબાઈની કુક્ષીએ સં. ૧૮૦૧માં એમને જન્મ થયે હતો. સં. ૧૮૧૭માં દીક્ષા થઈ. સં. ૧૮૪૧ના માગશર સુદ પાંચમને દિવસે આચાર્યપદે અને સં. ૧૮૪૧ના મહા સુદ ૧૦ને દિવસે તપાગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા. સુરતના સંઘવી પ્રેમચંદ મેદીએ તેમના ઉપદેશથી શ્રી શત્રુંજય ગિરિ પર બંધાવેલાં બાવન જિનાલયમાં સં. ૧૮૪૩ના માઘ સુદ ૧૧ના દિવસે અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. પાટણમાં સહસકૂટ આદિ બે હજાર જિનબિંબની સં. ૧૮૫૭ના મહા સુદ ૭ દિને પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૬૦ના વૈશાખ સુદ પાંચમે સુરતમાં શા. પ્રેમચંદ ઓશવાલ અને અન્ય અનેક શ્રેષ્ઠીવર્યો દ્વારા નિર્મિત જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી વિજય જિનેન્દ્રસૂરિના વરદ્ હસ્તે થઈ હતી. . ૧૮૫રમાં તેઓશ્રીની અધ્યક્ષતામાં ૧. મેદી પ્રેમચંદ લવજી સુરતી, ૨. શા. ગેવિંદજી મસાલિયા રાધનપુરી અને ૩. લીંબડીના દિવાન શેઠ ઉદયરામજીએ ત્રણેએ મળીને ગુજરાતના મેરવાડાને ગેડી પાર્શ્વનાથને દરી પાળા યાત્રા સંઘ કાઢ્યો હતે. તેઓશ્રી સં. ૧૮૮૪ના પિષ વદિ ૧૧ના શિરોહીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy