SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૩૫૭ આત્મસાધના અર્થે તેમણે પાલીતાણામાં ખાર વર્ષ સ્થિરવાસ કર્યાં હતા. તે નિત્ય એકાસણું કરતા. તેમની પાન-પાઠનની કળા ઉત્તમ હતી, જેથી જૈન-જૈનેતર સ વિદ્યાના તેમની પાસે આવતા. સંન્યાસીએ યાગી પણ સૂરિજી સાથે સપર્ક રાખતા. તે સમયના જૈનધર્મના અગ્રણીએ તેમનું માČદન લેતા. તેઓશ્રીની જન્મભૂમિ સાધાસર, દીક્ષા વિ. સં. ૧૮૮૧. આચાર્યપદ અને ભટ્ટારકપદ સ’. ૧૮૮૩. સ. ૧૯૧૩ના ફાગણ વદ ૧૪ના દિવસે શ ખેશ્વર મુકામે તેમના સ્વર્ગવાસ થયેા. તેમના અંતિમ સ`સ્કારસ્થળે શખેશ્વર પેઢી હસ્તકના બગીચામાં એક સુંદર છત્રીમાં તેમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં, જે આજે પણ વિદ્યમાન છે. ( સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મ. ) • અમારિ ’ના અનેાખા આરાધક શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છ ( શ્રી પાર્શ્વચંદ્રગચ્છ )ની પટ્ટાવલીના ૭રમા સ્થાને આવતા શ્રીપૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના નામ સાથે જીવદયાની એક શૌય ભરી ઘટના જોડાયેલી છે. આજથી સે। વર્ષ પહેલાં જ્યારે હિંદ બ્રિટીશ રાજ્યનું એક સંસ્થાન માત્ર હતું, સ્વાતંત્ર્યની સંભાવના તેા શું, કલ્પના યે હજી શકય ન હતી, ભારતીય પ્રજા અગ્રેજોની જોહૂકમી મૂંગે મેએ સહન કરી લેતી હતી, એવા સમયે જીવદયાના પ્રશ્નને એક અંગ્રેજ અમલદારની સાથે મુકાબલા કરવાના કારણે શ્રી હેમચંદ્રસૂરિજીને ભારે સતામણી વેઠવી પડી હતી. એ કસેાટીમાંથી ગૌરવભેર પસાર થઇ ને તેમણે સમસ્ત હિંદનાં પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત કર્યાં હતાં. શ્રી હેમચંદ્રસૂરિજી ‘ શ્રીપૂજ્ય ’ ( યતિ–આચાય ) હતા. તેમની જન્મભૂમિ કોડાય ( કચ્છ ). વિ. સ. ૧૯૧૫માં દીક્ષા લીધી. તે પછી થેાડા જ દિવસમાં તેમણે · શ્રીપૂજ્ય 'ની પદવી મેળવી. એ સમયમાં શ્રીપૂજ્યેાને ફાડમાડ રાજા જેવા રહેતા. શ્રીપૂયાને પાલખી, છડીદાર, અન્ય સેવકો અને વિવિધ મિલકતા કે લાગા લેવાનારાખવાના અધિકાર હતા. રાજાએ તરફથી અને જ્યાં બ્રિટીશ હકૂમત હતી ત્યાં તે તે પ્રદેશના ગવન રા તરફથી તેમને બંદૂક, તલવાર જેવાં શસ્ત્રા, અલબત્ત, શાભા અને સન્માનના પ્રતીક રૂપે રાખવાના પરવાના મળતા. શ્રી હેમચંદ્રસૂરિજીની સાથે પણ આવા છડીદાર અને બંકધારી સિપાઈ આ રહેતા. વીરમગામ પાસે બે-ત્રણ મેટાં તળાવા આવેલાં છે. તેમાં ગંગાસર નામે એક વિશાળ તળાવ હતું. આજે પણ છે. એમાં હુંમેશા માછલીઓ અને જળચર પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતા. આ તળાવ પર શિકાર કરવાની રાજ્ય તરફથી મનાઈ હતી. દેશી પ્રજાના આવા નિયમે પાળવાની અંગ્રેજ બહાદ્રેશને શી જરૂર ! એવા કેાઈ ખ્યાલથી હ લી દિવઝા નામે ૨૩ વર્ષના એક અંગ્રેજ, જે મીઠા ખાતાના ઇન્સપેક્ટર હતા, તે આ ગંગાસર તળાવ પર પક્ષીઓને સરેઆમ શિકાર કરતા, માછલાં પકડતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy