SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે ભીમે કરેલાં જિનપ્રાસાદમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી. નવખંડ પાર્શ્વનાથના દર્શન કર્યા. પછીનું એક ચાતુર્માસ પાટણમાં અને બે ચાતુર્માસ રાધનપુરમાં નિર્ગમન કર્યા. સં. ૧૮૨૧નું ચાતુર્માસ સિદ્ધપુરમાં કરીને અમદાવાદ થઈ સુરત પધાર્યા. ત્યાં શેઠ શ્રી તારાચંદને ૨૯૫ જિનબિંબની સિદ્ધાચલમાં પ્રતિષ્ઠા કરવાની ભાવના થઈ તેથી તેઓ શત્રુંજયે આવ્યા. પં. પદ્યવિજયજી ગણિએ સાણંદ, અમદાવાદ, વિસનગર, પાટણ, લીંબડી, રાધનપુર આદિ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને ઉપધાન વહેવરાવ્યાં, માસક્ષમણની તપસ્યાઓ કરાવી, સંઘે કાઢડ્યા, પ્રતિષ્ઠા–મહેન્સ ઉજવ્યા, દેશનાઓ આપી, વ્યાખ્યાને જ્યાં, વાદવિવાદોમાં જય પ્રાપ્ત કર્યો. આ શાસનપ્રભાવનામાં સં. ૧૮૫૪ના મહા વદ પાંચમ ને સોમવારે શ્રીમાળી જ્ઞાતીય શેઠ લક્ષ્મીચંદે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮પ૭માં સમેતશિખરના જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપી ખેમાં બાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યું. આ બધી તેઓશ્રીની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. સં. ૧૮૫લ્માં પૂજ્યશ્રી ચાતુર્માસ માટે અમદાવાદ પધાર્યા. ત્યાં તેમના મસ્તકના અધ ભાગમાં વ્યાધિ લાગુ પડ્યો. છતાં તેમને સમાધિ રહેતી. અહીં ૨૮ દિવસ સુધી ‘ઉત્તરાધ્યયનસૂત્ર”ની આરાધના કરી. સં. ૧૮૬રના ચૈત્ર સુદ ૮ ને બુધવારે અનશન સ્વીકારી દેહત્યાગ કર્યો. પ. પદ્મવિજ્યજી ગણિને દીક્ષાપર્યાય પ૭ વર્ષના હતું. તેઓ સમર્થ વિદ્વાન, ચતુર વ્યાખ્યાતા અને કુશળ કવિ હતા. તેમણે પપ૦૦ નવા કલેકેની રચના કરી. તેઓ સમકાલીનેમાં પદ્મદ્રહ” તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે “યાનંદ કેવલિચરિતને સંસ્કૃત ગદ્યમાં અવતાર્યું. વિરજિનસ્તુતિગર્ભિત-ચોવીસ દંડક સ્તવન, “સિદ્ધદંડિકાસ્તવન”, “વીસ જિનકલ્યાણક સ્તવન”, “સમરાદિત્ય કેવલિરાસ”, “નિમિનાથ રાસ ”, “ઉત્તમવિજય નિર્વાણ રાસ” આદિ કાવ્યની રચના કરી હતી. આ ઉપરાંત, અનેક સ્તવને, સજઝા, સ્તુતિઓ, પૂજાઓ અને દેવવંદનમાલાની રચનાઓ કરી હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૪માંથી સાભાર.) ઓગણીસમી સદીના ઉત્તમ કવિ અને મહાન સાક્ષર; તપગુણુભારધારક પૂજ્ય પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ પૂ. પંન્યાસ શ્રી રૂપવિયજી ગણિની ગૃહસ્થાવસ્થાની કઈ માહિતી મળતી નથી. તેમણે ક્યારે દીક્ષા લીધી, કયારે પંન્યાસ બન્યા, તેમને સ્વર્ગવાસ ક્યારે થયે વગેરે હકીકતો પ્રાપ્ત થતી નથી. આમ છતાં, તેઓ ૧લ્મી સદીમાં વિદ્યમાન હતા તેના પૂરાવાઓ મળે છે. તેઓ પં. સત્યવિજય-ખિમાવિજ્ય-જિનવિજય-ઉત્તમવિજ્યના શિષ્ય અને રસસિદ્ધ કવિ તેમ જ અનેક ગ્રંથના નિર્માતા શ્રી પદ્મવિયના શિષ્ય હતા. તેઓ સમર્થ વિદ્વાન અને વૈદકશાસ્ત્રમાં નિપુણ હેવાને લીધે ખૂબ કીર્તિવાન બન્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy