SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શાસનપ્રભાવક ઉપર કેસ માંડેલ, તે કેસમાં ધર્મચર્ચા કરવા કવિશ્રી વીરવિજયજીએ ભાગ લીધે હતો અને વિજય મેળવ્યું હતું. સં. ૧૯૦૮માં ભાદરવા વદ ૩ના દિવસે તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. અમદાવાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે પણ પાંખી પળાય છે. સં. ૧૯૦૯ના મહા સુદ ને દિવસે તેઓશ્રીની પાદુકાની ભઠ્ઠીની બારીના ઉપાશ્રયે સ્થાપના કરવામાં આવી હતી. (પંડિત શ્રી વીરવિજયજી મહારાજ જીવનચરિત્ર”ની પુસ્તિકામાંથી સંકલન : કરમશી ખેતશી બેના.) જેમનાં સ્તવન–સ્તુતિઓ અને અષ્ટપ્રકારી પૂજાઓ આજે પણ જૈનમંદિરમાં રસપૂર્વક ગવાય છે તે વીતરાગના સાધક પૂ. પંન્યાસ શ્રી પવવિજ્યજી ગણિ જૈની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ શહેરમાં શામળાની પિળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતા હતા. તેમની ધર્મપત્ની ઝમકુબાઈ એ સં. ૧૮૬૨ના ભાદરવા સુદ બીજને દિવસે એક પુત્રને જન્મ આપ્યું. પુત્રનું નામ પાનાચંદ રાખવામાં આવ્યું. પાનાચંદ સાત વર્ષે ભણવા બેઠે. અગિયાર વર્ષની વયે ભણી-ગણીને વ્યવહારકુશળ બને. પાનાચંદને જીવીબાઈ નામે માસી હતી, તે ધર્મક્રિયામાં ખૂબ પ્રવીણ હતી. જીવવિચાર, નવતત્ત્વ તેમ જ ચરિત્ર વગેરેમાં ખૂબ પારંગત હતી. તેણે પિતાના ભાણેજ પાનાચંદને ધાર્મિક સંસ્કાર આપવા માંડ્યા. તેરમે વર્ષે તે માસાની સાથે પં. ઉત્તમવિજયજી ગણિનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં “પ્રજ્ઞાપનાસૂત્ર” અને “બાષભદેવનું ચરિત્ર” વંચાતું હતું. તેમાં મહાબલ મુનિને અધિકાર આવ્યો. એ સાંભળીને પાનાચંદનું હદય વૈરાગ્યવાસિત થયું. સં. ૧૮૭૫માં મહા સુદ પને દિવસે, માતાપિતાની આજ્ઞા મેળવી, પાનાચંદે ૧૪ વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ મુનિ પદ્ધવિજ્યજી રાખ્યું. - શ્રી પદ્મવિજ્યજીએ મુનિજીવનના આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથને અભ્યાસ કર્યો. વ્યાકરણાદિમાં નિષ્ણાત મુનિ શ્રી સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદ, અલંકાર આદિ શાને અભ્યાસ કરાવ્યું. ગીતાર્થ મુનિ પાસે અંગે પાંગ, આગમગ્રંથ, પાંચ કર્મ , કમ્મપયડી વગેરે શારે ભણીને પ્રવીણતા પ્રાપ્ત કરી. તપાગચ્છના પટ્ટધર આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં શ્રી પદ્યવિજયજીને પંન્યાસ પદવી આપી. ત્યાર બાદ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી. ત્યાંથી શત્રુંજય થઈ ભાવનગર આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહદ્ કલ્પસૂત્રની ટીકાની વાચના આપી. સં. ૧૮૧૩ અને સં. ૧૮૧૪નાં ચોમાસાં સુરતમાં ર્યા. અહીં સુરતના શેઠ તારાચંદે ઉપધાન વહેવરાવ્યાં. સં. ૧૮૧૫ અને સં. ૧૮૧૬નાં ચાતુર્માસ બહેરાનપુરમાં ગાળ્યાં. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી. ત્યાંથી પાલીતાણું આવીને શેઠ રૂપચંદ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy