SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શાસનપ્રભાવક જીવનચરિત્રની ટૂંકી નોંધ લખી હતી. સુરતના સંઘવી તારાચંદે શત્રુંજય તીર્થને છરી પાળા સંઘ કાવ્યો તેમાં અન્ય મુનિવર સાથે પં. ઉત્તમવિજય ગણિ પણ હતા. તેમણે સં. ૧૮૨૭ના પિષ સુદ ૧૪ના રોજ શત્રુંજય તીર્થમાં “શત્રુંજય તીર્થનું સ્તવન” રચીને તેમાં આ યાત્રાસંધનું ઐતિહાસિક વર્ણન કર્યું હતું. તે જ વર્ષે મહા સુદ ૮ ને રવિવારે તેઓ કાળધર્મ પામ્યા હતા. આ સમયગાળામાં પં. ઉત્તમવિજય ગણિ નામના ઘણા વિદ્વાન મુનિઓના ઉલેખે મળે છે. તેથી કેટલીક ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. ઉપરોક્ત માહિતી જ સાધાર છે. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ” ભાગ-૪માંથી સાભાર.) “શિયળવેલ” કાવ્યરચના વડે જેઓ જૈન-જૈનેતરામાં પરમ પ્રસિદ્ધિને પામ્યા એ કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ અમદાવાદ શહેરના ઘીકાંટા નજીકના શાંતિદાસના વાડામાં એક જિગ્નેશ્વર નામના ઔદિચ્ય બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ વીજ કેરબહેન હતું. તેઓને ગંગા નામે પુત્રી અને કેશવરામ નામે પુત્ર હતાં. કેશવરામને જન્મ સં. ૧૮૨૯ના આસો સુદ ૧૦ના રોજ થયો હતો. કેશવરામના લગ્ન રળિયાતબેન સાથે થયા હતા. કેશવરામના પિતા સ્વર્ગવાસી થયા, ત્યાર બાદ એક વખત તે ભીમનાથ ગામે ગયા. દરમિયાન તેમના અમદાવાદના ઘરમાં ચોરી થઈ કેશવરામ ઘેર પાછા આવ્યા ત્યારે તેની માએ તેને ઠપકો આપ્યો, અને આવેશમાં આવી જઈ નહિ કહેવાના શબ્દો કીધા. કેશવરામ આ વાકબાણ સહન ન કરી શક્યા ને ઘર છોડીને ચાલી નીકળ્યા. માને ઘણો પસ્તાવો થયે. ઘણી શોધખોળ કરી પણ કેશવરામનો પત્તો લાગે નહીં. માતાને પતિના મૃત્યુનું દુઃખ તો હતું જ; એમાં પુત્રને વિયેગ થતાં વધુ વ્યાકુળ બની અને એ જ અવસ્થામાં બે મૃત્યુ પામી. કેશવરામની પત્ની રળિયાતનું શું થયું તેની કાંઈ વિગત મળતી નથી. ત્યાર બાદ કેશવરામ રોચકા ગામે ગયા. ત્યાંથી ભીમનાથ જઈ શ્રી શુભવિજયજી મહારાજને મળ્યા. તેમની પાસેથી તેણે જેનધર્મનું જ્ઞાન મેળવ્યું. તેમની સાથે પાદવિહાર કરતાં તે પાલીતાણા આવ્યા. શત્રુંજય તીર્થની યાત્રા કરી. આથી તેને જૈનધર્મ પ્રત્યે અત્યંત લાગણી થઈ. અને પાલીતાણાથી ખંભાત જતાં, માર્ગમાં પાનસર ગામે સં. ૧૮૪૮ના કાર્તિક વદમાં ગુરુ મહારાજ શ્રી શુભવિજયજીએ તેમને દીક્ષા આપી, અને પિતાના શિષ્ય વીરવિજ્યજી તરીકે ઘોષિત કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે પંચપ્રતિક્રમણ, કર્મગ્રંથ, સંસ્કૃત, છે દર્શન અને પાંચ કાવ્યને અભ્યાસ કર્યો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy