SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક સંયમજીવનમાં દિવ્યતા પ્રગટાવનાર; મહાજ્ઞાની પુરુષ પૂ. પંન્યાસ શ્રી જિનવિજયજી ગણિ - અમદાવાદમાં વસતા શ્રીમાળી શા. ધર્મદાસની પત્ની લાડકુંવરની કુક્ષીએ સં. ૧૭૫રમાં એક પુત્રરત્ન જન્મ્યો, જેનું નામ પાડવામાં આવ્યું ખુશાલ. બાળકે પ્રાથમિક શાળાનું વ્યાવહારિક શિક્ષણ લીધું. આ અરસામાં પં. ક્ષમાવિજયજી ગણિ વિહાર કરતાં કરતાં અમદાવાદ પધાર્યા રાયચંદ નામના શ્રેષ્ઠી તેમના ભક્ત હતા, જે શામળાની પળમાં રહેતા હતા. એઓ દેશ-વિદેશને વેપાર ખેડતા, પણ પગમાં પગરખું પહેરતાં નહીં. હંમેશા ગરમ પાણી પીતા. આ રાયચંદભાઈની પ્રેરણાથી ખુશાલ તેમની સાથે પં. ક્ષમાવિજ્યજી ગણિનો ઉપદેશ સાંભળવા ગયો. ગુરુના ઉપદેશથી ખુશાલનું મન વૈરાગ્યવાસિત થયું. તેણે ગુરુને દીક્ષા આપવા વિનંતી કરી. ગુરુએ સંયમની કઠોરતા સમજાવી. ચારિત્રના કઠોર માર્ગ પર વિચરવાની ખુશાલે તૈયારી બતાવી. માતાપિતાની રજા લઈને સં. ૧૭૭૦ના કાતિક વદ ૬ ને બુધવારે ખુશાલે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ જિનવિજય રાખવામાં આવ્યું. અમદાવાદથી ગુરુ સાથે વિહાર કરતાં મુનિશ્રી જિનવિજ્ય પાટણ આવ્યા. પાટણના અગ્રણી શ્રાવક ત્રાષભદાસે સં. ૧૭૭૪માં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સમયે પં. ઉત્તમવિજયજી અને પં. ક્ષમાવિયજી વિદ્યમાન હતા. તેઓશ્રીની સાથે મુનિશ્રી જિનવિજયજી હતા. તેમણે પાટણમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૭૭પમાં શ્રાવણ વદ ૧૪ ને સોમવારે પં. કપૂરવિજયજી સ્વર્ગવાસ પામ્યા સં. ૧૭૮૨માં પિતાની પાટે શ્રી જિનવિજયજીને સ્થાપીને ૫. ક્ષમાવિયજી ગણિ પણ સ્વર્ગવાસી થયા. ત્યાર પછી પૂ. શ્રી જિનવિજ્યજીએ અનેક સ્થળોએ વિહાર કર્યો. અમદાવાદથી વિહાર કરતાં ભાવનગર થઈ ઘોઘા પધાર્યા. ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી શંખેશ્વરની યાત્રા કરી પાટણ પધાર્યા. તેમની નિશ્રામાં પાટણથી આબુની યાત્રાને સંધ નીકળે. ત્યાંથી સિનેહી, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, નાડેલ, નાડલાઈની યાત્રા કરીને ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી પાટણ આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. પછી શંખેશ્વરની યાત્રા કરી અને નવાનગર, ગિરનાર, શત્રુંજય થઈ ભાવનગર પધાર્યા. અહીં અમદાવાદથી આવેલા ત્રણ દીક્ષાર્થીઓને દીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ આવી ચાતુર્માસ કર્યું. ત્યાંથી સુરત ચાતુર્માસ માટે પધાર્યા. સુરતથી ગંધાર, આમોદ, જબુસર થઈને પાદરા ચાતુર્માસ અથે પધાર્યા. તેઓશ્રીનું સંયમજીવન ખૂબ ઉમદા કેટિનું હતું. છેલ્લે પાદરામાં આઠ દિવસ બીમાર રહ્યા. સં. ૧૭૯૯ના શ્રાવણ સુદ ૧૦ ને મંગળવારે ૪૭ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. અહીં કિસન નામના શ્રાવકે તેઓશ્રીના અગ્નિસંસ્કારના સ્થળે શૂભ બનાવ્યું. તેઓશ્રી પં. ક્ષમા વિજયના શિષ્ય હતા અને મોટા કવિ હતા. તેમણે સં. ૧૭૧૯માં વડનગરમાં “ કપૂરવિગણિ રાસ”, સં. ૧૭૮૬માં “પં. ક્ષમાવિજય રાસ', સં. ૧૭૮માં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy