SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૩૪૩ મુનિવરની દેશના સાંભળવા ખેમચંદ ગયા અને તેમની વૈરાગ્યમય વાણીથી રંગાઈ ગયા. તેણે પન્યાસજીને દીક્ષા આપવા વિનંતી કરી. સં. ૧૭૪૪ના જેઠ સુદ ૧૩ને દિવસે શ્રી વૃદ્ધિવિજયજી ગણએ ખેમચંદને દીક્ષા આપી અને મુનિ ક્ષમાવિજયજી નામે ઘેષિત કર્યાં. શ્રી ક્ષમાવિજયજી દીક્ષા ગ્રહણ કરીને એક બાજુ સિદ્ધાંતશાસ્ત્રના અભ્યાસમાં રત રહેવા લાગ્યા અને બીજી બાજુ વિવિધ યાત્રાધામેામાં વિહાર કરતા રહ્યા. આબુ, અચલગઢ, સિરાહી વગેરે સ્થળાએ વિહાર કર્યાં; ત્યાંના બધા જ ચૈત્યાનાં દન કર્યાં. ત્યાંથી વસંતપુર, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, લેઢાણા, વરકાણા વગેરે તીર્થોનાં દન–વંદન કર્યાં. ત્યાંથી નાડોલ, નાડલાઈ આદિ તીર્થાંનાં દČન કર્યાં. ત્યાંથી ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, ખૂલેવા ( કેશરિયાજી ), ઈડર, વડનગર, વીસલનગર વગેરેની ક્ષેત્રસ્પર્શના કરી. દરમિયાન ગુરુ કપૂરવિજયજી અમદાવાદ હતા. ત્યાં સરસપુરમાં શ્રી ક્ષમાવિજયજીને પોતાની પાટે સ્થાપીને ગુરુએ પાટણ તરફ વિહાર કર્યાં. પછી શ્રી ક્ષમાવિજયજી પણ પાટણ પધાર્યા. તે સમયે તેમને પન્યાસપદવી આપવામાં આવી. ૫. ક્ષમાવિજયજી ગણિએ શંખેશ્વરની ચાત્રા કરી. ત્યાંથી પાછા પાટણ આવીને શ્રેષ્ઠી ઋષભશાહની વિનંતીથી જિનમિ બાની પ્રતિષ્ઠા કરી. સ', ૧૭૭૪માં લગભગ ૭૦૦ જિનબિંબાની પ્રતિષ્ઠા થઈ હતી. સં. ૧૭૭૫માં શુરુ ૫. કપૂરવિજયજી સ્વવાસ પામ્યા. ત્યાર પછી પં. ક્ષમાવિજયજી ગણિ ત્યાંથી સિદ્ધપુર, મહેસાણા, ચાણસ્મા, રાધનપુર, સાંચાર, સમી, સાંતલપુર, વાણ, વીસલનગર, વડનગર, વઢવાણ, તારંગા વગેરે સ્થળે વિચર્યાં. અનેક સ્થળોએ પ્રભુપ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેએશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાંથી સુરતના શ્રીસંઘની વિનંતીથી તે તરફ વિહાર કર્યાં. ખંભાત આવ્યા. અહીં ૪૮ જિનાલયેાનાં દન કર્યાં. ત્યાંથી કાવી આવ્યા અને ત્યાં ભોંયરામાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. જથ્યૂસર, ભરૂચ થઈ ને સુરત પધાર્યા. સ. ૧૭૮૦નું ચાતુર્માસ સુરતમાં કર્યું. સુરતથી અમદાવાદ આવ્યા. દોશીવાડાની પાળમાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે પેાતાના વિદ્વાન શિષ્ય શ્રી જિનવિજયજીને ખેાલાવીને પોતાની પાટે સ્થાપ્યા. સ. ૧૭૮૬ના આસા માસની અગિયારસે કાળધમ પામ્યા. શ્રીસંઘે સાબરમતીના કિનારે પૂજ્યશ્રીના પાર્થિવ દેહના અગ્નિ સ`સ્કાર કર્યા. ૫. ક્ષમાવિજયજી ગણિએ ‘ પાર્શ્વનાથસ્તવન ’ની રચના કરી છે. તેમની શ્રીજી કૃતિ જાણવામાં આવી નથી. ( ( સંકલન : ત્રિપુટી મહારાજ રચિત · જૈનપરપરાના ઇતિહાસ ’ભાગ-૪માંથી સાભાર. ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy