SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક સત્ત્વશાળી સંતપુરુષ પૂજ્ય પંન્યાસ શ્રી કપૂરવિજયજી ગણિ ગુજરાતના પાટણ પાસેના વાગડ ગામના વતની શા. ભીમજી પિરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એક પુત્રને જન્મ આપ્યું. માતાપિતાએ પુત્રનું નામ કાનજી પાડ્યું. બાળપણમાં માતાપિતાના અવસાન થવાથી કાનજી પાટણમાં ફઈને ત્યાં આવીને રહ્યા. એક વાર પં. સત્યવિજયજી ગણિ વિહાર કરતાં પાટણ પધાર્યા. તેમની વાણું સાંભળીને કાનજીને વૈરાગ્યભાવ જાગૃત થયો. તેમણે ફઈ-કૂવાની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની યાચના કરી. પં. સત્યવિજ્યજી ગણિએ તેમને સં. ૧૭૨૦ના માગશર સુદમાં ૧૪ વર્ષની વયે દીક્ષા આપીને પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી કપૂરવિજ્ય નામ આપ્યું. મુનિશ્રી કપૂરવિજય સંયમ સાધનામાં તત્પર બની, ઊંડા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. ગુરુ સાથે વિહાર કરતા રહ્યા. તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યુ. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ મુનિશ્રી કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંન્યાસપદ આપ્યું. સં. ૧૭૫૦ના પિષ સુદ ૧૨ના દિવસે પૂ. ગુરુદેવ પંન્યાસજી શ્રી સત્યવિજ્યજી ગણિ કાળધર્મ પામતાં તેમના પટ્ટધર તરીકે તેમને સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, વઢીયાર, ગુજરાત, મારવાડ વગેરે પ્રદેશમાં, અમદાવાદ, સાદરા, રાધનપુર, સોજીત્રા, વડનગર, સાચર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યો. છેલ્લે પાટણમાં વૃદ્ધાવસ્થાને લીધે ચાતુર્માસ રહ્યા ત્યારે ઉપધાન, માલારોપણ અને જિનબિંબ–પ્રતિષ્ઠાદિ ધર્મકૃત્ય કરાવ્યાં. એકંદરે તેઓ સત્ત્વશાળી અને કીતિવાન હતા. સં. ૧૭૭૫ના શ્રાવણ વદ ૧૪ ને સોમવારે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને વૃદ્ધિવિજ્ય અને ક્ષમા વિજય નામે બે પ્રસિદ્ધ શિષ્યો હતા. (સંકલન : “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૪માંથી, કરમશી ખેતશી બેના.) ક્ષમાના વિશાળ સાગર; વૈરાગ્યના અખૂટ ભંડાર પૂ. પંન્યાસ શ્રી ક્ષમાવિજયજી ગણિ જેમાં તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું આબુની રમણીય પર્વતમાળા પાસે પિચંદ્રા નામે ગામ છે, જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મનહર ચૈત્ય શોભી રહ્યું છે, ત્યાં ઓશવાલ વંશના ચામુંડા ગેત્રના શાહ કલા નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમના પત્ની વનની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયે. બાળકનું નામ ખેમચંદ રાખવામાં આવ્યું. ખેમચંદને બાળપણથી જ ધાર્મિક સંસ્કાર મળતા રહ્યા હતા. તેમાં તેને લગભગ સં. ૧૭૨૨માં કઈ કારણસર અમદાવાદ આવવાનું થયું. ત્યાં પ્રેમાપુરમાં એ સમયે પં. કપૂરવિજયજી ગણિના શિષ્ય પં. વૃદ્ધિવિજયજી ગણિ ચાતુર્માસ બિરાજમાન હતા. આ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy