SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૪૧ હતા. સ. ૧૭૦૬માં મહા સુદ ૧૩ ને ગુરુવારે પાટણમાં, સંવેગી સાધુ-સાધ્વીઓને પાળવાના નિયમેાના ૪૫ બેલના પટ્ટક આચાય વિજયસિંહસૂરિએ બનાવ્યેા, તેમાં પં. સત્યવિજય ગણિના પણ હસ્તાક્ષર છે. દૈવયેાગે આચાય વિજયસિંહસૂરિનુસ. ૧૭૦૮ના મહા સુદ બીજને દિવસે અમદાવાદમાં સ્વગ`ગમન થયું, ત્યારે દાદાગુરુ શ્રી વિજયદેવસૂરિએ નવા ગચ્છનાયક તરીકે ૫. સત્યવિજય ગણિ અને ૫. વીરવિજયગણ-બ તેમાંથી સર્વપ્રથમ ૫. સત્યવિજય ગણિને ભટ્ટારક ગચ્છનાયક થવા સમજાવ્યા. પણ તે તેા આત્મરંગી હતા. અદ્ભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. તેમણે સંવેગીપણુ સ્વીકારવાની ઉત્કટ ભાવનાથી ગચ્છનાયક બનવાની અનિચ્છા બતાવી; અને ૫. વીરવિજય ગણુ ગચ્છનાયક બને તેમાં સંમતિ આપી. ૫. વીરવિજય ણિને સ. ૧૭૧૦માં આચાય પદ આપી, તેમનુ વિજયપ્રભસૂરિ નામ આપવામાં આવ્યું. અને સ. ૧૭૧૨માં અમદાવાદમાં આચાર્ય વિજયદેવસૂરિએ તેમને ભટ્ટારકપદ આપી, પેાતાની પાટે સ્થાપન કર્યો, અને ગચ્છનાયક તરીકે જાહેર કર્યાં. પ. સત્યવિજય ગણિએ સ. ૧૭૧૧ના મહા સુદ ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી, આચાર્ય વિજયસિંહસૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી, ક્રિયાદ્વારપૂર્વČક સંવેગીપણું સ્વીકાર્યું. તેમની સાથે ૧૮ મુનિવરે અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. પ. સત્યવિજય ગણિએ ક્રિયેદ્ધાર કર્યાં ત્યારે શ્રી વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં નાના હતા. તેમણે ૧૧ વર્ષીના અનુભવ પછી ગચ્છનાયકની લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામેાટા સૌ યતિવરા–મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને; ગચ્છનાયકશ્રી વિજયપ્રશ્નસૂરિ માટે ભાગે પ'. સત્યવિજય ગણિવરની સલાહ લઈને નિર્ણય કરતા. 6 ૫. સત્યવિજય ગણિવર પ્રૌઢ પ્રતાપી, પ્રભાવી અને મેઘાવી હતા; ખૂબ જ્ઞાની અને અનુભવી હતા; શુદ્ધ ક્રિયાપ્રેમી હતા. શ્રી આત્મારામજી મહારાજના શબ્દોમાં, શ્રી સત્યવિજયજી ગણિ ક્રિયાન્દ્રાર કરી શ્રી આનંદઘનજી સાથે બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા. મહાતપસ્યા અને યોગાભ્યાસમાં રત રહ્યા. જ્યારે બહુ વૃદ્ધ થઈ ગયા અને ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવીને રહ્યા. તેઓશ્રીએ સ. ૧૭૫૪માં અમદાવાદમાં અને સ. ૧૭૫૫માં પાટણમાં ચામાસું કર્યુ સ. ૧૭૫૬ના પોષ મહિનામાં તે બીમાર પડયા. પાંચ દિવસ બીમાર રહ્યા. પેષ સુદ ૧૨ ને શનિવારે પાટણમાં સિદ્ધિયાગમાં અનશન સ્વીકારીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૫. જિનવિજય ગણએ · સત્યવિજય ગણિનિર્વાણુરાસ ' રચ્યા. એવું પણ કહેવાય છે કે, શ્રી આનંદઘનજીના તેઓ સંસારીપણે ગુરુબંધુ હતા. તેમના સ ંવેગી માના સ્વીકારથી જ તપાગચ્છ અંત ત સવેગી શાખાની શરૂઆત થઈ હતી. ( સ`કલન : ત્રિપુટી મહારાજ રચિત ‘ જૈન પર’પરાના ઇતિહાસ ' ભાગ-૩માંથી સાભાર. ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy