SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેગી શાખાની પરંપરાના * સમર્થ શ્રમણ ભગવંતો સંવેગી માના મહાન પ્રણેતા, અદ્દભુત ત્યાગી અને યાની તથા ઊંડા અભ્યાસી પૂજ્ય પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ પરમ શાંત, સ`વેગી, સયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની તથા શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર એવા પૂ. પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિના જન્મ સં. ૧૯૫૬માં લાડકુ ( રાજસ્થાન )માં દુગડ ગોત્રના શા. વીરચંદ એશવાલ જૈનના ધર્મપત્ની વીરમદેવીની કુક્ષિએ થયા હતા. તેમનુ' જન્મનામ શિવરાજ હતુ, માતા વીરમદેવીની સંમતિથી શિવરાજને શ્રી વિજયસેનસૂરિની આજ્ઞાથી આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ સ. ૧૬૭૧માં ૧૪ વર્ષની વયે દીક્ષા આપી, આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય બનાવ્યા; અને તેમને મુનિ સત્યવિજય નામ આપ્યું. તેમનાં જન્મસંવત કે દીક્ષાસ વત મળતાં નથી. દીક્ષાગ્રહણ કરીને મુનિ સત્યવિજય સં. ૧૭૧૦ સુધી શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિ સાથે વિચરતા હતા. આ દરમિયાન તેએશ્રીએ સિદ્ધાંતાના ઊંડા અભ્યાસ કર્યાં. દાદાગુરુ અને ગુરુદેવ પાસેથી મળેલા ઉપદેશને રગેરગમાં પચાવીને તે ગુરુદેવ શ્રી વિજયસિ’હસૂરિ સાથે ક્રિયાદ્ધાર કરી સવેગી મુનિ બનવા તૈયાર થયા. ચારિત્રધનુ' સવિશુદ્ધ અને ઉત્કટ ભાવનાપૂર્વક પાલન કરવું એટલે સાધુજીવનમાં સ ંવેગીપણાના સ્વીકાર કરવા. શ્રી વિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં ક્રિયાન્દ્રાર કરી, ફરી શુદ્ધ સંવેગી મા પ્રવર્તાવવા. આથી તેમણે પેાતાની સાથેના મુનિએ અને યતિઓને વૈરાગ્યને ઉપદેશ આપી, ક્રિયાદ્ધાર માટે તૈયાર કર્યા. પરિણામે, આચાય વિજયસિંહસૂરિ, ૫. સત્યવિજય ગણ, ૫. વીરવિજય ગણિ, ૫. ઋદ્ધિવિજય ગણિ વગેરે સંવેગી મુનિ બનવાને ઉત્સુક બન્યા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy