SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ મહાયાગી, મહાકવિ, અવધૂત અધ્યાત્મયાગી મુનિરાજ શ્રી ચિદાનંદજી મહારાજ શ્રી કપૂરચંદ્રજી અપરના શ્રી ચિદાનંદજી મહારાજ વીસમી સદીમાં વિદ્યમાન હતા તેમ તેમની કૃતિઓ પરથી જાણવા મળે છે. શ્રી આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મજ્ઞાનમાં રસિક અને કવિત્વશક્તિમાં નિપુણ હતા. તેઓ તીપ્રદેશેામાં વધુ વસ્યા હોય એમ લાગે છે કારણ કે શત્રુંજય અને ગિરનાર પર આવેલ કોઈ ગુફા કે સ્થાન તેમનાં નામે આજે પણ ઓળખાય છે. સમેતિશખરજી ઉપર તેમના દેહાંત થયા એવી દતકથા છે. શાસનપ્રભાવક તેઓશ્રી સ્વભાવે એકાંકી અને નિઃસ્પૃહી હતા. એક અવધૂતની જેમ અલિપ્ત રહેવામાં જ માનતા, એમ તેમના સંસમાં આવેલા મહાનુભાવાએ વધુ વેલા અનુભવે પરથી જાણવા મળે છે. એટલુ જ નહિ, પાતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન એ વાતની લેાકેાને જાણ ન થાય તેવુ' સરળ જીવન જીવતા; અને અનાયાસ લેકને તેમની સિદ્ધિને પરિચય થાય તે તે એ સ્થાન ત્યજી દેતા, વિ. સં. ૧૯૦૪માં તેઓશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા એમ તેમના રચેલા શ્રી ગાડી પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સવત ઉપરથી જણાય છે. ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીના સંઘ કાઢચો હતા તેમાં તેઓ હતાં. અને ગિરનાર પહોંચ્યા પછી કાં સીધાવ્યા તેના પત્તો મળી શકયો નહાતા એવા નિર્દેશા સાંપડે છે. આમ, તેઓશ્રીના ક્ષર દેહ વિશે બહુ માહિતી પ્રાપ્ત થતી નથી; પરંતુ તેમના અક્ષર દેહથી તેઓ અમર બની ગયા છે. તેઓશ્રી ઉત્તમ કેાટિના વિદ્વાન હતા; ઉપરાંત ઉત્તમ કેટના કવિ હતા. તેમણે રચેલી કૃતિઓમાં ચિદાનંદ અહાંતેરી, સ્વરાધ્યજ્ઞાન, પુગલગીતા, સરૈયા, હિતશિક્ષાના દુહા, પ્રશ્નોત્તરમાલા, દયાછત્રીસી, પરમાત્મછત્રીસી, અધ્યાત્મખાવની ઇત્યાદિ મુખ્ય છે. તેમની કાવ્યરચના સરળ અને અગૌરવને લીધે હૃદયંગમ છે. તેમનાં કાવ્યે પેાતાના ચેગજીવનના, અધ્યાત્મચિંતનના અને તપસ્વી જીવનના ઊંડાણને સ્પર્શતાં હોવાથી સાહજિક ઉદ્ગારા રૂપે પ્રગટેલાં લાગે છે, અગાધ કલ્પનાશક્તિ, અપૂર્વ અલંકારશક્તિ અને અપ્રતીમ અંગૌરવને લીધે એમનાં કાવ્યે આજે પણ તાજગીપૂર્ણ લાગે છે. શબ્દના રણકાર અને કાવ્યના રાગ શ્રેતાને મત્રમુગ્ધ કરી દે તેવા છે. પિરણામે આબાલવૃદ્ધ સૌ તેમની ગીતરચનાઓને ગાઈ શકે છે અને એમના અવધૂત રંગને માણી શકે છે. તેઓશ્રીની ૭૨ પદ્માની ચિદાન દ ખાંતેરી ’અતિ પ્રચલિત છે. આ પદેશમાં ૧૨ સ્તવન, ૧ પર્યુષણ પર્વની સ્તુતિ અને ૧ ગુરુ પાસે ગાવાની ગડુલી છે, તે ખૂબ જ ભાવવાહી છે. સ્તવનેમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, નેમિનાથ અને પાર્શ્વનાથ પરમાત્માનાં છે. તેમાં ત્રણ તે તેએ ભાવનગરમાં ચાતુર્માસ હતા ત્યારે ત્રણ મૂળ નાયકજીને ઉદ્દેશીને બનાવેલાં છે. બીજા સ્તવના ગિરનારજી, તાર'ગાજી, શ'ખેશ્વરજી વગેરે તીર્થોમાં પધારેલ હશે ત્યારે બનાવેલાં હશે એવુ અનુમાન થાય છે. તેમાંનાં માત્ર પાર્શ્વનાથના સ્તવનમાં સ, Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy