SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૩૩૭ (૧૫) નેમિનાથ સલેકે, (૧૬) શાલીભદ્ર સલેકે, (૧૭) ભરત–બાહુબલિ સલેકે, (૧૮) શત્રુંજય –મંડન શ્રી કષભદેવ સ્તવન, ઢાળ : ૧૦, (૧૯) ભટ્ટારિક ભાવરત્નસૂરિ પરંપરા રાસ, (૨૦) સ્તવન–વીશી, (૨૧) ઢઢણમુનિની સક્ઝાય, (૨૨) ભાભા પાર્શ્વનાથ સ્તવન, (૨૩) રાજા સૂર્યાયશા (ભરતપુત્ર)ને રાસ, (૨૪) વરદત્ત-ગુણમંજરી રાસ, (૨૫) દામન્નક–રાસ, (૨૬) સુદર્શન શેઠને રાસ, (૨૭) ગંધારામંડન મહાવીર સ્તવન, (૨૮) વિમલ મહેતાને સલેકે, (૨૯) નેમિનાથરાજીમતી બારમાસા, (૩૦) હરિવંશ (રત્નાકર ) રાસ, (૩૧) શ્રી હર્ષરત્ન ગણિ સઝાય, કડી : ૯૨. આ ઉપરાંત, તેમણે શત્રુંજય તીર્થનાં અનેક સ્તવને, પ્રભાતિયાં, છંદ અને છૂટક રાસો, સ્તવને, સજ્જા-એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેઓશ્રીની કાવ્યકૃતિઓ સુંદર, બોધક, ભાવવાહી અને કપ્રિય બની છે. “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ : ૪માંથી સાભાર.). મહા ત્યાગી—વૈરાગી અને વિદ્ધવર્ય ઉપાધ્યાય શ્રી ધનવિજ્યજી મહારાજ ઉપાધ્યાય શ્રી ધનવિજયજીનું સંસારી નામ ધનજી હતું. તેમણે પિતાના ત્રણ પુત્રોગણુજી, કમલ અને વિમલ તથા સ્વપત્ની સહિત શ્રી વિજ્યહીરસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય બનીને ધનવિજ્ય તરીકે તથા ત્રણે પુત્રોને ગુણવિજય, કુંવરવિજ્ય અને વિમલવિયના નામે પિતાના શિષ્ય બનાવવાપૂર્વક વિ. સં. ૧૯૩૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. ' તેમણે વિ. સં. ૧૯૫૪ના વૈશાખ વદ ૧૩ના દિને પિતાના શિષ્ય ગુણવિજ્યના વાચન માટે અમદાવાદમાં “હેમવ્યાકરણ-બૃહવૃત્તિદીપિકા” લખી હતી. સં. ૧૯૫૦માં “હરિણ શ્રીષેણ રાસ રચ્યું હતું. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શ્રી સંઘવિજય ગણિએ સં. ૧૯૭૪માં કલ્પસૂત્ર પર દીપિકા રચી, તે તેઓએ સં. ૧૯૮૧માં શોધી હતી. સં. ૧૯૮૧માં લોકનાલિકાસૂત્ર પર ભાષ્યવૃત્તિ રચી. મુનિ સુંદરસૂરિના “અધ્યાત્મ કપમ” ની અધિહિણી ટીકા રચી. સં. ૧૬ના પિષ માસમાં રાજનગરની સમીપમાં આવેલા ઉસ્માનપુરામાં આભણાલિકા–આભારશતક અપનામ ધર્મોપદેશલેશની ૧૦૮ લોકપ્રમાણ રચના કરી હતી. સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબંધ રચેલ હતે. શ્રી વિજયહીરસૂરિને અકબર બાદશાહે “જગતગુરુ'નું બિરૂદ આપ્યું (સં. ૧૬૪૦), તે વખતે બંદીવાનેને છોડી મૂકયા અને સૂરિસહિત ધનવિજ્યને સાથે લઈ ડામર તળાવે જઈ ત્યાંના પાંજરામાં પૂરેલાં પક્ષીઓને મુક્ત કર્યા. આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જેનવિહારને સ્વેચ્છકરથી મુક્ત કરાવ્યા અને વાજાં વગાડવાં બંધી થઈ હતી તે ચાલુ કરાવી. શ્રી ધનવિજયજી ઉપાધ્યાય મહા ત્યાગી-વૈરાગી અને વિદ્રદવર્ય હતા. (જૈનસાહિત્યને ઇતિહાસને આધારે સંકલનકર્તા : કરમશી ખેતશી બના.) શ્રિ. ૪૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy