SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ શાસનપ્રભાવક ના હતું, તેમ આ મનમોહક સ્તવનને પણ માથે ચડાવીને નાચવાનું મન થાય એટલાં એ સુંદર, સરસ અને ચિંતનમય છે. ભવભ્રમણાને ભાંગીને ભુક્કો કરવાની કલ્પનાશક્તિ જગાડવાની આ સ્તવમાં અદ્ભુત શક્તિ છે. પહેલા સ્તવનમાં પ્રભુજીને પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે. દેવાધિદેવ શ્રી તીર્થકર પરમાત્મા જેના પ્રિયતમ હોય તેનું મન સતી જેમ સત્ તત્ત્વમાં પ્રતિષ્ઠિત હોય; પછી પૂછવું જ શું ! બીજા સ્તવનમાં એ પ્રીતમની પ્રતીક્ષાને ભાવ ભાવસભર શૈલીમાં ગૂંથાય છે પંથડે નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ. ત્રીજા સ્તવનમાં શ્રી વિવેધર વીતરાગ અરિહંત પરમાત્માના સેવકની પ્રાથમિક ગ્યતા દર્શાવી છે. ભય, દ્વેષ, ખેદ ઈત્યાદિ રહિત ભક્ત જ ભગવાનની ઝાંખી કરી શકે. ચેથા સ્તવનમાં દર્શનપિપાસુ સાધકની આગવી છટાઓનું નિદર્શન છે. સાધકમાં આવશ્યક આત્મિક ખુમારીની આબોહવા જોવા મળે છે. એમાં જિનદર્શનનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે અને યેગ, અધ્યાત્મ અને અનુભૂતિની સ્પર્શનાનું સંગીત પ્રાપ્ત થાય છે. એ સંગીતમાં લીન બનીને સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જવાય છે. સાધક આત્મસ્થ બને છે અને આત્મસ્થ સ્થિતિ એ જ પરમ આનંદની, પરમ સુખની, પરમ શાંતિની સ્થિતિ છે, એમ સિદ્ધ થાય છે. સેળમું સ્તવન વાંચતાં એ વાતની પ્રતીતિ થાય છે કે ગીરાજ આનંદઘનજી સાચે જ એ અવસ્થામાં જ જીવ્યા હશે ! ભાગ્ય રૂપી ભાનુના પ્રકાશમાં આનંદઘન આત્મા પ્રસન્નતામાં પૂર્ણ સુખ પામે – એ આ સ્તવને અનુભવ કરાવે છે. આ સ્તવને પૂર્ણ ચંદ્રમાંથી ઝરતી સુધા સમાં છે. એની અર્થ વૃતિ સૂર્યકિરણ સમી પ્રકાશમાન છે; તે એની નાદલીલા, સંગીતલીલા, શ્રવણલીલા ચંદ્રકિરણ સમી મધુર છે. આ સ્તવમાં આધ્યાત્મિક ગરિમાનું ઓજસ્ છે, તે ભક્તિભાવનું માર્દવ છે. સુધારસને સ્વાદ ફિક્કો લાગે એ આત્મરસ–પરમાત્મસ આ સ્તવનેમાંથી આસ્વાદાય છે! વીસમાં સ્તવનમાં એટલે જ આત્માને ચાવવાની વાત છે, જેમાં પરમાત્મરસ નીપજે છે! આ સ્તવનના અભ્યાસથી, સેવનથી આત્મશુદ્ધિ થાય છે, આત્મસ્નેહમાં વૃદ્ધિ થાય છે, ભક્તિભાવમાં સમૃદ્ધિ થાય છે અને જીવનમાં રિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે યોગી શ્રી આનંદઘનજીની આ વીશી અનન્ય કૃતિ છે ! યાનાર્હ છવન-પ્રસંગે : નિર્ભયતાઃ શ્રી આનંદઘનજીના વ્યક્તિત્વને પરિચય કરાવતા કેટલાક પ્રસંગે ધાયા છે. તે પ્રસંગે તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરવા માટે સક્ષમ છે. એક વાર મહાત્મા આનંદઘનજીને ખાનગીમાં હળવેકથી વિનંતી કરવામાં આવી કે આપ થોડી વાર વ્યાખ્યાનને પ્રારંભ ન કરે તે સારું....” “વ્યાખ્યાન તે તેના સમયે શરૂ થશે જ.” મહાત્માએ આકાશ સામે દષ્ટિપાત કરીને નિર્ણય જાહેર કર્યો. પણ નગરશેઠ જેવી વ્યક્તિ સભામાં ન હોય ને....' વ્યાખ્યાન સાંભળવા બેઠેલા આજકોએ પિતાની અકળામણ વ્યક્ત કરી. ધર્મનું આચરણ વ્યક્તિગત રીતે વિચારીને થાય?” એમ કહીને આનંદઘનજીએ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy