SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શાસનપ્રભાવક મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ પ્રત્યે, તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને અદ્દભુત આદર હતું. તેથી તેઓ તેમને “વાચકરાજ' નામથી સંબોધતા. પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણું સ્તવને ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી શ્રી પાલરાસને ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે કૃતિને મહોપાધ્યાય શ્રી યશવિજયની કૃતિ તરીકે રજૂ કરી છે. તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રા કરી હતી. ૧૭ અંજનશલાકા કરી હતી તેમ જ બીજાં પણ અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણું મુનિઓને પંડિત અને વાચકપદનાં દાન કર્યા હતાં. વિ. સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીને સંઘ તેમના ઉપદેશથી કાઢયો હતે. તેમનું વિહારક્ષેત્ર માટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના ઉલ્લેખ સાંપડે છે. વિ. સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી. વિ. સં. ૧૭૩૩માં સલાહસ્તેત્ર પર સુરતમાં બે ર. વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. તેમની કાવ્યશક્તિ અદ્દભુત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું સ્થાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ સ્થાન લેકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથ રચ્યા છે, જે પૈકી નીચેના ગ્રંથે મુખ્ય છે નરભવદિતવનયમાલા પ્રશ્નદ્રાવિશિકાસ્તોત્ર પ્રશ્નવ્યાકરણુસૂત્રવૃત્તિ જિનપૂજાવિધિ સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ વીશસ્થાનકતપવિધિ શ્રીપાલચરિત્ર જ્ઞાનવિલાસ સંયમતરંગ તીર્થમાલા નવતત્ત્વ બાલાવબોધ સૂર્યાભનાટક આનંદઘન ચેવીશી બાલાવબોધ સાધુવંદના રાસ ૩૫૦ ગાથાના સ્તવનને બાલાવબોધ જબૂસ્વામી રાસ દીવાલીક૯૫ બાલાવબોધ શ્રી ચંદ્રકેવલીરાસ આધાત્મકલ્પદ્રુમ બાલાવબોધ બે ચોવીશીઓ પાક્ષિકસૂત્ર બાલાવબોધ દશદષ્ટાંતની સજ્ઝાય ધ્યાનમાલા ઉપર બે ગદષ્ટિની સજ્ઝાય ઉપરાંત, સિદ્ધાચલનાં સંખ્યાબંધ સ્તવને, રાસે, સ્તુતિઓ વગેરેની રચના કરી છે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષના સુદીર્ઘ ચારિત્રપર્યાય હતે. તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આ વદ ૪ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વકસમાધિપૂર્વક થયું હતું. તેઓશ્રી ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા. તેથી જ્યારે તેમને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy