________________
શ્રમણભગવા
૩૧૯
આચાર્ય પદ આપી પટ્ટધર બનાવ્યા અને તેમનું નામ વિજયસિંહસૂરિ રાખ્યું. સયેાગવશાત્ તેમણે જાહેર કરેલ પાતાના ઉત્તરાધિકારી શ્રી વિજયસિ’હસૂરિના સ્વવાસ તેમના જીવનકાળમાં જ થઈ ગયા. તેથી તેમણે વિ. સં. ૧૭૧૦માં શ્રી વિજયપ્રભસૂરિને પોતાના ઉત્તરાધિકારી અનાવ્યા. તેમના સંઘ ‘ દેવસુરસંઘ ’ નામે પ્રસિદ્ધ થયા.
સ્તુતિ–સ્તવન–ચૈત્યવંદન–સઝાય–રાસ વગેરે વિપુલ સાહિત્યના સર્જક આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ
આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિના જન્મ વિ. સ. ૧૬૯૪માં મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયા હતા. તેઓ વીશા એશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનુ નામ કનકાવતી અને તેમનું પોતાનું નામ નાથુમલ હતુ. તેમણે આ વર્ષની વયે મુનિશ્રી ધીવિમલ ણિ પાસે સયમ સ્વીકાર્યુ હતું. તે વખતે તેમનું નામ મુનિ નવિમલ રાખવામાં આવ્યું હતું.
સંયમ સ્વીકાર્યાં પછી તેમણે શ્રી અમૃતવિમલ ગણિતેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમને સુયેાગ્ય જાણી વિ. સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પંન્યાસપત્તુથી વિભૂષિત કર્યા. તેમના ગુરુ વિ. સ. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા.
તે સમયના સગીતાર્થાએ વિચાયુ કે, હાલમાં સવિગ્ન, જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણાથી સંપૂર્ણ અને આચાર્ય પદ માટે યોગ્ય પંન્યાસ નવિમલ ગણ છે.” તેથી તેઓએ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિને પં. નયવિમલ ગણને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતી કરી. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એ વિનતીને યોગ્ય જાણી વિ. સ. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સ`કેર ગામમાં તેમને આચાય પદ્મવીથી વિભૂષિત કર્યાં અને તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ પાછળ તેમને વિશાળ જ્ઞાન અનુભવ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યા હતા તે છે. આ સમયે નાગજી પારેખે આચાય પદના મહોત્સવ કર્યાં અને સારું દ્રવ્ય ખચ્યું. તેમના સમયમાં જૈનસંઘના સાધુવ`માં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યા હતા અને તેથી તેમણે ક્રિયાદ્ધાર કરી તપસ્વી જીવાને મેાક્ષના માગ સાચી રીતે અને શુદ્ધ રીતે આચરી બતાવ્યે હતેા.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચ`દ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સવિગ્ન ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા.
• શ્રી ચંદ્રકેવલી રાસ 'માં આચાર્ય પદવી સ. ૧૯૪૯માં ફાગણુ સુદ પાંચમે પાટણમાં આપ્યાને ઉલ્લેખ છે : ' નિધિ યુગ' મુનિ શિશ સંવત માને ફાગણ સુદ પંચમી દિનેજી, પત્તનનયરતણે તસ પાસે, પદ પામ્યું શુભ દેશે જી.’( શ્રી ચદ્રકેવલી ૧ાસ-ખંડ ૪થે, ઢાળ પ૫મી, ગાથા ૧૫ ).
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org