SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શાસનપ્રભાવક થઈ શ્રી વિજયસેનસૂરિએ તેમને અમદાવાદના ઉપનગરમાં વિ. સં. ૧૯૫૫માં માગશર વદ પાંચમને દિવસે પંન્યાસપદ આપ્યું. વિ. સં. ૧૯૫૭માં સૂરિમંત્ર આપી આચાર્યપદે સ્થાપ્યા. આ પ્રસંગે ખંભાતના શ્રાવક શ્રીમલે ઉત્સવ કર્યો. પાટણમાં વિ. સં. ૧૯૫૮માં પિષ વદ ને દિવસે શ્રી વિજયદેવસૂરિને ગચ્છાનુજ્ઞા આપવામાં આવી અને વંદન–મહેન્સલ કરવામાં આવ્યું. આ વંદન–મહોત્સવની વ્યવસ્થા શ્રાવક સહસવીરે કરી હતી. તેઓશ્રીએ વિ. સં. ૧૯૮૮માં પૂ. ઉપર શ્રી યશોવિજયજી તથા તેમના ભાઈ પદ્રવિજયજી મહારાજને દીક્ષા આપી હતી. વિ. સં. ૧૭૦પમાં ૬૪ સાધુઓને ઈડરમાં અને ૮૦ સાધુઓને દક્ષિણમાં પંન્યાસપદ આપ્યું હતું. દીવના ફિરંગી લેકે એમનું ભક્તિભાવપૂર્વક બહુમાન કરતા હતા. ૧૮ યક્ષે તેમની સેવામાં હાજર રહેતા. શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ તેમના બે મુખ્ય આચાર્ય –શિષ્ય હતા. તેમની આજ્ઞામાં ૨૫૦૦ સાધુઓ અને ૫૦૦૦ સાધ્વીજીઓ અને સાત લાખ શ્રાવક હતા. આટલા વિશાળ સંઘનું અધ્યક્ષપણું તેઓ સાચવી શક્યા હતા, તે જ તેમની પ્રચંડ પ્રતિભાશક્તિનાં દર્શન કરાવે છે. ગચ્છનું મતભેદવાળું વાતાવરણ પિતાની આગવી કુનેહથી સ્વચ્છ કર્યું હતું. ખાસ કરીને મારવાડમાં તેમણે અનુપમ શાસનપ્રભાવના કરી હતી. ઉદયપુરના મહારાણા જગતસિંહે પૂજ્યશ્રીના ઉપદેશથી વરકાણું તીર્થમાં યાત્રાળુઓ પાસેથી “મુંડકાવેરે” લેવાનું બંધ કર્યું હતું, તેમ જ પાછલા તથા ઉદયસાગર તળાવમાં જાળ નાખવાને નિષેધ કર્યો હતે. તથા રાજ્યાભિષેકના દિવસે, જન્મદિવસે તેમ જ જન્મમાસ ભાદરવામાં કઈ જીવહિંસા ન કરે એ હુકમ બહાર પાડયો હતો. પૂજ્યશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, આબુ અને આરાસણામાં વિહાર કરી ચાતુર્માસ કર્યા, જિનબિંબ ભરાવ્યાં ને પ્રતિષ્ઠા કરી. દક્ષિણમાં કનડી, બીજાપુર, બુરહાનપુર તેમ જ કચ્છમાં પણ સુંદર ધર્માનુષ્ઠાને કરાવી, જેનશાસનની પ્રભાવના કરી હતી. તેઓશ્રીએ બે શિષ્યને આચાર્ય પદવી, પચીસ શિષ્યને ઉપાધ્યાય પદવી અને પાંચસે શિષ્યને પંન્યાસપદ આપ્યાં હતાં. શિષ્યને પ્રેરણા કરી ગ્રંથ લખાવ્યા. તેઓશ્રી દરરેજ એકટાણું કરતા, ૧૧ દ્રવ્યથી વધારે વાપરતા નહીં. પાંચ કરોડ સક્ઝાય ધ્યાન કર્યા. પાંચ વિગઈ ને ત્યાગ કરતા. આ રીતે પિતાના આત્માનું કલ્યાણ સાધ્યું અને જૈનશાસનની ઉન્નતિ કરી. શ્રી વિજયદેવસૂરિ વિદ્વાન અને તપસ્વી હતા. તેઓશ્રી આયંબિલ, નવી, ઉપવાસ, છઠ્ઠ આદિ તપશ્ચર્યા કરતા રહેતા હતા. પારણાને દિવસે એકાશન કરતા હતા. બાદશાહ જહાંગીરે શ્રી વિજયદેવસૂરિની તપસાધનાથી પ્રભાવિત થઈ વિ. સં. ૧૯૬૪માં માંડવગઢમાં તેમને “મહાતપા'નું બિરુદ આપ્યું હતું. ઉદયપુરના રાણા જગતસિંહ પર પણ શ્રી વિજયદેવસૂરિને વિશેષ પ્રભાવ હતો. મહારાણાએ તેમની પ્રેરણાથી નગરમાં અહિંસાનું પાલન કરાવ્યું હતું. ઈડરનરેશ રાય કલ્યાણમલ્લ આદિ શ્રી વિજયદેવસૂરિ પ્રત્યે વિશેષ આદર રાખતા હતા. શ્રી વિજ્યદેવસૂરિના મુખ્ય શિષ્યો કનકવિજય અને લાવણ્યવિજ્ય હતા. શ્રી વિજયદેવસૂરિએ પિતાના વિદ્વાન શિષ્ય કનકવિજયને વિ. સં. ૧૯૮૨માં વૈશાખ સુદ ૬ને દિવસે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy