SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ગણુને ધર્મોપદેશ આપ્યા. પછી તેએ ગુજરાત પધાર્યાં ત્યારે અહીંનાં લેાકા, બાદશાહ, શાહી પિરવાર, અમીરા વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહા॰ શાંતિચંદ્ર ગણિ, મહે॰ ભાનુચદ્ર ગણિ વગેરે વિદ્વાન મુનિવરેશને બાદશાહ પાસે રાખ્યા હતા અને ગુજરાત પહોંચ્યા બાદ પેાતાના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મા॰ સિદ્ધિચંદ્ર ગણિ વગેરેને પણ બાદશાહ પાસે મેાકલ્યા હતા. મહેા ભાનુચંદ્ર ગણિ અને મહા॰ સિદ્ધિચંદ્રગણિ બાદશાહના દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યા-પ્રશિષ્યા વગેરેના ઉપદેશથી હિંસાત્યાગના, અમારિ પ્રવર્તાવવાનાં, જૈનાની ધર્મભાવના અને તી ભક્તિને જાળવવાનાં તેમ જ લાકહિતનાં અનેકવિધ કાર્યો કર્યાં હતાં, જેમાં કેટલાંક નીચેની વિગતે છેઃ— ( ૧ ) ખાદશાહ અકબર શ્રી હીરવિજયસૂરિના ભક્ત બન્યા, જૈન ધર્મના પ્રેમી બન્યા અને હિન્દુધર્મ પ્રત્યે આકર્ષાયા. ( ૨ ) બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને મોટા ગ્રંથભંડાર અણુ કર્યાં. (૩) મારવા માટે બાંધી રાખેલાં પશુ-પક્ષીઓને છેડી મૂકયાં અને કેદીઓને પણ છૂટા કર્યા. ( ૪ ) ડાબર તળાવના શિકાર બંધ કરાબ્યા અને માછલાં પકડવાની જાળા અધ કરાવી. ( ૫ ) બાદશાહ અકબર હ ંમેશાં ૫૦૦ ચકલાંની ભેાને કલેવા કરતા હતા, તેણે તે ખાવાના ત્યાગ કર્યાં. ( ૬ ) ખાદશાહે નિવ“શિયાનું ધન લેવાનું બ`ધ કર્યું. (૭) ખાદશાહે જજિયાવેશ ( યાત્રા–કર ) મા કર્યાં. ( ૮ ) આગ્રા, કુત્તેહપુર સીક્રી, લાહેાર, બુરહાનપુર અને માલપુર વગેરે સ્થળામાં નવાં જિનાલયા અને ઉપાશ્રયા બનાવવાની રજા આપી. (૯) અહિંસા ( અમાર )નું ક઼માન ઃ પર્યુષણાના દિવસોમાં કોઈ પણ સ્થાને કોઈ પણ પશુપક્ષીની જીવહિંસા કરવાની મનાઈ ફરમાવી. આ હુકમ હંમેશને માટે છે એમ જણાવી, આ રીતનું ફરમાન કાઢી પોતાના જુદા જુદા પાંચ પ્રદેશેામાં અને એક શ્રી હીરવિજયસૂરિને ફત્તેહપુર સિક્રીમાં વિ. સં. ૧૬૪૦ના આપ્યુ હતુ. શાસનપ્રભાવક (૧૦) જૈન ધર્મગુરુઓ અને ધ સ્થાનેાની રક્ષાનુ ફરમાન : યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા (જૈન સાધુ ) અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનું માન મેળવ્યુ` છે; અને જેએ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમનાયેગાભ્યાસનું ખરાપણુ, વધારા અને પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી હુકમ થયા કે તે શહેરના ( તે તરફના) રહેવાસીઓમાંથી કાઇએ એમને હરકત (અડચણ ) કરવા નહિ, તેમ તેમને તુચ્છકારવા પણુ નહિ. વળી, જો તેમાંનું (મંદિશ કે ઉપાશ્રયાનું ) કંઇ પડી ગયુ. હાય કે ઉજ્જડ થઈ ગયું હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઇચ્છે તે તેને કોઈ ઉપલક જ્ઞાનવાળા ( અજ્ઞાની )એ કે ધર્માન્ચે અટકાવ કરવા નહિ. અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા, વરસાદને અટકાવ અને એવાં ખીજા કાર્યાં, જે ઈશ્વરના અધિકારનાં છે, તેને આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કટે આપે છે, એવાં કામેા તમારા રક્ષણ અને બંદોબસ્તમાં છે કે જે તમે સારા નસીબવાળા અને બાહોશ છે, તેમના હાથે થવાં જોઈએ નહિ....તેમ તેઓ પાતાની ભક્તિની ક્રિયાએ કરવામાં ચિંતાતુર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy