SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૩૧૧ પત્ર હતા. સૂરિજી ગાંધારથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં. નગર-પ્રવેશ ખૂબ ઠાઠથી થયેા, સૂબા સાહિબખાને પણ સૂરિજીને નિમંત્રી પોતાના પૂર્વીકૃત કૃત્ય બદલ માફી માંગી અને મિણુ, રત્ન, સુવર્ણ તેમ જ પાલખી, છડીદાર વગેરે ભેટ ધરી, તે સ્વીકારવા પ્રાથના કરી. સૂરિજીએ ત્યાગધર્મની સમજ આપી તેના અસ્વીકાર કરતાં સૂબા પર તેના ઊડો પ્રભાવ પડ્યો. શ્રી હીરવિજયસૂરિ અમદાવાદથી પાટણ પધાર્યાં. અહીથી ઉપાધ્યાય વિમલ આદિ પાંત્રીશ સાધુમહારાજોએ આગળ વિહાર કર્યો અને શ્રી હીરવિજયસૂરિ આદિ પછીથી નીકળ્યા. ઉપાધ્યાય આદિ પહેલાં ફત્તેહપુર સીક્રી પહોંચી ગયા અને બાદશાહ અકબરની ગુરુદેવના દર્શનની તીવ્ર ભાવના જાણી હર્ષિત બન્યા. સૂરિજી આદિ ફતેહપુર સીક્રીથી ૧૪-૧૫ માઇલ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. ત્યાંથી ભાનુમલ અને કલ્યાણમલે બાદશાહી બંદોબસ્ત સાથે અપૂવ ઠાઠથી સૂરિજીના ફત્તેહપુર સીક્રીમાં પ્રવેશ કરાવ્યેા. આ સમયે શ્રી હીરવિજયસૂરિ પેાતાના ૬૭ મુનિવર સાથે અહીં પહોંચ્યા. વિ. સં. ૧૬૩ના જેઠ વદ ૧૨ના શ્રી હીરવિજયસૂરિના ફતેહપુર સીક્રીમાં પ્રવેશ થયા અને વદ ૧૩ના સમ્રાટ અકબર બાદશાહ સાથે રાજભવનમાં પહેલવહેલા મેળાપ થયા. આ પ્રસંગ જૈનધર્મીની અહિંસાની સૂક્ષ્મ માન્યતાને ચરિતાર્થ કરનારા પણ બન્યા. હતા. સૂરિજીના આગમન સમયે અકબર બાદશાહે સન્મુખ આવી સ્વાગત કર્યુ અને વિનયપૂર્ણાંક કુશળ-મંગળના સમાચાર પૂછ્યા. મહેલમાં આગળ ચાલતાં એક પ્રવેશદ્વાર આગળ સૂરિજી અટકી ગયા. ત્યાં આગળ ગાલીચા બીછાવેલ હતા. સૂરિજીને અટકી ગયેલા જોઈ સમ્રાટે તેનું કારણ પૂછ્યું, એટલે સૂરિજીએ ગાલીચા તરફ અંગુલિનિર્દેશ કરી જણાવ્યું કે, “ ગાલીચા પર ચાલવાથી હિંસા થાય. અમારાથી ગાલીચા પર પગ મૂકી ન શકાય. ” સમ્રાટે આશ્ચર્ય પામી કહ્યું, “ ગાલીચા તન સ્વચ્છ છે અને તેના પર જીવજં તુ પણ નથી, તે આપને ગાલીચા પર ચાલવામાં શી હરકત છે ? ’” સૂરિજીએ સાધુ ધર્મના આચાર જણાવતાં કહ્યું કે - “ અમારે। આચાર છે કે દષ્ટિપૂતમ્ ચક્ષેત્ પામ્~~~અર્થાત્ જ્યાં ચાલવું. અગર બેસવુ હોય ત્યાં ષ્ટિથી જમીન જોઈ લેવી જોઈ એ. ” સૂરિજીના આ કથનથી સમ્રાટને મનમાં હસવું આવ્યુ. અને ગાલીચામાં કયાંયે જીવજંતુ નથી તે વાતની પ્રતીતિ કરાવવા ગાલીચાના એક છેડા ઊંચા કરાવ્યેા. તેની નીચે કીડીઓના ઢગ નીકળ્યેા ! આ જોઈ સમ્રાટ અકબર દગ થઈ ગયા અને સૂરિજી પ્રત્યેના તેના ભક્તિભાવ વધુ દૃઢ બન્યા. પછી ગાલીચા લેવરાવી; સમ્રાટે સૂરિજીને યોગ્ય આસને બેસાડ્યા. સૂરિજીએ બાદશાહને ઉપદેશ આપી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર બાદ સમ્રાટે પૂર્વ પદ્મસુંદર ણિ નામના યતિએ આપેલાં પુસ્તક વગેરેને ભંડાર બતાવી, તે સ્વીકારવા સૂરિજીને વિનંતિ કરી. સૂરિજીએ પરિગ્રહ આદિ કારણે તે નહીં સ્વીકારતાં, સમ્રાટને સૂરિજીની નિઃસ્પૃહતા માટે ઘણું ઘણું માન ઊપજ્યું; પરંતુ સમ્રાટના અતિ આગ્રહથી છેવટે આગ્રામાં એક જ્ઞાનભડાર બનાવી, તેમાં એ પુસ્તક રાખવા સ્વીકાર કર્યાં. આમ, શ્રી હીરવિજયસૂરિના આ પ્રથમ મેળાપમાં જ અકબર આદશાહ ઉપર ઊંડી છાપ પડી હતી અને તે ખૂબ પ્રભાવિત થયા હતા. શ્રી હીરવિજયસૂરિ વિ. સ. ૧૬૩૯ના જે ટ્ઠિ ૧૩ના ક્રૂત્તેહપુર સીક્રી પધાર્યા અને આ પ્રદેશમાં લગભગ ચાર વષઁ સુધી વિચરી બાદશાહુ અકબર, તેના પરિવાર અને રાજ્યાધિકારી Jain Education International 2010_04 = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy