SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શાસનપ્રભાવક ૧૬૨૨માં વૈશાખ સુદિ બારસના દિવસે પાટણ પાસેના વડલી ગામે ગુરુશ્રી વિજયદાનસૂરિના સ્વર્ગવાસ થતાં ગચ્છની સ જવાબદારી તેમના ઉપર આવી પડી. આ સમયમાં ભારતમાં અને તેમાંયે ગુજરાતમાં અરાજકતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. સૂબાએ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને એમર્યાદ વર્તી રહ્યા હતા. પ્રજા અને સંતસજ્જનો પણ હેરાન-પરેશાન બન્યા હતા. તેમાં શ્રી હીરવિજયસૂરિને પણ કેટલાક કષ્ટદાયી પ્રસંગેામાંથી પસાર થવું પડ્યું હતું. એવી એવી ઘટનાએ બની હતી કે જેમાં દ્વેષી, ઈર્ષાળુ અને સ્વાર્થી વ્યક્તિએએ ગુજરાતના સૂબા અને હાકેમેાને ભરમાવીને, તેમના દ્વારા શ્રી હીરવેિજયસૂરિને પકડી લાવવા હુકમેા કઢાવી, સૂરિજીને બબ્બે વખત ત્રણ ત્રણ મહિના સુધી ગુપ્તપણે રહેવા વિવશ કર્યાં હતા. જ્યારે આ આપત્તિના સમયે આગ્રાના ભાનુમલ અને કલ્યાણમલે અકબર બાદશાહ પાસે બીજું ક્માન કઢાવીને, વડાવલીના શ્રેષ્ઠિ તેાલા ધામીએ ગુપ્તપણે રાખીને, અમદાવાદના શ્રેષ્ઠિ કુંવરજી મહેતાએ સૂબાને સમજાવીને, અમદાવાદ–ઝવેરીવાડમાં રાઘવ નામના ગધવ અને શ્રેષ્ઠિ સામે છેડાવીને તેમ જ લાંકાના દેવજી વગેરે પણ સહાયભૂત થયા હતા. આ કષ્ટદાયક ઘટનાઓ બન્યા બાદ થાડા જ સમયમાં એક ઇષ્ટદાયક ઘટના બની, જે આચાર્ય હીરવિજયસૂરિ અને સમ્રાટ અકબરના મિલનની હતી. વાત એવી બની કે, અકમર બાદશાહના મહેલ પાસેથી એક વરઘોડા નીકળ્યેા. ચપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ ધારણ કર્યાં તે નિમિત્તને આ વરઘોડા હતા. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં તેને ખૂબ આશ્ચય થયું. તેના મનમાં આ વાત કેમેય ન બેસી. તેણે મંગલ ચૌધરી અને કમરૂખાનને આ અંગે તપાસ કરવા કહ્યું. બંનેએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઝીણવટપૂર્વક તપાસ કરી. બાદશાહ અકબરને આ વાત સત્ય હોવાનું જણાવી વધુમાં કહ્યું કે, આ બધા પ્રતાપ તેમના ગુરુ હીરવિજયસૂરિના છે એમ ચપા શ્રાવિકા કહે છે. ” આ હકીકત જાણીને બાદશાહને શ્રી હીરવિજયસૂરિના દર્શન કરવાની ભાવના જાગી. આ ઘટનાની એક વિગત એવી પણ છે કે, અકબર બાદશાહે આ વાતની ખાતરી ચંપાબાઈને એક મહિના મહેલમાં રાખીને કરી હતી. એ પછી કેટલાક દિવસે શ્રાવિકા ચ'પાબાઈને ૬ માસના ઉપવાસ પૂર્ણ થતાં, તે નિમિત્ત નીકળેલા વરઘોડાને જોઇ અકબર બાદશાહે શ્રાવિકા ચંપાબાઈને મહેલે નિમ ંત્રી એમના મુખે શ્રી હીરવિજયસૂરિના પ્રભાવની વાત જાણી. સૂરિજીના દન કરવાની ઉત્કંઠા થવાથી બાદશાહે તુરત ભાનુમલ અને કલ્યાણમલ નામના શ્રાવકોને બેલાવીને કહ્યું કે, “ તમે શ્રી હીરવિજયસૂરિને અહીં પધારવા માટે વિનતિપત્ર લખે. હું પણ એક જુદો પત્ર લખું છું. ' શ્રાવકોએ સૂરિજી પર પત્ર લખ્યું અને બાદશાહ અકબરે ગુજરાતના સૂબા સાહિબખાન ઉપર પત્ર રવાના કર્યાં, અને તેમાં ભારે આગતાસ્વાગતાપૂર્વક સૂરિજીને મેકલવા ફરમાન કર્યું. બાદશાહ અકબરને આ પત્ર જોઇ સૂએ સાહિબખાન પણ સ્તબ્ધ થઈ ગયા ! પૂર્વે પોતે કરેલા ઉપદ્રવો યાદ આવ્યા, ને તેનો પસ્તાવા પણ થયા. પછી અમદાવાદના જાણીતા ગૃહસ્થાને ખેલાવીને બાદશાહ અકબરનું ફરમાન વાંચી સંભળાવ્યું. શ્રી હીરવિજયસૂરિ આ સમયે ગાંધાર બિરાજતા હતા. સૂબાએ શ્રાવકે દ્વારા ત્યાં આ વાત પહોંચાડી. આગ્રાના શ્રાવકાના પણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy