SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૦૯ શ્રી હીરવિજયસૂરિને જન્મ વિ. સં. ૧૫૮૩માં માગશર સુદિ ૯ને દિવસે પ્રહૂલાદપુર (પાલનપુર)માં, ખીમસરા ગોત્રીય ઓશવાલ પરિવારમાં થયો હતો. પિતાનું નામ કુરાશાહ અને માતાનું નામ નાથીબાઈ હતું. તેમનું પિતાનું જન્મ નામ હીરજી હતું. હીરજીને સંઘજી, સુરજી અને શ્રીપાલ નામે ત્રણ ભાઈ તથા રંભા, રાણી અને વિમલા નામે ત્રણ બહેન હતાં. હીરજી સૌથી નાનું અને સૌને પ્રિય ભાઈ હતું. તેને વાન ઊજળ અને ચહેરે તેજસ્વી હતું. તેની વાકછટા અને ગ્રાહ્યશક્તિ કઈ પણને મુગ્ધ કરાવે તેવી હતી. તેણે વ્યાવહારિક અભ્યાસ શાળામાં મેળવ્યા, જ્યારે ધાર્મિક અભ્યાસ સાધુમહારાજના સંપર્કથી પ્રાપ્ત કર્યો. જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાનરુચિના કારણે સાધુમહારાજને સંસર્ગ તેને દિવસે દિવસ વધવા લાગ્યું. તે સાથે તેના આચાર-વિચાર–ઉચ્ચાર સર્વ ધર્મપરાયણ બનવા લાગ્યા. હીરજીની ઉંમર બાર વર્ષની થઈ હશે ત્યાં થોડા થોડા અંતરે માતાપિતા સ્વર્ગવાસી થયા. ઘર માથેથી છત્ર છીનવાઈ ગયું. બહેને બધી સાસરે હતી. હીરજી સૌથી નાને એટલે સૌને તેની ચિંતા વધુ થતી. પાટણ રહેતી બે બહેનો–રાણું અને વિમલા–ભાઈ હીરજીને પિતાની પાસે રહેવા માટે તેડી ગઈ. પાટણમાં એ સમયે કિયે દ્ધારક શ્રી આનંદવિમલસૂરિના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ બિરાજતા હતા. માતાપિતાના સ્વર્ગવાસને આઘાત હરજી માટે વિરક્તભાવમાં પરિણમે હતે. ધર્મની નજીક હોય તેને આવો બોધ થવો સુલભ હતો. હીરજી રોજ ગુરુવંદન અને વ્યાખ્યાનશ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગ્યો. શ્રી વિજયદાનસૂરિની વૈરાગ્યરસ ઝરતી વાણી સાંભળી તેને વૈરાગ્યભાવ પ્રદીપ્ત થયો અને તેણે દીક્ષા લેવાને નિર્ધાર કરી, એ નિર્ણયની જાણ બહેનને કરી. મા વિનાના હીરજી પર બહેનોને નેહરાગ પ્રબળ હતું, પણ હીરજીના દઢ નિશ્ચય અને સમજ આગળ એ નેહરાગ છૂટી ગયો. વિ. સં. ૧પ૯૬માં કાતિક વદિ બીજને દિવસે ૧૩ વર્ષની વયે, શ્રી વિજ્યદાનસૂરિના હસ્તે હીરજીએ દીક્ષા અંગીકાર કરી. શ્રી વિજયદાનસૂરિએ તેનું નામ મુનિ હીરહર્ષ રાખી પિતાના શિષ્ય ઉદ્દઘોષિત કર્યા. | મુનિ હરિહર્ષજી તીવ્ર પ્રજ્ઞા અને જ્ઞાનરુચિના કારણે થોડા જ સમયમાં વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંત વગેરેમાં પારંગત બની ગયા. પછી ગુરુએ તેને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે નિપુણ એવા પંડિત પાસે દેવગિરિ (દોલતાબાદ) મેકલ્યા. ત્યાં પણ થોડા સમયમાં જ “ચિંતામણિ વગેરે ન્યાયના કઠિનમાં કઠિન ગ્રંથનો અભ્યાસ કર્યો અને પાછા આવ્યા. ગુરુએ તેમની શક્તિ અને મેગ્યતા જોઈ તેમને વિ. સં. ૧૯૦૭માં નાડલાઈ (મારવાડ)માં પંન્યાસપદ અને વિ. સં. ૧૯૧૦માં. સિરેિહમાં, આચાર્યપદ આપી શ્રી હીરવિજયસૂરિ નામે જાહેર કર્યા. આ નિમિત્તે ચાંગા મહેતાએ મહોત્સવ ઊજવી સારે એ લ્હાવે લીધે. - ત્યાર બાદ ગુરુદેવ સાથે આચાર્ય હીરવિજયસૂરિ સિરોહીથી વિહાર કરી પાટણ પધાર્યા. ત્યાં તેમને પાટોત્સવ કરવામાં આવ્યું. આ પ્રસંગે સૂબા શેરખાનના મંત્રી સમરથ ભણસાલીએ લમીને ઘણે જ સદ્વ્યય કર્યો. ત્યાર બાદ સં. ૧૬૧૫ થી ૧૬૨૦ દરમિયાન બંને આચાર્યોના સાન્નિધ્ય શત્રુંજય તીર્થાદિ અનેક સ્થાનોમાં નવનિર્મિત જિનમંદિર, દેરીઓમાં તેમ જ જીર્ણોદ્ધાર પામેલા જિનપ્રાસાદમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ તથા યાત્રાસંઘે વગેરે કાર્યો સમ્પન્ન થયાં. વિ. સં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy