SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શાસનપ્રભાવક હુમલા કર્યાં. અને એમાં તે શત્રુંજયના ધ્યાનમાં મૃત્યુ પામ્યા. અહી થી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. આ શાસનરક્ષક વીરને તેમણે સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કર્યાં; અને તપગચ્છ શાસનના રક્ષક બનાવ્યા. સૂરિજીએ માળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સેાર, કન્હામ, દમણ, મેદપાટ વગેરે પ્રદેશમાં વિચરી સદ્ધમની પ્રરૂપણા કરી તથા જેસલમેર, મ ડાવર, પાટણુ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઇડર, ખંભાત, સિરેહી, સાદડી, નાડલાઈ, નાગેાટી વગેરે અજનશલાકા-પ્રતિષ્ઠા સમ્પન્ન કરી. અનેક વાદિઓને હરાવ્યા. તેમ જ ૬૪ કુમતિઓના પરાજય કરી ૬૪ જિનપ્રાસાદે ઉઘડાવ્યા. વિ. સ. ૧૫૮૭માં તીર્થાધિરાજ શત્રુ ંજયગિરિ પર પધારતાં, તેની જીણુ અવસ્થા નિહાળીને તે વખતે યાત્રા કરવા આવેલા ચિતાડગઢના રહેવાસી આસવાલ કુળના બાણા કુટુંબના દેશી કર્માશાને ઉપદેશ આપ્યા અને તેમની પાસે છેલ્લા સાળમા ઉદ્ધાર કરાવ્યા. પૂજ્યશ્રીએ જીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી હતી. ચૌદ વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ તપની મહાન તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીની આજ્ઞા નીચે ૧૮૦૦ સાધુએ વિચરતા હતા. તેમણે ૫૦૦ સાધુઓને દીક્ષિત કર્યાં હતા. વિ. સ. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા ત્યારે એમને આંતરપ્રતીતિ થઈ કે મારા અંતકાળ આવી ગયા છે; એટલે આનશન ધારણ કર્યું. નવમે ઉપવાસે ચૈત્ર સુદ સાતમના સુપ્રભાતે નિઝામપુરામાં સ્વર્ગવાસી થયા. સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબેધક, તીથ ક્ષેત્રામાં અસાધારણ પ્રદાન કરનાર; સમ અને પ્રતાપી, શાસનપ્રભાવક, પરમ પ્રભાવી જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી મહારાજ આચાર્ય હીરવિજયસૂરિ તેમના સમયમાં જૈનશાસનના નભામ`ડળમાં સૂર્ય સમાન તેજસ્વી હતા. તેઓશ્રી એક મહાન, સમ, પ્રતાપી અને પરમ પ્રભાવી આચાય પ્રવર હતા. તેમનુ જ્ઞાન, દન, ચારિત્ર અને તપોબળ અગાધ હતુ. તેમનુ' પ્રદાન, પ્રભુત્વ અને પ્રાયલ્ય અત્ર-તંત્ર-સત્ર હતું. જેમ કલિકાલસર્વૈજ્ઞ થી હેમચંદ્રસૂરિનું ગુજરનરેશ સિદ્ધરાજ અને કુમારપાળના શાસનકાળમાં સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેવુ' જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિનુ` સમ્રાટ અકબર બાદશાહના મુગલકાળમાં તી ક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. અકખર બાદશાહે શત્રુંજય, ગિરનાર, તાર’ગા, આખ્ખુ, સમ્મેતશિખર અને રાજગૃહીના પાંચેય પતા શ્રી હીરવિજયસૂરિને ( અર્થાત્ જૈન શ્વેતાંબર સંઘને ) અણુ કર્યાં હતા. આ હકીક્ત શ્રી હીરવિજયસૂરિની વિરલ સિદ્ધિનાં દન કરાવે છે. શ્રી હીરવિજયસૂરિ તપાગચ્છીય શ્રમણપર પરામાં, શ્રી સુધર્માસ્વામીની પાટે આવેલા પટ્ટધરોમાં, ૫૮ મી પાટે થયા હતા. તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરિ હતા. ગુરુદેવે તેમને પેાતાની પાટે તપાગચ્છના નાયકપદે સ્થાપ્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy