SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતો ૩૧૩ થાય નહિ અને ઇશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધની દખલ થવા દેવી નહિ. આ રીતનું ફરમાન વિ. સં. ૧૬૪૭ના કાઢવામાં આવ્યું હતું (૧૧) જેનતીર્થો અર્પણ કર્યાનું ફરમાન : વેતાંબર જૈનાચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્ય જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે તેમના દર્શનથી મને, અકબર બાદશાહને ઘણો આનંદ થયેલ છે. તેમની, શ્રી હીરવિજયસૂરિની માંગણી મુજબ અમે સિદ્ધાચલ (શત્રુજ્ય), ગિરનાર, તારંગા, કેસરિયાનાથજી, આબુ, સમેતશિખરજી અને રાજગૃહીની પાંચ પહાડીઓ તથા અમારી સલ્તનતમાં ગમે ત્યાં હોય એવા તેમ જ તે પર્વતની નીચે આવેલાં દેવસ્થાને અને દર્શનસ્થળે તેમને (અર્થાત્ જૈન શ્વેતાંબર સંઘને) આપીએ છીએ અને તે તે સ્થળની આસપાસ કે તેમની ઉપર-નીચે કેઈએ કેઈ જાતની જીવહિંસા કરવી નહિ. આ ફરમાન આજે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે મૌજૂદ છે. (૧૨) લગભગ છ માસ અહિંસા પાળવાનું ફરમાન : અકબર બાદશાહે આ ફરમાન મુજબ શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદ ૬ના ૧૨ દિવસ, બાર સૌર મહિનાના પહેલા ૧૨ દિવસે, સાલ ભરના ૪૮ રવિવારે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે, ઇસ્લામી ૭માં રજબ મહિનાના દરેક ચાર સેમવારે, સૌર મહિનાના સર્વ તહેવારે, ઈરાની ફરવરદીન મહિનાના સર્વ ૩૦ દિવસે, બાદશાહના જન્મ મહિનાના બધા દિવસે, શાબાન મહિનાના ૩૦ દિવસે, સેફિયાન મહિનાના ૩૦ દિવસ, મિહિર મહિનાના ૩૦ દિવસ, નવરેજને ૧ દિવસ, રેજા ઈદ કે બકરી ઈદને ૧ દિવસ – એમ વર્ષભરના લગભગ છ મહિના શિકાર અને માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો હતો. (૧૩) બાદશાહ અકબરે વિ. સં. ૧૯૪૦માં ફત્તેહપુર સીકીમાં બાદશાહી દરબારમાં આચાર્ય હીરવિજ્યસૂરિને “જગળુરુ” તરીકે ઓળખાવ્યા હતા. (૧૪) બાદશાહ અકબરે પિતાની ધર્મસભાના ૧૪૦ જ્ઞાની પુરુષનાં નામ લખાવ્યાં હતાં, તેમાં પહેલા વર્ગમાં સેળમાં જ્ઞાની શ્રી હીરવિજયસૂરિ લખાવ્યા હતા. આમ, બાદશાહ અકબર ઉપર શ્રી હીરવિજયસૂરિને પ્રભાવ કે અપૂર્વ હતો તે ઉપરક્ત બાબતોથી સ્પષ્ટ જાણી શકાય છે. વિક્રમની પંદરમી અને રોળમી સદીમાં અન્ય કોમની ધર્માન્જતાથી હિન્દુ અને જેનનાં અનેક મંદિર તથા પ્રતિમાઓ ખંડિત થયાં હતાં. આ ક્ષતિને યથાશકર્થ પહોંચી વળવા શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી અનેક તીર્થો અને જિનાલના જીર્ણોદ્ધાર થયા હતા, નવા જિનાલયે બન્યાં હતાં અને તેઓના હસ્તે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા ને પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી વિજયલક્ષ્મીસૂરિના એક સ્તવનના ઉલ્લેખ મુજબ શ્રી વિયદાનસૂરિએ અઢી લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. આ બંને આચાર્યોની તેમ જ શ્રી હીરવિજ્યસૂરિની પ્રેરણાથી તથા સાંનિધ્યમાં પ્રતિષ્ઠા, યાત્રાસંઘે વગેરે જે ધર્મકાર્યો થયાં તે નીચેની વિગતે છે : અમદાવાદના સુલતાનના મંત્રી ગલરાજ મહેતાએ શત્રુંજ્ય-તીર્થનિ છ મહિના સુધી મુક્તાઘાટ કરાવ્યું, એટલે કે રાજ્ય તરફના લાગા, મુંડકાવે, જકાત, વેઠ વગેરે બંધ કરાવ્યાં; Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy