SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૦૫ વિ. સં. ૧૪૭માં તારંગા તીર્થ ગણિપદ અને વિ. સં. ૧૪૯૯માં રાણકપુર તીર્થે પંન્યાસપદથી અલંકૃત કર્યા. તથા ગુરુદેવશ્રી મુનિસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૧માં મુંડસ્થલમાં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૫૦૮માં મેવાડના મજ્જાપદ્ર (મજેરા)માં શ્રી મુનિસુંદરસૂરિની ભાવનાનુસાર, ગચ્છનાયક શ્રી રત્નશેખરસૂરિ તથા આચાર્ય ઉદયનંદિસૂરિએ આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ વિ. સં. ૧૫૧૭માં ઈડરમાં શેઠ શ્રીપાલ, સંઘવી મહાદેવ આદિએ કરેલા ઉત્સવપૂર્વક આચાર્ય લહમીસાગરસૂરિ ગચ્છનાયક બન્યા. તેઓશ્રીએ વિ. સં. ૧૫૨માં ગ૭પરિધાપનિકા મહોત્સવ ઊજવ્યું ત્યારે ઘણા સાધુઓને આચાર્ય આદિ પદ અર્પણ કર્યા હતાં અને તે પ્રસંગે સર્વ આચાર્યો, ઉપાધ્યાયે, પંન્યાસો, મુનિવરે, મહત્તરા સાધ્વીઓ તેમ જ શ્રાવક-શ્રાવિકાદિ ચતુર્વિધ શ્રીસંઘે મળીને શ્રી લક્ષ્મીસાગરસૂરિને યુગપ્રધાન માન્યા હતા. ગુરુગુણરત્નાકર કાવ્યમાં જણાવ્યું છે કે, શ્રી લક્ષમીસાગરસૂરિની નિશ્રામાં વિશાળ શિષ્યસંપદા ધરાવતા સુધાનંદસૂરિ, શ્રી જિનહંસસૂરિ, શ્રી શુભરત્નસૂરિ, શ્રી સમજયસૂરિ, શ્રી જિનસેમસૂરિ, શ્રી સુમતિસુંદરસૂરિ, શ્રી સુમતિસાધુસૂરિ, શ્રી રાજપ્રિયસૂરિ, શ્રી ઈંદ્રનંદિસૂરિ વગેરે ૧૧ આચાર્યો તથા શ્રી મહીસમુદ્ર, શ્રી લબ્ધિસમુદ્ર, શ્રી અમરનંદિ, શ્રી જિનમાણિક્ય, શ્રી ધર્મહંસ, શ્રી ઈહંસ, શ્રી ગુણસેમ, શ્રી અનંતહંસ વગેરે ઉપાધ્યાય હતા. પંન્યાસે અને મુનિરાજે પણ ઘણા હતા. પ૦૦ નૂતન મુનિરાજે બનાવ્યા હતા. પદસ્થાદિ સાધુઓમાં ઘણા વિદ્વાન અને શાસનપ્રભાવક હતા. પ્રસિદ્ધ કવિ મુનિ લાવણ્યસમય, જેમની દીક્ષા પણ આચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરિના હસ્તે થઈ હતી. આચાર્યશ્રીએ સાધ્વીજી સોમલબ્ધિશ્રીજી આદિને “પ્રવતિની” પદ તથા સાધ્વીજી ઉદયચૂલાશ્રીજી આદિને મહત્તરા” પદ આપ્યાં હતાં. આચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરિ સૌમ્ય અને સમન્વયવાદી હતા. તેથી સમાં આદરણીય હતા. વિ. સં. ૧પ૨૦માં ખંભાત પધારી શ્રી સોમદેવસૂરિ અને ઉપા- રત્નમંડન વચ્ચે મનમેળ કરાવ્યો હતે. ગચ્છમાં જુદા જુદા પક્ષ બંધાઈ ગયા હતા, તેને એકમેક કરવા સારો એ પ્રયત્ન કરી, તપગચ્છને વધારે પુષ્ટ અને સમૃદ્ધ બનાવ્યો હતે. પૂ. શ્રી લક્ષ્મસાગરસૂરિએ વિ. સં. ૧૫૫૩ના વૈશાખ વદિ ૭ને દિવસે ભગવાન સુમતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, જે પ્રતિમા આજે માતર તીર્થમાં બિરાજમાન છે. આ પ્રતિમા અલૌકિક અને ચમત્કારી છે અને “સાચાદેવ સુમતિનાથ” તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રતિમાને લીધે જ તીર્થ તરીકે માતર વધુ પ્રસિદ્ધ થયું છે. મારવાડના પ્રાચીન અને પ્રસિદ્ધ બામણવાડજી તીર્થમાં ફરતી દેરીઓમાં બિરાજમાન પ્રતિમાજીઓના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને તેમના પરિવારના મુનિવરોના નામોલ્લેખ છે. પાટણના વીશા પિરવાડ શેઠ છિદ્રક (છાડા) વંશજ સંઘવી ખીમજી અને સંઘવી સહસા - બંને બંધુઓ શ્રી લક્ષ્મીસાગરસૂરિના ભક્ત હતા. તેઓએ વિ. સં. ૧૫૩૩માં આચાર્યશ્રી પાસે પાવાગઢ તીર્થે પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૫૩૩માં શત્રુંજય અને ગિરનારની યાત્રા સંઘ કાઢયો હતે. ગચ્છની પરિધાપનિકા, ગુરુપદસ્થાપન તથા પ્રતિષ્ઠાઓ, તીર્થોદ્ધાર વગેરે ધર્મકાર્યો અને દાનશાળાઓની સ્થાપનાદિ કાર્યો છે. ૩૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy