SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શાસનપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિના શિષ્યમાં શ્રી વિશાલરાજસૂરિ, મહોઇ શ્રી લક્ષ્મીભદ્રગણિ, ઉપાટ શિવસમુદ્રગણિ, પં. શુભલગણિ વગેરે હતા. આચાર્યશ્રીએ પિતાના હાથે ઘણાને આચાર્યો, ઉપાધ્યાયે, પંન્યા, શ્રી હેમહંસગણિ વગેરે સાધુઓ-સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા હતા. તેમ જ વિવિધ શક્તિવાળા શ્રમ અને શ્રમણપરંપરા પણ આપી હતી. શ્રી મુનિસુંદરસૂરિની પૂર્વે અને ઉત્તરે મળી એક સૈકે જિનપ્રાસાદના નિર્માણમાં, જીર્ણોદ્ધારમાં, ગ્રંથસર્જનમાં, ગ્રંથ લખાવવામાં, ગ્રંથભંડારો સ્થાપવામાં, રાજાઓને પ્રતિબધી ઉપરોક્ત કાર્યોમાં સાથ આપવા, અમારિ પ્રવર્તાવવા, શ્રમોની સંખ્યાવૃદ્ધિમાં, શ્રેષ્ટિઓના ધર્મમાગે સદ્વ્યયમાં અને ધર્મમાં દઢ શ્રદ્ધાસમ્પન્ન બનાવવામાં દીપ્તિમાન હતું. આ આવા મહાન શાસનપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિને તે સમયના ભાવિકો યુગપ્રધાન તરીકે માનતા હતા. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૫૦૩માં કાર્તિક સુદિ ૧ને દિવસે, ૬૭ વર્ષની વયે, ૧૯ વર્ષના ઉજ્વળ દીક્ષાપર્યાયસહ, કેરડા તીર્થમાં સમાધિપૂર્વક થયે હતે. પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, પદપ્રદાન, ગ્રંથભંડાર, દાનના સત્રાગારે વગેરે દ્વારા જૈનશાસનને સમૃદ્ધ બનાવનાર આચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજ આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિ મહારાજ તપાગચ્છના સમર્થ સમન્વયી ગચ્છનાયક અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. તેમના પુણ્ય અને પુરુષાર્થથી ગ૭ વધુ પુષ્ટ અને પ્રભાવશાલી બન્ય હતું. તેમની પ્રેરણા અને સાંનિધ્યે અનેક જિનપ્રાસાદનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, યાત્રાસંઘે અને તીર્થોદ્ધાર, દીક્ષાઓ અને પદપ્રદાને, ગ્રંથભંડાર અને દાનશાળાઓની સ્થાપના, ધર્મગ્રંથનાં આલેખન અને ધર્માનુષ્ઠાને ઇત્યાદિ સુપેરે સમ્પન્ન થયાં હતાં. શ્રી લક્ષ્મીસાગરસૂરિના દીક્ષાગુરુ આચાર્ય મુનિચંદ્રસૂરિ હતા. શ્રી મુનિચંદ્રસૂરિની પાટે શ્રી રત્નશેખરસૂરિ અને તેમની પાટે શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા. તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૪૬૪માં ગુજરાતના ઉમતા ગામે થયે હતું. તેમના પિતાનું નામ કરમશી, માતાનું નામ કરમાદેવી અને સ્વનામ દેવરાજ હતું. બાળપણથી જ ધર્મના ઊંડા સંસ્કાર પ્રાપ્ત થતાં અને સાધુસમાગમ વિશેષ મળતાં નાની વયે જ દેવરાજભાઈ દિક્ષા અભિલાષી બન્યા. પટ્ટાવલી મુજબ ૧૩ વર્ષની વયે અને “ગુરુગુણરત્નાકર કાવ્ય” મુજબ વિ. સં. ૧૪૭૦માં માત્ર ૬ વર્ષની વયે આચાર્ય મુનિસુંદરસૂરિએ તેમને દીક્ષા આપી અને મુનિશ્રી લક્ષ્મીસાગરજી નામે ઉઘેષિત કર્યા હતા. મુનિશ્રી લક્ષ્મીસાગરે બાલ્યવયમાં જ તીવ્ર જ્ઞાનરુચિ અને વિરલ પ્રજ્ઞાબળ ધર્મશાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સિદ્ધાંત ચર્ચામાં વાદીઓને પણ પરાસ્ત કરી સૌને ચકિત કર્યા. તેમની યોગવહનપૂર્વક જ્ઞાનાદિની ઉત્તરોત્તર વૃદ્ધિથી દાદાગુરુ શ્રી સેમસુંદરસૂરિએ તેમને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy