SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ૩૦૩ સૂરિની અધ્યક્ષતામાં સંધપતિ બની, શત્રુજ્ય આદિ તીર્થોની યાત્રા માટે છરી પાળતે માટે યાત્રાસંઘ કાઢયો, ને શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરી. શ્રી મુનિસુંદરસૂરિ મહાન તપસ્વી હતા. તેઓ છઠ-આઠમ વગેરે તપ કરતા હતા. સૂરિમંત્રની તેમણે ૨૪ વાર વિધિપૂર્વક આરાધના કરી હતી. તેના પ્રભાવે પદ્માવતી આદિ દેવીએ તેમને પ્રત્યક્ષ થતી તેમ જ સહાય કરતી. મેવાડમાં દેલવાડામાં થયેલ ઉપદ્રવને શાંત કરવા તેમણે ચમત્કારી નવા “સંતિકર ” તેત્રની રચના કરી હતી. સિરેડી પ્રદેશમાં ઉત્પન્ન થયેલા તીડના ઉપદ્રવને શમાવી આપતાં, ત્યાંના રાજા સહસમલે પિતાના રાજ્યમાં “અમારિ” પ્રવર્તાવી હતી. આ ઉપરાંત, શ્રી મુનિસુંદરસૂરિના ઉપદેશ અને પ્રભાવથી ચંપરાજ વગેરે રાજાઓએ પિતપતાનાં રાજ્યમાં “અમારિ’ પ્રવર્તાવી હતી. વિજ્ઞપ્તિપત્ર ”નું અદ્ભુત સર્જન : શ્રી મુનિસુંદરસૂરિનું સુંદરમાં સુંદર કાર્ય , ત્રિદશતરંગિણ” નામને વિજ્ઞપ્તિપત્ર છે. આ વિજ્ઞપ્તિપત્ર તેમણે દાદાગુરુ શ્રી દેવસુંદરસૂરિ પર મોકલ્યો હતો. તે એટલે વિસ્તૃત અને સુંદર હતું કે જગતભરના વિજ્ઞપ્તિપત્રના સાહિત્યમાં તેનું સ્થાન અજોડ છે. તે લગભગ ૧૦૮ વાર લાંબો હતો. તેમાં એક એકથી ચડે તેવાં પ્રાસાદો, ચક્ર, પ, સિંહાસન, અશક, ભેરી, પ્રતિહાર્યાદિ અનેક ચિત્રમય કે હતા. અને તે લેકે જુદી જુદી જાતનાં વૃત્તોમાં રચવામાં આવ્યા હતા. તે ‘ત્રિદશતરંગિણીમાં ત્રણ સ્તોત્ર અને એકસઠ તરંગે હતા. તે આખો વિજ્ઞમિ-પત્ર હાલમાં ઉપલબ્ધ થતા નથી. પણ ત્રીજા સ્તોત્ર “ગુર્નાવલી” નામને પાંચસે કાવ્યને એક વિભાગ માત્ર મળે છે, જેમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીથી તેમના સમય સુધીના તપગચ્છ આચાર્યોનું સંક્ષેપમાં વર્ણન છે. ત્રીજા સ્તંત્રને આ એક વિભાગ આટલો બધે વિસ્તૃત છે તો ત્રણે તેત્ર સાથે તે વિજ્ઞપ્તિ–પત્ર કેટલો વિશાળ હશે તેને કંઈક ખ્યાલ આવી શકશે. તેમાં અર્થગાંભીર્ય પણ અતીવ છે. આ પ્રૌઢ અને પ્રલંબ વિજ્ઞપ્તિ-પત્ર કેઈએ લખ્યાનું હજી સુધી જાણવામાં આવ્યું નથી. તે પણ જે ઉપલબ્ધ છે તે ( ગુર્નાવલી) શ્રમણ સંઘને કડીબદ્ધ ઇતિહાસ આપી જાય છે. શ્રી મુનિસુંદરસૂરિએ આ ઉપરાંત અનેક ગ્રંથની રચના કરી હતી, તેમાં પણ વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. તે ગ્રંથે આ પ્રમાણે છે : ૧. વેદ્યગોષ્ઠી (વિ. સં. ૧૪૫૫ની રચના), ૨. જિનસ્તોત્ર રત્નકેશ (સં. ૧૪૫૫), ૩. શાંતસુધારસ (સં. ૧૪૫૫), ૪. શ્રી દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિ-રૂપે ૧૦૮ વાર લાંબો પત્ર [ વિજ્ઞપ્તિત્રિવેણી સ્તંત્ર : ૩, તરંગ : ૬]. (સં. ૧૪૬૬), પ. એ જ વિજ્ઞપ્તિના ત્રીજા સ્તોત્રરૂપે ગુર્નાવલી, લેક ૪૯૬૮ (સં. ૧૪૬૬), ૬. જયાનંદચરિત્ર-મહાકાવ્ય, ગ્રંથપરિમાણ : ૭૫૦૦ (સં. ૧૪૮૩), ૭. અધ્યાત્યકપદ્રમ (સં. ૧૪૮૪), ૮. મિત્ર–ચતુષ્ક કથા (સં. ૧૪૮૭), ૯. ઉપદેશરત્નાકર પવૃત્તિ સહિત (સં. ૧૪૯૩), ૧૦. પાક્ષિક સત્તરી, ૧૧. વનસ્પતિ સત્તરી, ૧૨. અંગુલ સત્તરી, ૧૩. સીમંધરસ્તુતિ, ૧૪. યેગશાસ્ત્ર (ચતુર્થ પ્રકાશને બાળાવધ) અને ૧૫. સંતિક તેત્ર, પ્રાકૃતગાથા: ૧૩ (સં. ૧૪૯૩ કે સં. ૧૫૦૨). શ્રી મુનિસુંદરસૂરિની આ અદ્ભુત સાહિત્યસિદ્ધિથી તેઓ “સિદ્ધસારસ્વતસૂરિ' અને “સિદ્ધસારસ્વતકવિ' તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy