SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા નામ આપી પેાતાની પાટે સ્થાપ્યા હતા. એવા જ મહેત્સવપૂર્ણાંક શ્રી જયચંદ્રસૂરિ, શ્રી ભુવનસુંદરસૂરિ, શ્રી જિનસુંદરસૂરિ વગેરેને આચાર્ય પદવીએ અને શ્રી ચારિત્રરત્ન, શ્રી રત્નમંડન, શ્રી જિનમંડન, શ્રી હેમહંસ, શ્રી સામદેવ, શ્રી વસુનંદન, શ્રી સુધાનંદન, શ્રી વિશાલરાજ વગેરેને ઉપાધ્યાયપદવી આપી હતી. એ દર્શાવે છે કે આચાર્યં શ્રીને ઘણા સમર્થ શિષ્યા-પ્રશિષ્યા હતા. " શ્રી સામસુંદરસૂરિ લોકપ્રિય હતા, તેમ સર્વાંગચ્છપ્રિય પણ હતા. તેમણે વિશાળ શ્રમણસમુદાય માટે, ઉત્કૃષ્ટ સંયમ પાળવા માટે, ‘સાધુમર્યાદા પટ્ટક બનાવ્યું હતું. ખીન્ત ગચ્છવાળા તેમની પાસે પ્રાયશ્ચિત લેવા આવતા. તેમણે કચ્છના ચાબારી ગામમાં કોઈ એ ઇર્ષાથી મેાકલાવેલા માણસને શાંત બનાવી ઉપદેશ આપતાં, તે દીક્ષા લઈ આચાય શ્રીના શિષ્ય બની ગયા હતા. ૩૦૧ પૂ. આચાર્યશ્રીએ વિશાળ સાહિત્યનું સર્જન કર્યુ છે, જેમાં મુખ્ય ગ્રંથા આ પ્રમાણે છે ઃ ૧. ચૈત્યવ`દનભાષ્ય-અવસૂરિ, ૨. કલ્પાન્તર્વાચ્ય, ૩. ચતુર્વિશ જિનભવાત્કીન સ્તવ, ૪. નવખ’ડ પાર્શ્વનાથાષ્ટક-સાવરૢરિ, પ. યુગાદિનિસ્તત્ર, ૬. યુષ્મમ્ શબ્દનવસ્તવ, છ. અસ્મત્ શબ્દનવસ્તવ, ૮. ભાષ્યત્રયન્ચૂર્ણિ, ૯. કલ્યાણુસ્તવ, ૧૦. યતિજીતકલ્ચરત્નકાશ, ૧૧. આરાધનારાસ, ૧૨. અબૂ દકલ્પ-નેમિનાથ નવરસફાગ, ૧૩. ઉપદેશમાલા-બાલાવબેધ, ૧૪. સ્થૂલિભદ્રાગ, ૧૫. યોગશાસ્ત્ર બાલાવબાધ, ૧૬. ષડાવશ્યક બાલાવબેધ, ૧૭. નવતત્ત્વ બાલાવબેધ, ૧૮. આરાધનાપતાકા આલાવષેધ, ૧૯. ષષ્ઠિશતક બાલાવમેધ વગેરે. આચાર્ય શ્રી ગુજરાતી ભાષાના પ્રાચીન ગદ્યના આદ્ય પુરસ્કર્તા હતા. આચાર્ય શ્રીએ વિ.સ. ૧૫૦૧માં નાલમાં ચામાસું કર્યું હતું. આ ચામાસામાં તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા. (નોંધ : આચાર્ય શ્રી સામસુ ંદરસૂરિજીનું વિગતવાર સંપૂર્ણ જીવન જાણવા માટે તેમના શિષ્ય ૫. પ્રતિષ્ઠા સામગણુ કૃત ‘સામ-સૌભાગ્ય કાવ્ય ' જોવું. ) અદ્ભુત અને અજોડ એવા વિજ્ઞપ્તિરૂપ · ત્રિદશતરંગિણી ' ગ્રંથના સર્જક, સહસ્રાવધાની, આગમના અગાધ જ્ઞાની, મંત્ર-વિદ્યા સિદ્ધ, વૈવિધ્યપૂર્ણ ગ્રંથાના રચયિતા અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ આચાય. મુનિસુંદરસૂરિ સહસ્રાવધાની; ન્યાય, વ્યાકરણ, કાવ્ય અને આગમાના સમ જ્ઞાની; મંત્રવિદ્યા સિદ્ધ; ‘ અમારિ’પ્રવર્તાવનાર; જગતભરમાં અજોડ એવાં · ત્રિદૃશતર ગણી ’ નામના વિજ્ઞપ્તિપત્રના આલેખનકાર; વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટ ચથાના સર્જક અને મહાન શાસનપ્રભાવક આચાય હતા. શ્રી મુનિસુ ંદરસૂરિના ગુરુ શ્રી સામસુ ંદરસૂરિ હતા. બંને આચાર્ય શ્રી સુધર્માસ્વામીની પાટપર પરામાં અનુક્રમે ૫૦મી પાર્ટ અને ૫૧મી પાટે થયેલા પટ્ટધર ગચ્છનાયક હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy