SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક અમદાવાદના બાદશાહ અહમદશાહને માનીતે સંઘવી ગુણરાજ એશવાલ આચાર્ય શ્રીના અનન્ય ભક્ત હતા. તેણે વિ. સ’. ૧૪૭૭માં બાદશાહનું ફરમાન મેળવી, શ્રી સામસુંદરસૂરિની અધ્યક્ષતામાં શત્રુ ંજય તીના છ'રી પાળતા માટેા સઘ કાઢ્યો અને યાત્રાસ'ઘ સાથે શત્રુજય, મહુવા, પ્રભાસપાટણ, ગિરનાર વગેરેની યાત્રા કરી હતી. તેમના પુત્ર ગજરાજ, મહારાજ અને બાલુરાજે ચિત્તોડગઢમાં રાજા માકલિસંહની સંમતિથી રાજા અલ્લરના સમયના જૈન વિજયકીતિ સ્ત ંભાનો જીર્ણોદ્ધાર કરાવી તથા પાસેના ભગવાન મહાવીરસ્વામીના દેરાસરના મૂળમાંથી જીર્ણોદ્ધાર કરાવી તેમ જ ત્રીજી ચાર દેરીએ નવી બનાવી, તેમાં વિ. સં. ૧૪૮૫માં આચાર્ય સામસુ દરસૂરિના હાથે ભગવાન મહાવીરસ્વામી વગેરેની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સંઘવી ગુણરાજના નાનાભાઈ નાનુભાઈ ( આંબાકે ) પત્ની, પુત્ર અને ધન છોડીને પૂ. સામસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી, જેમનું નામ પં. નદીરત્ન ગણ હતું. ૩૦ શા. મેઘજી આસવાલે આચાય શ્રીના ઉપદેશથી પાવાગઢમાં ભગવાન સ`ભવનાથના દેરાસરમાં ૮ દેરી બંધાવી, સોપારામાં જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યેા, સુલતાનપુરમાં ઉપાશ્રય ખંધાવ્યા અને ૨૪ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી, મહીકાંઠામાં ૨૪ વાર અમારિ પળાવી, અને વિ. સ. ૧૪૯૮માં ‘ જૈન સિદ્ધાંત ભડાર 'ની સ્થાપના કરી. વડનગરમાં વીશા પોરવાડ સ`ઘવી દેવરાજે ભરાવેલા સાત ધાતુના ભગવાન અભિનંદસ્વામીની મેટા જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. ચિત્તૌડમાં વીસલશાહે આશવાલના જિનાલયમાં ભગવાન શ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને તેમના પત્ની ખીમાદે તથા પુત્ર ચંપકે ભરાવેલ ભગવાન કલ્પદ્રુમ પાર્શ્વનાથની ૯૩ આંગળ ઊ'ચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ જ ખીમાદેએ આચાર્યશ્રીના ઉપદેશથી દેશના સઘળા જેનેને ‘ સાકરની લહાણી કરી હતી. વળી, શ્રી સેામસુ ંદરસૂરિ મહારાજના ઉપદેશથી પાટણના શેઠ કર્મસિંહ શ્રીમાલીના વ‘શજ શેઠ ગોવિંદ અને તેના પુત્ર નાગરાજે આગમગ્ર'થી તાડપત્ર પર લખાવ્યા હતા. હડાળાના શેઠ ધરમશી પારવાડે પાટણમાં મોટા ગ્રંથભંડાર સ્થાપ્યા અને તેના માટે સ ૧૪૭૪માં એક લાખ શ્લોકાત્મક આગમગ્રંથા અને સ. ૧૪૮૧ સુધીમાં એ લાખ ક્ષેાકાત્મક ગ્રંથા લખાવ્યા. અન્ય પણ અનેક ગ્રંથા જુદા જુદા ભાવિકાએ આચાર્યશ્રીના ઉપદેશથી લખાવ્યા હતા. શ્રી સામસુ ંદરસૂરિના સમયમાં ઘણા ગ્રંથભંડારો સ્થપાયા હતા અને વિવિધ વિષયના ઘણા ગ્રંથા લખાયા હતા. ઉપરાંત, તેમના સમયમાં તાડપત્રીય પાનાં પરથી કાગળ પર પણ અનેક ગ્રંથા લખાવવામાં આવ્યા હતા. ' પૂ. શ્રી સામસુંદરસૂરિના હસ્તે અનેક પદવીઓ અને દીક્ષાઓ થઇ હતી. તેઓશ્રીની આજ્ઞામાં તપાગચ્છની સુંદર, કીતિ, રાજ, શેખર, નદિ, સાગર, દેવ, મંડન, રત્ન, જય, હુ’સ, વન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ધર્મ, ચંદ્ર, સિંહ, સેન, સામ વગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦૦ શ્રમણેા હતા. એ સમયમાં પદ્મ-પ્રદાનના મેટા ઉત્સવ! ઉજવાતા અને શ્રાવક પણ એટલા ભક્તિવાન અને પ્રભાવનાશીલ હતા કે આવા પ્રસંગેામાં છૂટે હાથે દ્રવ્યના સય કરતા. વડનગરમાં દેવિગિરના સંધવી દેવરાજે ૨૭૦૦૦ રૂા. ખરચી માટેા ઉત્સવ કર્યાં હતા; અને તેમાં આચાર્ય શ્રી સામસુદરસૂરિએ ઉપા॰ મેહનન'દને આચાર્ય પદવી આપી, આચાર્ય મુનિસુંદરસૂરિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy