SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત જેવા મનાતા હતા. તેમણે રાણકપુર તીર્થ અને પિસીના તીર્થની સ્થાપના કરી હતી. ઘણેરાવના સંઘવી ધરણશાહે રાણકપુરમાં “નલિની ગુલ્મ' સમાન “શૈલેશ્વદીપક” નામને ત્રણ માળને ૪૫ ફૂટ ઊંચે ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવી, તેમાં વિ. સં. ૧૪૯ના ફાગણ વદિ પાંચમે શ્રી સોમસુંદરસૂરિના હસ્તે ભગવાન કાષભદેવની ચૌમુખ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી હતી. આ જિનપ્રાસાદ ભારતીય સ્થાપત્યકલાનો અજોડ નમૂને છે. રાણકપુર વસનાર મેવાડના રાણા કુંભાજી આચાર્યશ્રીના ભક્ત હતા. તેમણે પણ આ જિનપ્રાસાદમાં બે સ્તંભો બનાવ્યા હતા. પિસીનાના નગરશેઠ વિજયસિંહને ગોપાલ નામે પુત્ર હતું, જે માટે દાનેશ્વરી, પપકારી અને સત્યવાદી હતું. તેણે પિસીનામાં ભગવાન પાર્શ્વનાથનો બે મંડપવાળો જિનપ્રાસાદ બંધાવી, તેમાં વિ. સં. ૧૪૭૭માં શ્રી સમસુંદરસૂરિના હસ્તે ભગવાન પાર્શ્વનાથ વગેરે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમના પુત્ર અર્જુને પણ વિ. સં. ૧૮૯૧માં આચાર્યશ્રી પાસે ભગવાન રાષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે ઉપરાંત આચાર્યશ્રીએ વીશા પિરવાડ શાહ ધૂલાજીએ પોસીનામાં બંધાવેલ, ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન મહાવીરસ્વામી વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા પણ કરી હતી. આમ, ત્યારથી પિસીના તીર્થ બન્યું છે. માંડવગઢના બાદશાહ ગ્યાસુદ્દીનના કામદાર સોની સંગ્રામસિંહ વિ. સં. ૧૪૭૦માં આચાર્ય સેમસુંદરસૂરિને માંડવગઢમાં પધરાવી, જેમાસું કરાવ્યું હતું. અને તેમની પાસેથી ભગવતીસૂત્રટીકા’નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તેમાં આવતા ૩૬૦૦૦ “ગેયમા” (ગૌતમ) શબ્દદીઠ તેણે તથા માતા અને પત્ની તરફથી ૬૩૦૦૦ સોનામહોરે મૂકી હતી. અને આચાર્યશ્રીના ઉપદેશથી એ રકમમાંથી સોનેરી અને રૂપેરી શાહીથી ચિત્રવાળી ‘કલ્પસૂત્ર” તથા “કાલિકાચાર્ય'ની અનેક પ્રત લખાવી, તેમાંથી ત્યાં ચોમાસું રહેલા મુનિવરને એક એક પ્રત વહોરાવી અને સંઘના ગ્રંથભંડારોમાં પણ ઘણી પ્રતો મૂકી. વળી, સોની સંગ્રામસિંહે આચાર્યશ્રીના ઉપદેશથી માંડવગઢમાં વિ. સં. ૧૮૭રમાં ભગવાન સુપાર્શ્વનાથને અને મસી પાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યું તેમ જ જુદા જુદા સ્થાનોમાં ૧૫ જિનમંદિર બંધાવ્યાં અને પ૧ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આચાર્યશ્રીએ આબૂ પાસે ભારજા વગેરે નગરના ૭ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરીતેમ જ આ પ્રદેશમાં ૨૧ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા. મેવાડના જાવરા ગામમાં વિ. સં. ૧૪૭૮માં શેઠ વાના છેવાડના વંશજ સંઘપતિ ધનપાલે બંધાવેલા ભગવાન શાંતિનાથના જિનપ્રાસાદની પણ પૂજ્યશ્રીથી પ્રતિષ્ઠા કરી હતી. - ઈડરના રાવ પૂજાજીના માનીતા ઈડરના નગરશેઠ સંઘવી વત્સરાજ સવાલને પુત્ર ગેવિંદ શ્રી સમસુંદરસૂરિને પરમ ભક્ત હતા. તેણે સૂરિમહારાજના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર, સોપારક, તારંગા વગેરે તીર્થોના સંઘ કાવ્યા હતા અને તારંગા તીર્થમાં “કુમારવિહાર જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી તથા ભગવાન અજિતનાથની નવી પ્રતિમા ભરાવી, વિ. સં. ૧૪૭૯માં મેટે સંઘ એકત્રિત કરી, આચાર્યો સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મહત્સવમાં સૂરિજીના પરિવારના ૧૮૦૦ સાધુઓ હાજર હતા અને ભાવિકેની ઉપસ્થિતિ પણ ઘણી મોટી હતી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy