SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવકે ગ્રંથ છે. તેમાં શ્રી હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમવ્યાકરણ (શબ્દાનુશાસન)માંથી ઘણાં જ અગત્યનાં ધાતુઓ લઈ, તેનાં દશ ગણનાં ગણવારરૂપ આપ્યાં છે. પ્રગો અને ઉદાહરણ સાથે ધાતુઓનાં રૂપ બતાવવાથી આ ગ્રંથ વિશેષ ઉપયેગી બને છે. આ ગ્રંથની રચના વિ. સં. ૧૪૬૬માં, ઈડરમાં થઈ હતી. શ્રેષ્ટિ ગોવિંદ અને શ્રુતભક્ત વિશલદેવે સપરિવાર સં. ૧૮૬૮માં આ ગ્રંથની ૧૦ પ્રતિલિપિઓ કરાવી હતી. (૩) તક રહસ્યદીપિકા : શ્રી હરિભદ્રસૂરિકૃત “ઘડ્રદર્શનસમુચ્ચય” ઉપરની બૃહદ્રવૃત્તિ (ટકા) છે. “દર્શન” ઉપરના શ્રેષ્ઠ ગ્રંમાં આ એક ગ્રંથ છે. ઉપરાંત, શ્રી ગુણરત્નસૂરિએ અન્ય પૂના અને ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથ પર રચેલ અવસૂરિઓમાં ૧. સપ્તતિકા, ૨. કર્મગ્રંથો, ૩. ચાર પન્ના (આતુર પ્રત્યાખ્યાન, ચતુઃ શરણ, સંસ્મારક અને ભક્ત પરીક્ષા) પર અવસૂરિ, બૃહદ્દનવ્ય-ક્ષેત્રસમાસ પર અવસૂરિ અને નવતત્વ પર અવસૂરિ રચી છે. આ બધી અવસૂરિની રચના વિ. સં. ૧૪૫૭ અને ૧૪૫૯ દરમિયાન થઈ હતી. શ્રી ગુણરત્નસૂરિની આચાર્યપદવી અને ગ્રંથરચનાની સંવતે જોતાં તેઓ વિક્રમની પંદરમી શતાબ્દીમાં થયાનું નિશ્ચિત થાય છે. જિનશાસનના સર્વાગી ઉત્કર્ષને ચરિતાર્થ કરનારા, સમર્થ, પ્રભાવી, પ્રતાપી, ધર્મ ધુરંધર, શાસન જ્યોતિર્ધર આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ આચાર્ય સોમસુંદરસૂરિજી જ્ઞાની, ગુણવાન, મધુરભાષી, અમેઘ ઉપદેશક, ક્ષમાશીલ, શિષ્યવત્સલ અને મહાન ધર્મ પ્રભાવક હતા. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, સંઘયાત્રાઓ, પદપ્રદાને, દીક્ષાઓ આદિ ધર્મકાર્યો સુસંપન્ન થયાં હતાં. શ્રી સોમસુંદરસૂરિજી તપાગચ્છ શ્રમણપરંપરામાં આચાર્ય દેવસુંદરસૂરિજીની પાટે ગચ્છનાયક થયા હતા. તેમના દીક્ષાગુરુ આચાર્ય જ્યાનંદસૂરિ હતા અને વિદ્યાગુરુ શ્રી જ્ઞાનસાગરસૂરિ હતા. શ્રી સમસુંદરસૂરિજીને જન્મ વિ. સં. ૧૪૩૦માં, પાલનપુરમાં થયે હતો. તેમના પિતાનું નામ સજનસિંહ, માતાનું નામ માહુલણદેવી અને તેમનું જન્મનામ સેમચંદ હતું. જન્મથી જ તેમનામાં શુભ લક્ષણને પરિચય મળતો હતો. વિ. સં. ૧૪૩૭માં, માત્ર આઠ વર્ષની વયે, દીક્ષા અંગીકાર કરી. આચાર્ય જયાનંદસૂરિએ દીક્ષા આપી મુનિ સેમસુંદર નામે ઘોષિત કર્યા. તેઓશ્રી શાસ્ત્રાધ્યયનમાં તીવ્ર રુચિથી અને સમર્થ બુદ્ધિબળથી સત્વરે વિકાસ કરતાં ગયા, અને તેથી તેમને આચાર્ય જ્ઞાનસાગરસૂરિના સાંનિધ્યે એંપ્યા. ક્રમે ક્રમે તેઓશ્રી જ્ઞાનસંપ્રાપ્તિમાં એટલા પારંગત થયા કે વિ. સં. ૧૪૫૦માં તેમને ઉપાધ્યાયપદ અર્પણ કરવામાં આવ્યું અને વિ. સં. ૧૪૫૭માં, માત્ર ૨૭ વર્ષની વયે, પાટણમાં, શેઠ નરસિંહ એસવાલે કરેલા અદ્ભૂત મહોત્સવપૂર્વક શ્રી દેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પદથી અલંકૃત કર્યા. તે સમયે જિનશાસનને ઉદ્ધાર-ઉત્કર્ષ કરવામાં આચાર્ય સેમસુંદરસૂરિ શ્રી ગૌતમસ્વામી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy