SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૨૯૭ સહયોગ મળ્યો હતો. આચાર્ય મેરૂતુંગસૂરિના શિષ્ય શ્રી ગુણચંદ્રસૂરિએ આ ગ્રંથની પ્રથમ પ્રતિલિપિ તૈયાર કરી હતી. શ્રી રાજશેખરના “પ્રબંધકોશમાં “પ્રબંધચિંતામણિને ઉપગ થયું છે. આ ગ્રંથનું નિર્માણ વઢવાણમાં થયું હતું. આ ગ્રંથ વિ. સં. ૧૩૬૦માં પૂર્ણ થયે હતે એ આધારે શ્રી મેરૂતુંગસૂરિ વિક્રમની ચૌદમી સદીના વિદ્વાન સિદ્ધ થાય છે. દર્શન અને તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા, જ્યોતિષ અને વાદવિઘામાં નિપુણ, અનેક શ્રમણોના વિદ્યાગુરુ, વિવિધ વિષયના ગ્રંથન વૃત્તિકાર ને અવચેરિકાર, અહંકાર-રોષ અને નિંદાથી સદાય અલિપ્ત આચાર્યશ્રી ગુણરત્નસૂરિજી મહારાજ આચાર્ય ગુણરત્નસૂરિ દર્શન અને તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા, વિવિધ વિષયના ગ્રંથના ટીકાકાર અને અવસૂરિકાર, અનેક શ્રમણોના વિદ્યાગુરુ તથા અહંકાર, રોષ અને નિંદાથી પર એવા ઉત્કૃષ્ટ સંયમી હતા. શ્રી ગુણરત્નસૂરિ તપાગચ્છ શ્રમણ પરંપરાના પટ્ટધર શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય હતા. તેમને ગુરુ પ્રત્યે આદરભાવ કે અનન્ય હતા તે આચાર્ય દેવસુંદરસૂરિના ટૂંકાક્ષરી પરિચય (ગુરુપક્રમ: શ્લોક : પ૬)માં જણાય છે : “તેમનામાં દે હતા જ નહીં, આથી દુર્જને તેમની નિંદા કરી શકતા ન હતા અને તેમના ગુણે અગણિત હતા.” તપાગચ્છ પટ્ટાવલી પ્રમાણે શ્રી સુધર્માસ્વામીની ઇક્ષ્મી પાટે શ્રી દેવસુંદરસૂરિ થયા હતા. શ્રી દેવસુંદરસૂરિના પરિવારમાં ૮૪ પદવીધા હતા, તેમાં પાંચ મુખ્ય આચાર્યો હતા; તેમાંના એક શ્રી ગુણરત્નસૂરિ હતા. શ્રી ગુણરત્નસૂરિનું ચારિત્ર અતિ નિર્મળ હતું. તેમનામાં અભિમાન, ક્રોધ, વિકથાને સદંતર અભાવ હતો. તેઓ ગ્રંથનું હાર્દ સમજવામાં તીક્ષ્ણ બુદ્ધિવાળા તથા વ્યાકરણ, તક અને દર્શનશાસ્ત્રમાં પારંગત હતા. તેમની પાસે ઘણા મુનિવરો વ્યાકરણ, સાહિત્ય, તિષ અને જિનાગમ ભણ્યા હતા. શ્રી ગુણરત્નસૂરિ તિષ અને વાદવિદ્યામાં પણ નિપુણ હતા. વિ. સં. ૧૪૪૨માં, ખંભાતમાં, તેઓશ્રીની આચાર્યપદવી મહામહોત્સવપૂર્વક થઈ હતી. ગ્રંથરચના : શ્રી ગુણરત્નસૂરિએ સારા પ્રમાણમાં ગ્રંથ રચ્યા છે. તેમાં “કિયારત્નસમુચ્ચય” અને “તર્ક રહસ્યદીપિકા'—આ બે ગ્રંથે પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ છે. તેમની ગ્રંથરચનાઓ નીચેની વિગતે છે : (૧) કલ્પાંતર્વાચ : આ તેમની સર્વ પ્રથમ રચના છે. આ ગ્રંથમાં પર્યુષણ પર્વારાધના અને કલ્પસૂત્રશ્રમણની ઉપયોગીતા બતાવી છે. ગ્રંથમાંની કથાઓ રેચક અને હૃદયસ્પર્શી છે. આ ગ્રંથની રચના વિ. સં. ૧૪૫૭માં થઈ હતી. (૨) ક્રિયારત્નસમુચ્ચય: તે વ્યાકરણને લગતે શ્ર, ૩૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy