SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ વૃત્તિ વગેરે ગ્રંથેા બનાવ્યા હતા. તેમના શિષ્ય ઉપા॰ વિનયપ્રલે વિ. સ. ૧૪૧૨માં ગૌતમસ્વામીના રાસ ’ રચ્યા, જે આજે ઘેર ઘેર વ'ચાય છે. શ્રી જિનકુશલસૂરિને સ્વર્ગવાસ હાલ પાકિસ્તાનમાં આવેલા દેવરાજપુર ( દેશર)માં વિ. સ'. ૧૩૮૯માં થયા હતા. ત્યાં એક સ્તૂપ બનાવવામાં આવ્યેા હતેા. પણ હાલમાં તે નથી. ખરતરગચ્છની અનેક ગ્રામ-નગરોમાં આવેલ દાદાવાડીમાં શ્રી જિનકુશલસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. શાસનપ્રભાવક આધારભૂત–પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ ‘ પ્રબંધચિન્તામણિ ’ના રચયિતા આચાર્ય શ્રી મેતુગસૂરિજી મહારાજ આચાય' મેરુતુ ંગર સમ ઇતિહાસવિદ્ અને મહાન ગ્રંથકાર હતા. ‘ પ્રબંધચિંતામણિ ’ ગ્રંથનાં આલેખનથી તેમણે સારી એવી પ્રસિદ્ધિ અને ગૌરવ પ્રાપ્ત કર્યાં છે. જૈન ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસના તજ્ઞાને એક આધારભૂત અને પ્રમાણભૂત ગ્રંથ આપીને તેમને મહાન ઉપકાર કર્યો છે. શ્રી મેરુતુ'ગસૂરિના ગૃહસ્થજીવનની કેઈ વિગતા મળતી નથી. જ્યારે સાધુજીવનની તેમના ગુરુ, ગચ્છ અને પાટપરપરાની વિગતે જ પ્રાપ્ત થાય છે. તેઓશ્રી ચંદ્રકુળની શાખા રાજગચ્છમાં થયેલા આચાર્યમાં એક આચાય હતા. આચાર્ય નન્નસૂરિથી રાજગચ્છ નીકળ્યા હતા. તેમની નવમી પાટે શીલભદ્રસૂરિ, દસમી પાટે શ્રી ચંદ્રસૂરિ અને તેમના પ્રશિષ્ય શ્રી ચદ્રપ્રભસૂરિના બે પટ્ટધરામાં ખીજા પટ્ટધર શ્રી મેરુતુંગસૂરિ હતા. તેમના શિષ્ય શ્રી ગુણચંદ્રસૂરિ પટ્ટધર અને જ્ઞાનની ઉત્તમ રુચિવાળા હતા. સાહિત્ય : આચાર્ય મેરુતુ ગસૂરિની સમથ વિદ્વત્તા ઇતિહાસ-લેખનથી પ્રગટ થઈ છે. તેમણે ‘ મહાપુરુષચિરત્ર' નામના ગ્રંથનુ નિર્માણ કર્યુ હતુ. ‘પ્રબંધ ચિંતામણિ 'ની જેમ આ કૃતિ પણ ઇતિહાસ સાથે સંબંધવાળી છે. આ કૃતિમાં પ્રથમ તીથ કર શ્રી ઋષભદેવ, સાળમા શ્રી શાંતિનાથ, બાવીશમા શ્રી નેમિનાથ, તેવીશમા શ્રી પાર્શ્વનાથ અને અંતિમ ચાવીશમા શ્રી મહાવીરસ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર લખેલ છે. ઇતિહાસરસિક પાક માટે આ અત્યંત ઉપયોગી ગ્રંથ છે. આચાય. મેરુતુ ગસૂરિના ‘પ્રબંધચિંતામણિ' ગ્રંથ જૈન તેમ જ ગુજરાતના ઇતિહાસની વિપુલ સામગ્રીથી પરિપૂર્ણ છે. જૈન ઇતિહાસની સામગ્રીને વિસ્તૃત રૂપે બતાવનારા પ્રમાણભૂત અને આધારભૂત જ ચાર ગ્રંથા માનવામાં આવે છે : (૧) પ્રભાવકચરિત્ર, (૨) પ્રબંધચિંતામણિ, (૩) પ્રખ`ધકેશ અને (૪) વિવિધ તીર્થંકલ્પ. આ ગ્રંથે એકબીજાના પૂરક પણ છે. તેમાં • પ્રબંધચિંતામણિ'નું વિવેચન સક્ષિપ્ત અને સામાજિક શૈલીમાં છે. આ ગ્રંથના નિર્માણમાં આચાર્ય શ્રી મેરુતુ ગસૂરને વિદ્વાન ધદેવ, કે જે તેમના ગુરુભ્રાતા ને સ્થાવર હતા . તેમને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy