SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૨૯૫ પચાસ હજાર નવા જૈન અનાવનાર, જંગમ યુગપ્રધાન ભટ્ટારક દાદા ગુરુદેવ આચાર્ય શ્રી જિનકુશલસૂરિજી મહારાજ આચાર્ય જિનકુશલસૂરિ ખરતગચ્છ શ્રમણ-પરપરામાં પ્રસિદ્ધ એવા ચાર દાદા ગુરુદેવામાં તૃતીય દાદા ગુરુદેવથી પ્રસિદ્ધ છે, તેઓ જગમ યુગપ્રધાન, ભટ્ટારક અને અલક્ષ નવા જેને અનાવનાર પ્રતિબેાધક–પ્રભાવક સૂરિવર હતા. શ્રી જિનકુશલસૂરિના ગુરુ આચાય જિનચંદ્રસૂરિ હતા. ખરતરગચ્છમાં શ્રી જિનચદ્રસૂરિના નામે ઘણા આચાર્યે થયા છે. તે સમયે ખરતસ્ત્રચ્છની પાટ-પરંપરામાં દર ચોથી પાટે ‘જિનચંદ્રસૂરિ' થયાનું જોવા મળે છે. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ પછી જે જિનચંદ્રસૂરિ થયા તે ખરતરગચ્છ પટ્ટાવલી મુજબ ‘ કલિકાલકેવલી ’ તરીકે પ્રસિદ્ધ હતા. એ જ જિનચ`દ્રસૂરિ શ્રી જિનકુશલસૂરિના ગુરુ હતા. શ્રી જિનકુશલસૂરિ નાકેાડા તી પાસેના સમીયાણા ( સિવાના )ના મંત્રી, એશવાલ કુલભૂષણ છાગેહડ ( છાજેડ ) ગોત્રીય શ્રી જિલ્ડાગરના પુત્ર હતા. વિ. સ. ૧૩૩૭ (૧૩૩૦)માં તેમના જન્મ થયા હતા. માતાનું નામ યતદેવી અને તેમનુ પોતાનું જન્મનામ કરમણ હતું. સ. ૧૩૪૭માં શ્રી જિનચંદ્રસૂરિ પાસે દ્વીક્ષા લીધી અને નામ મુનિશ્રી કુશલકીર્તિ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી ૩૦ વર્ષ સુધી ગુરુદેવની સેવા અને ધર્મશાસ્ત્રાના ઊંડા અભ્યાસ કર્યાં. વિ. સં. ૧૩૭૫માં ગુરુ જિનચંદ્રસૂરિ નાગાર પધાર્યાં, ને ત્યાં મુનિ કુશલકીતિને વાચનાચાની પદવી આપી. વિ. સ. ૧૩૭૬માં શ્રી જિનચંદ્રસૂરિ કેશવા ( મારવાડ )માં સ્વર્ગવાસ પામ્યા, તે પૂર્વે તેઓએ પોતાનું આયુષ્ય અલ્પ જાણી એક પત્ર શ્રી રાજેન્દ્રાચાર્ય ને શ્રી વિજયસિંહ તે ઠાકુર મારફત માકલી આપ્યા હતા. તેમાં વાચનાચાર્ય શ્રી કુશલકીતિ ગણને આચાર્ય પદ આપી પોતાના પટ્ટધર બનાવવાનું જણાવ્યું હતું. આથી શ્રી રાજેન્દ્રાચાયે શ્રી કુશલકીતિગણિને વિ. સ. ૧૩૭૭માં પાટણમાં આચાર્ય પદવી આપી શ્રી જિનકુશલસૂરિ નામે ઉદ્ઘોષિત કર્યાં ને શ્રી જિનચંદ્રસૂરિની પાટે સ્થાપ્યા. આચાર્ય જિનકુશલસૂરિએ વિ. સ. ૧૩૮૦માં શા. તેજપાલના સંઘ સાથે શત્રુ ંજય તીની યાત્રા કરી. નવમી ફૂંકમાં માનતુંગ નામના જિનપ્રાસાદમાં ભગવાન ઋષભદેવની ૨૭ આંગળપ્રમાણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. સ. ૧૩૭૭માં ભીલિયામાં ભુવનપાલના ૭૨ દેરીવાળાં જિનાલયમાં ભગવાન મહાવીરસ્વામીની, જેસલમેરમાં જસધવલે ભરાવેલા ચિંતામણિ પાર્શ્વનાથની અને જાલેારના કિલ્લામાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી જિનકુશલસૂરિનાં વિહારનાં મુખ્ય ક્ષેત્રે સિંધ અને રાજસ્થાન હતાં. તે પ્રભાવી અને ચમત્કારી આચાર્યાં હતા. ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન હતા. આજે પણ તેમની પાદુકા ( પગલાં ) ભક્તિભાવથી પૂજવામાં આવે છે. તેમના પિરવારમાં આ૦ જિનપ્રભસૂરિ, ઉપા॰ લબ્ધિનિધાન, ઉપા॰ વિનયપ્રભ, ઉપા॰ વિવેકસમુદ્ર, ઉપા॰ જયસાગર વગેરે ૧૨૦૦ સાધુએ હતા. તેમના ઉપદેશના પ્રભાવે પચાસ હજાર જૈન બન્યા હતા. શ્રી જિનકુશલસૂરિએ ચૈત્યવંદનકુલક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy