SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૪ શાસનપ્રભાવક પિતાની કુલહ (ટોપી) ઉડાડી આકાશમાં અદ્ધર ચડાવી દીધી. આચાર્યશ્રીએ રજોહરણ મોકલી તે મારફત ટપીને નીચે ઉતારી દીધી. કેઈ પંડિતે પિતાની વીંટી આચાર્યશ્રીના ઘામાં છુપાવી દીધી. બાદશાહે સૌની જડતી લીધી ત્યારે તે વીંટી પેલા પંડિતની પાઘડીમાંથી જ નીકળી. બાદશાહની પણ કેટલીક જિજ્ઞાસાને આચાર્યશ્રીએ ચમત્કારો દ્વારા પ્રત્યક્ષ કરી બતાવી હતી. તેમણે કલાલને ધધ કરતા ખંડેલવાલેને તે ધંધે છેડાવી જેન બનાવ્યા હતા. શ્રી જિનપ્રભસૂરિએ સં. ૧૩૪માં નાગેન્દ્રગીય આચાર્ય મલ્લિષેણસૂરિ પાસે ન્યાયને અભ્યાસ કર્યો હતે. તેમને “ઘૂણ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ સરસ્વતી’ એમ બે બિરુદ મળ્યાં હતાં. શ્રી જિનપ્રભસૂરિને એવી પ્રતિજ્ઞા હતી કે, હંમેશા ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવો. આથી જ તેમણે રચેલા ઘણા ગ્રંથે અને સ્તોત્રો મળે છે. તેમાંના કેટલાક ગ્રંથે નીચે પ્રમાણે છે. ૧. વિવિધ-તીર્થકલ્પ (સંસ્કૃત-પ્રાકૃત, સં. ૧૩૨૭ થી ૧૩૮૯). ૨. કાતંત્ર-વિભ્રમટીકા (સં. ૧૩૫ર-દિલ્હીમાં રચી). ૩. દ્વયાશ્રયકાવ્ય (શ્રેણિકચરિત્ર) (સંસ્કૃતમાં, સં. ૧૩૫૬માં). ૪. વિધિમાગ–પ્રપા (સં. ૧૩૬૩, અયોધ્યામાં રચી). ૫. સિદ્ધાંત આગમ રહસ્ય. ૬. સંદેહવિવૌષધિ (સં. ૧૩૬૪, અયોધ્યામાં રચી). ૭. સાધુ પ્રતિકમણવિધિ (સં. ૧૩૬૪માં ). ૮. ભયહર સ્તોત્ર-ટીકા (સં. ૧૩૬૫માં). ૯. ઉવસગ્ગહરવૃત્તિ (સં. ૧૩૬૫, અયોધ્યામાં ). ૧૦. અજિત–શાંતિ–વૃત્તિ (સં. ૧૩૬૫, અયોધ્યામાં). ૧૧. સપ્તસ્મરણ વૃત્તિઓ (સં. ૧૩૬૫ અયોધ્યામાં). ૧૨. પંચપરમેષ્ઠિ સ્તવ. ૧૩. સૂરિમંત્ર-પ્રદેશવિવરણ (રહસ્યકલ્પદ્રમ). ૧૪. વરસ્તુતિ-સ્વર્ણસિદ્ધિ સ્તવાવચૂરિ (ગ્રંથપ્રમાણઃ ૯૦) (સં. ૧૭૮૦માં). ૧૫. સંસ્કૃતપ્રાકૃત-- સ્તવને-સ્તોત્રો. ૧૬. અપભ્રંશ ભાષાના ગ્રંથે-સ્તોત્ર. ૧૭. નેમિનાથ-મુનિસુવ્રત–જન્માભિષેક. ૧૮. દ્રયક્ષરનેમિસ્ત. ૧૯. પદ્માવતીચતુષ્પાદિકા. શ્રી જિનપ્રભસૂરિએ આચાર્ય જિનસેનસૂરિના શિષ્ય શ્રી મલ્લિષેણસૂરિને “ભૈરવપદ્માવતીકલ્પ' રચવામાં અને આચાર્ય ઉદયપ્રભસૂરિના શિષ્ય શ્રી મલ્લિષેણસૂરિને “સ્યાદ્વાદમંજરી” રચવામાં મદદ કરી હતી. માલધારી આચાર્ય રાજશેખરસૂરિ તેમની “ન્યાયકંદલીના વિદ્યાથી હતા ને એ જ આચાર્યો “ ન્યાયકંદલી–વૃત્તિ” રચી હતી. આચાર્ય સંઘતિલકસૂરિ પણ તેમની પાસે ભણ્યા હતા. પ. રવિવર્ધનગણિ લખે છે કે, શ્રી જિનપ્રભસૂરિ પાટણ પધાર્યા ત્યારે તપાગચ્છના શ્રી સોમપ્રભસૂરિ જે પિષાળમાં વિરાજમાન હતા ત્યાં ઊતર્યા હતા; ને તેમણે કરેલ શાસનપ્રભાવનાની શ્રી સેમિપ્રભસૂરિએ પ્રશંસા કરી ત્યારે શ્રી જિનપ્રભસૂરિએ પિતાની લઘુતા દર્શાવી તેમની સરળતા અને નમ્રતાનાં દર્શન કરાવ્યાં હતાં. વળી, તેમણે કેટલીક તેત્રરચના શ્રી સોમતિલકસૂરિને સમર્પિત કરી હતી. આમ, તેમની જ્ઞાનપાસના, ગ્રંથરચના તેમ જ જ્ઞાન–આદાનપ્રદાનની ગચ્છભેદરહિત તત્પરતા, ઉદારતા અને સરળતા અભુત અને પ્રેરણાદાયક હતી. આચાર્ય જિનપ્રભસૂરિનો સમય, તેમના ગ્રંથમાં મળતાં સંવતના આધારે, વિકમની તેરમી સદીના નિશ્ચિત થાય છે. For Private & Personal Use Only Jain Education International 2010_04 www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy