SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો . ર૯૩ પરિચય કરાવે છે. આ કૃતિએ જૈન-જૈનેતર વિદ્વાનોને પ્રભાવિત કર્યા છે. માધવાનંદે સર્વદર્શન સંગ્રહમાં આને સંકેત આપે છે અને મહે. શ્રી યશોવિજયજી વાચકે આના પર “સ્યાદ્વાદમંજૂષા લખી છે. સ્યાદ્વાદમંજરી”ના પ્રશસ્તિ લેકમાં મળતી માહિતી મુજબ શ્રી મલ્લિષેણસૂરિએ આ વૃત્તિ શક સં. ૧૨૧૪ (વિ. સં. ૧૩૪૯)માં દિવાળીના દિવસે–શનિવારે પૂર્ણ કરી તે ઉલ્લેખ છે, તે પરથી શ્રી મલ્લિરેણુસૂરિનો સમય વિક્રમની ચૌદમી શતાબ્દીનો હોવાનું માની શકાય છે. મંત્રવિદ્યાના સાધક, જ્ઞાનના ઉપાસક અને સમર્થ ગ્રંથકાર આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી મહારાજ શ્રી જિનપ્રભસૂરિ ખરતરગચ્છના પ્રભાવી અને વિદ્વાન આચાર્ય હતા. તેઓ પદ્માવતીદેવીના સાધક, મંત્રવિદ્યા સંપન્ન, સમર્થ ગ્રંથકાર, મિલનસાર અને વિનયી વ્યક્તિત્વવાળા આચાર્ય હતા. ખરતરગચ્છની એક પટ્ટાવલી મુજબ શ્રી જિનેશ્વરસૂરિથી આઠમા ક્રમે અને શ્રી જિનદત્તસૂરિથી ચોથા ક્રમે શ્રી જિનેશ્વરસૂરિ થયા. તેમની પાટે ૧. શ્રી જિનસિંહસૂરિ અને ૨. શ્રી જિનપ્રબોધસૂરિ-એમ બે આચાર્યો થયા હતા. તેમાં શ્રી જિનસિંહસૂરિથી વિ. સં. ૧૩૩૧માં લઘુ ખરતરગચ્છ” નીકળે, જેનું બીજું નામ “શ્રીમાલ ગ૭” પણ છે. શ્રી જિનપ્રભસૂરિ એ શ્રી જિનસિંહસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. શ્રી જિનપ્રભસૂરિ હાલવાડીનિવાસી તાંબી ગોત્રના શ્રેષ્ઠિ મહીધરના પૌત્ર અને શ્રી રત્નપાલના પુત્ર હતા. તેમની માતાનું નામ ખેતલદેવી હતું. તેમનું નામ સુહડપાલ હતું. પાંચ ભાઈઓમાં તે વચેટ હતા. બાલ્યાવસ્થાથી જ તે સતેજ, બુદ્ધિવાન અને હોંશિયાર હતા. આચાર્ય જિનસિંહસૂરિ ગુરુ આજ્ઞાથી શ્રીમાલીઓના પ્રદેશમાં વિચરતાં વિચરતાં અહીં પધાર્યા. તેમણે બાલ સુહડપાલની તેજ મુખાકૃતિ અને સતેજ બુદ્ધિ જોતાં, હિતભાવનાથી રત્નપાલ પાસે તેની માગણી કરી. પિતા રત્નપાલે પણ તેને સહર્ષ સ્વીકાર કરી પુત્ર સુહડપાલને ગુરુચરણે સમર્પિત કર્યો. વિ. સં. ૧૩૨૬માં શ્રી જિનસિંહસૂરિએ તેને દીક્ષા આપી, આગમ આદિને ઊંડો અભ્યાસ કરાવ્યો. સર્વ રીતે યંગ્ય બનતાં ગુરુદેવે તેમને વિ. સં. ૧૩૪૧માં, કિઢવાણ નગરમાં, આચાર્યપદ પ્રદાન કરી શ્રી જિનપ્રભસૂરિ નામ આપ્યું અને પોતાની પાટે સ્થાપન કરી પદ્માવતીદેવીને વિદ્યાપાઠ આપ્યું. આચાર્ય જિનપ્રભસૂરિએ પદ્માવતીદેવીની વિધિપૂર્વક સાધના કરી વિદ્યાપાઠ સિદ્ધ કર્યો. ત્યાર બાદ તેઓશ્રી દિલ્હી પધાર્યા હતા. દિલ્હીના બાદશાહ મહમ્મદ તઘલકને ઉપદેશ આપી, તેમને કેટલીક મંત્રવિદ્યા સિદ્ધ કરી બતાવી, પિતાને ભક્ત બનાવ્યું હતું. આથી જેનધર્મની સારી એવી પ્રભાવના થઈ હતી. દિલ્હીમાં તેમના દ્વારા અનેક ચમત્કારી ઘટનાઓ બની હતી. બાદશાહની બેગમની વ્યંતર પીડા દૂર કરી. એક સાંઈ-ફકીરે બાદશાહની સભામાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy