SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક માન્યા ને ત્યાં જ રહ્યા. આચાર્ય સમપ્રભસૂરિ પહેલાં કાર્તિક મહિનાની સુદ ૧૪ના દિવસે ચોમાસી પ્રતિક્રમણ કરી, બીજા દિવસે ભીલડિયાથી વિહાર કરી ગયા. બીજા સાધુ-સાધ્વીઓ અને સ્થાનિક જેને પણ ત્યાંથી નીકળી ગયા. ત્યાર બાદ થોડા સમયમાં જ ત્યાં એકાએક ઉત્પાત મચ્યો, ચારે તરફ આગ લાગી, અને આખું ભીલડિયા શહેર બળીને ભસ્મ થઈ ગયું. જે રહ્યા તેઓ આગને ભોગ બન્યા, અને જે માન્યા તે બચી ગયા. શ્રી સોમપ્રભસૂરિ દ્વારા ગ્રંથસર્જન પણ થયું હતું. તેમણે આરાધનાપયને, જીવકલ્પસૂત્ર, યત્રાખિલવ સ્તુતિ, જિનેન યેન વગેરે ૨૮ યમક સ્તુતિઓ રચી હતી. - શ્રી સોમપ્રભસૂરિ ૬૩ વર્ષની વયે, પર વર્ષને દીર્ઘ અને પ્રભાવક સંયમપર્યાય પાળી, વિ. સં. ૧૩૭૩માં સ્વર્ગવાસ પામ્યા હતા. જૈનદર્શનની સર્વોપરિતા દર્શાવતા ટીકાગ્રંથ “સ્યાદ્વાદમંજરી ના રચયિતા આચાર્યશ્રી મહિલષેણસૂરિજી મહારાજ સ્યાદ્વાદમંજરી” નામે ટીકાગ્રંથના રચનાકાર આચાર્ય મલ્લિકુસૂરિ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ વિષયના ઊંડા અભ્યાસી હતા. તેઓ તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસક, બૌદ્ધ વગેરે અનેક દર્શનના જ્ઞાતા હતા, તે તેમની રચનાથી જાણી શકાય છે. શ્રી મલ્લિષેણસૂરિના ગુરુ નાગેન્દ્રગથ્વીય શ્રી ઉદયપ્રભસૂરિના ગુરુ વિજ્યસેનસૂરિ હતા. સ્યાદ્વાદમંજરી” ટકાગ્રંથની રચનામાં તેમણે શ્રી ઉદયપ્રભસૂરિનું શ્રદ્ધાભર્યા શબ્દોમાં વર્ણન કર્યું છે. તેમના ગૃહસ્થજીવન સંબંધી ખાસ કઈ માહિતી મળતી નથી. મુનિજીવનના તેમના કઈ પ્રસંગેની પણ સ્પષ્ટ માહિતી મળતી નથી. આચાર્ય મલિષેણસૂરિની કંઈક અલ્પ માહિતી સ્યાદ્વાદમંજરી”ના પ્રશસ્તિ લેકે માં મળે છે नागेन्द्रगच्छगोविंद वक्षोऽलङ्कारकौस्तुभाः । ते विश्ववंद्या नंद्यासुरूदयप्रभसूरयः ।। श्री मल्लिषेणसूरिभिरकारि तत्पदगगनदिनणिमिः । वृत्तिरियं मनुविमितशाकाब्धे दीपमहसि शनौ ॥ श्री जिनप्रभसूरिणां साहाय्योदु मिन्नसौरभाः । श्रुतावुत्तंसतु सतां वृत्तिः स्याद्वा_जरी ॥ સાહિત્ય : આચાર્ય મલ્લિષેણસૂરિએ રચેલી સ્યાદ્વાદમંજરી” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની “અન્ય વ્યવચ્છેદિકા' ઉપરની ટીકા છે. આ વૃત્તિ (ટીકા)ની રચનામાં તેમના જ ન્યાયશાસ્ત્રના વિદ્યાથી ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિએ સહાય કરી હતી. આ વૃત્તિનું ગ્રંથમાન ૩૦૦૦ છે. આ ટકા ગ્રંથ હોવા છતાં તેમણે કરેલું વિવિધ દશનનું વિશદ વિવેચન અને સ્યાદ્વાદની યુક્તિપૂર્વક જૈનદર્શનનું સ્થાપન એ શ્રી મલ્લિષેણસૂરિની વિશિષ્ટ પ્રતિભાને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy