SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૯૧ શ્રી સમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૭૩માં ભલડિયાજી તીર્થમાં ભગવાન પાર્શ્વનાથની યાત્રા કરી અને વડાવલી (વડાલી)માં ચાતુર્માસ કર્યું હતું. વિ. સં. ૧૨૮૪માં સંઘ સાથે શત્રુજ્ય તીર્થની યાત્રા કરી અ કેવાલિયા ગામમાં ચાતુર્માસ પધાર્યા. અને સં. ૧૨૮૪માં એ ચાતુર્માસ દરમિયાન જ અંકેવાલિયામાં સ્વર્ગવાસ પામ્યા. તપાગચ્છના શ્રી સેમિપ્રભસૂરિ : આચાર્ય સોમપ્રભસૂરિ શાંત, આત્મવેશી, મહા જ્ઞાની અને શાસ્ત્રના પારગામી હતા. તપાગચ્છના પ્રવર્તક શ્રી જગચંદ્રસૂરિના પ્રશિષ્ય શ્રી ધર્મઘોષસૂરિના તેઓ પટ્ટધર હતા. ગુરુ ધર્મઘોષસૂરિ વિદ્વાન, ચમત્કારી, સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. શ્રી સેમિપ્રભસૂરિને જન્મ વિ. સં. ૧૩૧૦માં થયું હતું. ૧૧ વર્ષની બાળવયે તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ મેઘાવી, કુશાગ્ર બુદ્ધિવાન અને જ્ઞાનની તીવ્ર રુચિવાળા હતા. છેડા જ સમયમાં જિનાગને ઊંડો અભ્યાસ કરીને તેઓ શામાં પારંગત બન્યા હતા. તેમને ૧૧ અંગશા–સાથે મુખપાઠ હતા. તેઓ ચારિત્રપાલનમાં અતિ વિશુદ્ધપરાયણ હતા. ગુરુદેવે તેમને સર્વ રીતે યથાયોગ્ય જાણી વિ. સં. ૧૩૩રમાં આચાર્યપદે આરૂઢ કર્યા હતા. એક વખત ગુરુદેવ શ્રી ધર્મ જોષસૂરિએ તેમને શક્તિશાળી સમજીને મંત્રગર્ભિત પુસ્તિકા આપવા માંડી, ત્યારે શ્રી સમપ્રભસૂરિએ વિનમ્રભાવે કહ્યું કે, “શ્રતજ્ઞાન એ જ મંત્રપુસ્તિકા છે, મારે બીજી કોઈ મંત્ર-પુસ્તિકાની જરૂર નથી.” એમ જણાવીને તેમણે એ પુસ્તિકા સ્વીકારી નહિ. આથી શ્રી ધર્મઘોષસૂરિએ બીજા એગ્ય પાત્રના અભાવમાં તે પુસ્તિકાને જળચરણ કરી દીધી. શ્રી સોમપ્રભસૂરિ શુદ્ધ ક્રિયાપરાયણ પણ હતા અને તે કારણથી જલકુંકણ દેશમાં અપકાયની વિરાધના થવાના ભયથી તેમ જ મરુધર દેશમાં શુદ્ધ-નિર્દોષ પાણીના અભાવને કારણે તેઓએ સાધુઓના વિહારનો નિષેધ કર્યો હતો. માંડવગઢને મંત્રી પેથડશાહ આચાર્ય ધર્મ ષસૂરિના અનન્ય ભક્ત હતો. તેણે જુદાં જુદાં સ્થાનમાં ૮૪ જિનપ્રાસાદ બંધાવ્યાં હતાં. શ્રી સોમપ્રભસૂરિના હસ્તે તેમાંના ઘણાની પ્રતિષ્ઠા થઈ હતી. આ જિનપ્રસાદે એટલાં વ્યાપક પ્રમાણમાં હતાં કે જેનાથી શ્રી સોમપ્રભસૂરિના વિશાળ વિહારક્ષેત્રને ખ્યાલ આવે છે. સમરા શાહે સં. ૧૩૭૧માં શત્રુંજય તીર્થને ૧૫ ઉદ્ધાર કરાવ્યો ત્યારે આચાર્ય સેમપ્રભસૂરિ શિષ્ય પરિવાર સાથે ત્યાં પધાર્યા હતા. શ્રી સોમપ્રભસૂરિને પરમાનંદસૂરિ, સેમતિલકસૂરિ વગેરે વિદ્વાન શિષ્ય હતા. એ સમયમાં ભીલડી મોટું શહેર હતું. ત્યાં મોટી સંખ્યામાં ધનાઢયે જેને વસતા હતા. વિ. સં. ૧૩૫રમાં શ્રી સોમપ્રભસૂરિએ ત્યાં ચાતુર્માસ કર્યું. એક દિવસ તેમણે જ્ઞાનબળે ( તિષવિદ્યાથી) જાણ્યું કે આ નગરને નાશ થવાને છે. તે વરસે બે કાર્તિક માસ હતા, અને ચાતુર્માસ પૂર્ણ થાય તે અગાઉ પહેલાં કાર્તિક વદમાં આ વિનાશ થવાને હતો. આથી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી અહીં રહેવું સલામતીભયુ ન લાગ્યું. અન્ય ગચ્છના આચાર્યોનાં પણ અહીં ચાતુર્માસ હતાં. તેઓને પણ આ વાત જણાવી હતી, છતાં કેટલાક ન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy