SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શાસનપ્રભાવકે આચાર્ય સમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૩૮ના માહ સુદ ૪ ને શનિવારે માતૃકાચતુર્વિશતિ પટ્ટની પ્રતિષ્ઠા કરી હતી, જે પટ્ટ આજે શંખેશ્વર તીર્થમાં પૂજાય છે. ગ્રંથસર્જન : શ્રી સેમપ્રભસૂરિ ન્યાયના પારગામી, સર્વ શાના જાણકાર, શીઘ્ર કવિ, સચોટ ઉપદેષ્ટા અને સમર્થ ગ્રંથકાર હતા. તેમની ગ્રંથરચનાઓને પરિચય આ પ્રમાણે છે : સુમતિનાહ ચરિયું (સુમતિનાથ ચરિત્ર) : આ રચના ૯૫૦૦ ગ્રંથપરિમાણ છે. પાટણમાં મહાઅમાત્ય સિદ્ધપાલની પિષાળમાં તેમણે આ રચના કરી હતી. સિંદૂરપ્રકર : જેમાં અહિંસા વગેરે વીશ વિષે (કર્તવ્યો) ઉપર સરળ, સુધ અને હૃદયંગમ ૧૦૦ સુભાષિત જેવાં પદ્ય-સંસ્કૃત કે છે. આ ગ્રંથનાં બીજાં નામ “સુક્તમુક્તાવલી” અને “સમશતક” પણ છે. કલેકેની રચનામાં મંદાક્રાન્તા, ઉપજાતિ, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત આદિ અનેક છંદોનો ઉપયોગ કર્યો છે. અધ્યાત્મજ્ઞાન અને વૈરાગ્યરસથી પરિપૂર્ણ આ કૃતિ વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, દિગંબરે અર્થાત્ સમસ્ત જૈન અને અજેનોમાં પણ પ્રિય અને પ્રશસ્ય બની છે. આ કૃતિ ઉપર ખરતરગચ્છીય શ્રી ચારિત્રવર્ધનસૂરિએ વિ. સં. ૧૫૦૫માં ૮૦૦ ગ્રંથપ્રમાણુ ટકા રચી છે. નાગરી તપાગચ્છના શ્રી હર્ષકીર્તિસૂરિએ લગભગ વિ. સં. ૧૯૬૦માં ટીકા રચી છે. દિગંબર–તેરાપંથી મતના પ્રવર્તક બનારસના પં. બનારસીદાસે સં. ૧૬૯૧ માં હિંદી પદ્યાનુવાદ કર્યો છે. જ્યારે કેઈ એક વિદ્વાને તેને ગુજરાતી પદ્યાનુવાદ કરેલે મળી આવે છે. શૃંગાર–વૈરાગ્ય તરંગિણી : આ ગ્રંથમાં શૃંગારનાં દુષણ બતાવી વૈરાગ્યને પુષ્ટ કર્યો છે. આમાં ૪૬ લેકે છે. એક જ લેકમાં શૃંગાર અને વૈરાગ્ય–બંને અર્થ નીકળે તેવી આ રચના છે. શતાર્થકાવ્ય : શ્રી સોમપ્રભસૂરિની આ રચના તેમના બુદ્ધિકૌશલને પરિચય કરાવે છે. આમાં તેમણે એક લેક રચીને તેના સો અર્થ કરી બતાવ્યા છે. એક કલેક આ પ્રમાણે છે : कल्याणसार सवितानहरेक्षमोह कान्तारवारणसमानजयाद्यदेव । धर्मार्थकामद महोदयवीरधीरसोमप्रभावपरमागमसिद्धसूरेः ॥ આ લેકમાં દુગ્ધ છંદ, શંખઈદ, શુભવૃત્ત, શુભ્ર છંદ, સ્ત્રી ઈદ અને વસંતતિલકા છંદને પણ પ્રયાગ છે. આચાર્યશ્રીએ આ લોકની સ્વપજ્ઞ વૃત્ત રચી છે, તેમાં પ્રથમ ૧૦૦ નામ આપીને તેમાં તે નામ સાથે ૧૦૦ અર્થો ઘટાવ્યા છે. કુમારપાલપડિહે : આ રચનાનું ગ્રંથમાન ૮૮૧૧ છે. આ રચના પ્રાકૃતમાં છે. એમાં પ૬ કથાઓ છે. આ ગ્રંથની રચના પ્રશસ્તિ મુજબ વિ. સં. ૧૨૪૧માં પાટણમાં કવિચક્રવતી સિદ્ધપાલની વસતીમાં થઈ હતી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય આચાર્ય મહેન્દ્રસૂરિ, પં. વર્ધમાન ગણિ અને પં. ગુણચંદ્ર ગણિએ આ ગ્રંથનું સાવંત શ્રવણ કર્યું હતું. શેઠ નેમિનાગ મેઢના પુત્ર અભયકુમાર અને તેના પરિવારે અત્યંત આનંદ પામી આ ગ્રંથની પ્રતે લખાવી હતી. Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy