SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૮૯ તેમાં ઘણા ગ્રંથો લખાવીને મૂક્યા. આચાર્યશ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી સીમંધરના કુટુંબે પણ ઘણા ગ્રંથ લખાવ્યા હતા. આચાર્ય શ્રી ધર્મષસૂરિ વિ. સં. ૧૩૫૭માં, ૫૫ વર્ષનો દીર્ઘ દીક્ષા પર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. વડગચ્છ પરંપરાના, શતાર્થ કાવ્યના રચયિતા અને સમર્થ ગ્રંથકાર આચાર્યશ્રી સોમપ્રભસૂરિજી મહારાજ તપાગચ્છ પરંપરાના, શુદ્ધિ ક્રિયાપરાયણ અને શાસ્ત્રના પારગામી આચાર્યશ્રી સોમપ્રભસૂરિજી મહારાજ શ્રી જેન વેતામ્બર શ્રમણપરંપરામાં શ્રી સોમપ્રભસૂરિ નામના ઘણ આચાર્યો થયા છે તેમાં એક વડગચ્છ પરંપરામાં થયા, જે શતાથી સમપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ હતા. બીજા તપાગચ્છ પરંપરામાં થયા, જે અગિયારે અંગશાસ્ત્રો સાથે કંઠસ્થ ધરાવતા હતા. જુદા જુદા ગ૭ના આ બંને આચાર્યો જેમ નામમાં સમાનતા ધરાવતા હતા, તેમ બીજી પણ કેટલીક બાબતોમાં સમાનતા અને નિકટતા ધરાવતા હતા. આ બંને આચાર્યો સ્વગચ્છની પાટ પરંપરામાં પટ્ટધર હતા ને એક જ-શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં એક ૪૩મી પાટે અને બીજા ૪૭ મી પાટે થયા હતા. વળી, નામાંતર પામેલા છ ગોમાં એક પાંચમાં વડગછના અને બીજા છઠા તપાગચ્છના, એમ જે ડેના ગચ્છના હતા. તે વળી, વડગચ્છના શ્રી સોમપ્રભસૂરિની પાટે તપાગચ્છના પ્રવર્તક શ્રી જગચંદ્રસૂરિ આવ્યા ને એમની જ પાંચમી પાટે તપાગચ્છના શ્રી સોમચંદ્રસૂરિ આવ્યા. - વડગચ્છના શ્રી સમપ્રભસૂરિ : શ્રી સોમપ્રભસૂરિ આગમશાસ્ત્રના ઊંડા અભ્યાસી અને સમર્થ ગ્રંથકાર હતા. તેમના ગુરુ શ્રી વિજયસિંહસૂરિ સમર્થ વાદી હતા. તેમના ત્રણ શિષ્ય આચાર્ય થયા, તેમાં બીજા શ્રી સમપ્રભસૂરિ હતા. તેમને જન્મ પિવાડ જેના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સર્વદેવ હતું. દાદા જિનદેવ મહામંત્રી હતા અને અનન્ય જિનપાસક હતા. એમનું સંસારી નામ સોમદેવ હતું. કુટુંબના ધર્મમય વાતાવરણને લીધે સમદેવમાં બાલ્યકાળથી જ ધર્મભાવના ખીલી હતી. આ ધર્મસંસ્કાર દઢ બની કુમારવયે વૈરાગ્યમાં પરિણમ્યા. આચાર્ય વિજયસિંહસૂરિ પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી. ચારિત્રધર્મમાં એકનિષ્ઠ બની ગુરુ પાસેથી વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને જિનામોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુ શ્રી વિજ્યસિંહસૂરિએ તેમની સંયમસાધના અને જ્ઞાનનિપુણતા જોઈ આચાર્યપદે અલંકૃત કર્યા અને આચાર્ય સોમપ્રભસૂરિ નામ આપી પોતાની પાટે સ્થાપ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy