SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શાસનપ્રભાવક લગભગ ૭૦૦ ઉપાશ્રયે બંધાવ્યા. સાત મેટા ગ્રંથભંડારે સ્થાપ્યા. અને સૌથી વિશેષ તે તેમણે માત્ર ૩ર વર્ષની વયે સજોડે ચતુર્થ (બ્રહ્મચર્ય) વ્રતને સ્વીકાર કર્યો. - શ્રી ધર્મ ઘેષસૂરિ પુણ્ય પ્રભાવી હતા, તેમ ચમત્કારી સિદ્ધપુરુષ પણ હતા. એક વાર પ્રભાસપાટણના સમુદ્ર કિનારે ઊભા રહી મંત્રમય સમુદ્ર સ્તોત્ર’ બનાવ્યું, તે સમયે સમુદ્રમાં મેટી ભરતી આવી અને તેમાંથી રત્ન ઊછળીને બહાર આવ્યા, જે જિનમંદિરમાં ભેટ કરાયાં. ત્યાં જ તેમના મંત્રધ્યાનથી શત્રુંજયને કપદી યક્ષ પ્રગટ થયું. તે સમકીતિ બની, પ્રભાસપાટણમાં જિનપ્રતિમાને અધિષ્ઠાયક બન્ય. બે પ્રસંગમાં તેમણે સ્ત્રીઓને તેમના દુર્વ્યવહારથી પાટલા પર ચંભિત કરી દીધી. ઉજજૈનમાં એક યોગી દ્વારા અને ગોધરામાં શાકિની દ્વારા થયેલા ઉપદ્રવને દૂર કર્યા. એક દિવસ આચાર્યશ્રીને સાપ કરડ્યો. આખો સંઘ ગભરાઈ ગયે. આચાર્યશ્રીએ સંઘને શાંત કરી જણાવ્યું કે – “સવારે નગરની પૂર્વ દિશાના દરવાજે કઠિયારે લાકડાની ભારી લાવશે, તેમાંથી વિષહરિણી વેલ મળી આવશે. તેને સૂંઠ સાથે ઘસી ડંખ ઉપર લગાવજે.” સંઘે તે પ્રમાણે કરવાથી આચાર્યશ્રીને આરામ થઈ ગયો. તેમણે ત્યારથી આજીવન છ વિગઈ ત્યાગ કર્યો. તેઓશ્રી હંમેશાં માત્ર જારને આહાર લેતા. એક દિવસ એક મંત્રીએ આઠ યમકવાળું કાવ્ય બોલીને આચાર્યશ્રીને જણાવ્યું કે – “હવે આવાં કાવ્ય કરનાર કેઈ રહ્યા નથી.” ત્યારે આચાર્યશ્રીએ “જ્ય વૃષભ” પદથી શરૂ થતી સ્તુતિઓ બનાવીને તે મંત્રીને આશ્ચર્યચક્તિ કરી દીધો હતે. શ્રી ધર્મ ષસૂરિના શિષ્ય-પટ્ટધર શ્રી સોમપ્રભસૂરિ શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ, મોટા વાદી અને આત્મગવેષી હતા. વિ. સં. ૧૩૩૨માં તેમને સૂરિપદ આપ્યું. શ્રી ધર્મઘોષસૂરિએ તેમને “બાર અંગોનું જ્ઞાન તે આપ્યું જ હતું અને એક દિવસ તેમની યોગ્યતા જાણને એક મંત્રોથી પણ આપી. પરંતુ શ્રી સમપ્રભસૂરિએ હાથ જોડી કહ્યું કે – “આપની કૃપા છે તેમાં જ બધું છે. આપ કાં તે ચારિત્રની આરાધના આપે, કાં આ મંત્રથી આપ. શ્રી ધર્મઘોષસૂરિએ શિષ્યને આ ઉત્કૃષ્ટ ચારિત્રભાવ જોઈ, અને બીજે કઈ શિષ્ય એ મંત્રપોથી માટે ગ્ય ન લાગવાથી, એ મંત્રોથીને જલશરણ કરી દીધી. શ્રી ધર્મઘોષસૂરિએ ઘણી કૃતિઓ રચી છે, તે આ મુજબ જાણવા મળે છે? સંઘાચાર ભાગ્યવિવરણુ, સુધિમ્મસ્તવ, કાયસ્થિતિ પ્રકરણ, દુસમકાલ સમણુસંઘથયં-સાવચૂરિક, ચતુવિ“શતિ જિનસ્તવને, સ્ત્રકાશમસ્તેત્ર, દેવેન્દ્રસ્તુત્ર, યૂયંમૂવાં ત્વમિતિ કલેષ સ્તુતિઓ, જ્ય વૃષભ૦ અષ્ટ યમક તૃતિ – અવસૂરિ સહિત, મંત્રગભિત પાર્શ્વનાથ સ્તોત્ર, કાન્તિક દેવલોક જિનસ્તવન – અવસૂરિ સહિત, શત્રુંજય મહાતિથ્થકલ્પ, સમવસરણ પ્રકરણ, અષ્ટાપદ – તીર્થકલ્પ, ગિરનાર – તીર્થકલ્પ, સમેતશિખર – તીર્થકલ્પ, લેકનાલિકા, યુગપ્રધાનસ્તંત્ર, ત્રાષિમંડલતેત્ર, પરિગ્રહપ્રમાણ, પાર્શ્વનાથસ્તવન, પાર્શ્વનાથતીર્થસ્તોત્ર, પૂર્વાર્ધસંસ્કૃત – ઉત્તરાર્ધ પ્રાકૃત ભાષામય સ્તવન, ભવત્રયસ્તવ, પાંત્રીશ જિનવાણી સ્તવન, જીવવિચારસ્તવ આદિ ગ્રંથની રચના કરી છે. પૂજ્યશ્રીના ઉપદેશથી દિયાણના શ્રી સંઘે વિ. સં. ૧૩૪હ્માં ગ્રંથભંડારની સ્થાપના કરી અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy