SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ધમકીર્તિગણિને ઉપાધ્યાયપદ આપ્યું. તે સમયે મંડપમાં કેશરની દૈવી વૃષ્ટિ થતાં સર્વમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયાં હતાં. આ ઘટનાને ઘણાએ તેમના યુગપ્રધાન બનવાની એંધાણ માની હતી. આચાર્ય દેવેન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૨૪માં શ્રી વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આરા આપી, પિતે ઉપાડ ધમકીર્તિગણિને સાથે લઈ માળવા પધાર્યા. માળવામાં જ શ્રી દેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૪૭માં સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે આચાર્ય વિઘાનંદસૂરિ હતા જ, પરંતુ તે પણ ગુરુદેવના સ્વર્ગવાસ પછી ૧૩ દિવસે જ વીજાપુરમાં કાળધર્મ પામતાં, નવા ગચ્છનાયક બનાવવાનો એકાએક પ્રશ્ન ઊભું થયું. શ્રીસંઘ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયો. છેવટે સૌએ ઉપાક ધમકીર્તિગણિને યથાયોગ્ય જાણી ગચ્છનાયક બનાવવાનો નિર્ણય કર્યો, અને વડગચ્છના સગોત્રી આચાર્યો તથા વૃદ્ધ પિષાળના આચાર્ય ક્ષેમકીર્તિસૂરિએ સમયસૂચકતા વાપરી, ગુરુદેવના સ્વર્ગગમન પછી છ મહિનામાં એટલે કે વિ. સં. ૧૩૨૮માં વીજાપુરમાં ઉપાઠ ધર્મ કાતિને આચાર્ય પદવી આપી, આચાર્ય ધર્મષસૂરિ નામ રાખી, આચાર્ય દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપન કર્યા. આ પછી આચાર્ય ધર્મ ઘેષસૂરિ તપાગચ્છના નાયક બન્યા. શ્રી ધર્મઘોષસૂરિ ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. મંત્રી પેથડ જ્યારે સાવ નિર્ધન હિતેપિતા દેદાશાહ અને માતા વિમલાદેવીના મૃત્યુ સાથે ધન પણ ચાલ્યું ગયું હતું, ત્યારે તેણે શ્રી ધર્મઘોષસૂરિ પાસે શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. તેમાં તેણે અલ્પ રકમનું પરિગ્રહ પરિમાણ ઇચ્છયું, પણ આચાર્યશ્રીએ તેનું ચમકતું ભાગ્ય જોઈ તેને પાંચ લાખ ટકાનું પરિમાણ વ્રત આપ્યું. તે માંડવગઢ ગયા. ત્યાં ઘીને વેપાર કરતાં ચિત્રાવેલી મળી. આથી તે ઘણું ધન કમાયે. આગળ જતાં નસીબના જે તે માંડવગઢના મહારાજા જયસિંહ પરમારને મંત્રી બન્યા. તેણે શ્રી ધર્મઘોષસૂરિને ૭૨ હજારને ખર્ચ કરી, મોટા ઉત્સવ સાથે માંડવગઢમાં પ્રવેશ કરાવી ચોમાસું કરાવ્યું. ચૈત્યપરિપાટીમાં ૭૨ હજાર રુકમા ખરચી સંઘને પહેરામણી કરી. આચાર્યશ્રીના ઉપદેશથી શત્રુંજય તીર્થમાં બાવન દેરીઓવાળ કેડીકેડી જિનપ્રાસાદ” બંધાવ્યું. વિ. સં. ૧૩૩૦ લગભગમાં ૧૮ લાખ ખરચીને માંડવગઢમાં ૭૨ દેરીઓવાળો જિનપ્રાસાદ બંધાવ્યું. દેવગિરિમાં પેથડવિહાર” નામે દેરાસર બંધાવ્યું. પોતાના ભાઈ ગુણધરના સ્મરણાર્થે રાજગ૭ના આચાર્ય રત્નાકરસૂરિ પાસે શ્રી શત્રુંજય તીથે ૪૨ ઈંચ ઊંચી શ્રી અભિનંદન સ્વામીની ખગાસન પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવી, જે આજે પણ નવા આદીશ્વર ભગવાનના દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુએ વિરાજમાન છે. આમ તેમણે જુદા જુદા સ્થાનમાં ૮૪ જિનમંદિરે બંધાવ્યાં. વળી, તેમણે શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની અધ્યક્ષતામાં સાત લાખ શ્રાવકેને સાથે લઈ શત્રુંજય-ગિરનાર તીર્થને દૂરી પાળ યાત્રાસંઘ કાઢયો હતો. શત્રુંજય તીર્થમાં ભગવાન આદીશ્વર જિનપ્રાસાદના શિખરે સુવર્ણકળશ ચઢાવ્યું. શત્રુંજય તથા ગિરનાર તીર્થમાં તેમ જ યાત્રા સંઘમાં આવતાં ગામેનાં જિનાલમાં સોના-ચાંદીના ધ્વજ ચડાવ્યા. પ૬ ઘડી સેનાની બેલીના ચઢાવાથી આદેશ પામી ઈન્દ્રમાળ (તીર્થમાળા) પહેરી. અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy